આઈપીએલ અત્યારે દુનિયાની સૌથી મોટી અને મોંઘી ક્રિકેટ લીગ છે. આઈપીએલમાં દર વર્ષે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ રમવા માટે આવે છે પરંતુ તાજેતરમાં જ એક એવા અહેવાલ સામે આવ્યા હતા કે સઉદી અરબે કથિત રીતે આઈપીએલ માલિકોને તેમના દેશમાં દુનિયાની સૌથી અમીર ટી-20 લીગ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આવામાં ટીમ ઈન્ડિયાના ખેલાડી આ લીગનો હિસ્સો બની શકે કે કેમ તેને લઈને મહત્ત્વના સમાચારો સાંપડી રહ્યા છે.
તાજેતરમાં જ અહેવાલો આવ્યા હતા કે, સઉદી અરબે દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગનો પ્લાન બનાવી લીધો છે. દાવો તો એવો પણ કરાઈ રહ્યો છે કે આઈપીએલના આયોજકો સાથે વાતચીત ચાલી રહી છે. આ બધાની વચ્ચે ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓના રમવાના કોઈ જ ચાન્સ નથી.
- Advertisement -
બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, બોર્ડ પોતાના ખેલાડીઓને આ લીગ માટે રિલિઝ કરશે નહીં. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે ભારતીય ખેલાડીઓને રિલિઝ કરવાનો સવાલ જ ઉઠતો નથી. વાસ્તવમાં આ સવાલનો આધાર જ ખોટો છે. એક નીતિ છે અને અમે તેના ઉપર ટકેલા રહેશું.
ધ એઝના એક રિપોર્ટ પ્રમાણે સઉદી અરબ લીગ અંગે લગભગ એક વર્ષથી વાતચીત કરી રહ્યું છે પરંતુ બધું જ પાક્કું થયા બાદ આઈસીસી પાસે મંજૂરી માંગવામાં આવશે.