રણબીર અને આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સ્ક્રીન પર સાથે જાેવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ઇઇઇ, ગંગુબાઈ કાઠિયાવાડી, રોકી ઔર રાનીકી લવસ્ટોરીમાં જાેવા મળશે. જ્યારે રણબીર ફિલ્મ એનિમલમાં જાેવા મળશે. આ સિવાય તે લવ રંજનની આગામી ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂર સાથે જાેવા મળશે, જેનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

- Advertisement -
લગ્ન છે કે પછી એક રુકા હુઆ ફૈસલા? રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સ્થગિત થયા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જાે કે હજુ સુધી બંનેના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. પરંતુ હવે નવા અહેવાલો અનુસાર, બંનેએ તેમના લગ્ન મુલતવી રાખ્યા છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu
- Advertisement -
અહેવાલ મુજબ, આલિયા અને રણબીર કપૂર પોતપોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ સાથે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છે છે અને તેની તૈયારી અને ગોઠવણમાં ઘણો સમય લાગશે, તેથી હવે બંને આવતા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

એવા પણ સમાચાર છે કે લગ્ન પહેલા કે પછી આલિયા અને રણબીર સાથે વેકેશન પર જઈ શકે છે. હવે આ સમાચાર કેટલા સાચા છે ? તે તો આવનારા સમયમાં જ ખબર પડશે કારણ કે અગાઉ એવી ખબર આવી હતી કે આલિયા અને રણબીર વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઇને તારીખ લંબાવી રહ્યા છે. વાસ્તવમાં, વિકી અને કેટરીના ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે અને તેઓએ તેમના મિત્રોના લગ્નમાં હાજરી આપવા માટે તેમના લગ્ન મુલતવી રાખ્યા છે. રણબીર અને આલિયાના લગ્નની રાહ જાેઈ રહેલા ચાહકોને થોડી રાહ જાેવી પડશે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર પોતાના સંબંધો કોઈથી છુપાવતા નથી. બંને ખુલ્લેઆમ સાથે હેંગઆઉટ કરે છે, એકબીજા વિશે વાત કરે છે. આલિયા સોશિયલ મીડિયા પર રણબીર સાથેના ફોટા શેર કરતી રહે છે. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના ફોનનું સ્ક્રીનસેવર શું છે તો એક્ટ્રેસે તેનો ફોન બતાવ્યો જેમાં તેનો અને રણબીરનો ફોટો હતો. તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીરે કહ્યું હતું કે જાે કોવિડ ન આવ્યો હોત તો તે આલિયા સાથે લગ્ન કરી લેત. પરંતુ હવે બંને વાતાવરણ શાંત થવાની રાહ જાેઈ રહ્યા છે જેથી તેઓ મુક્તપણે આનંદ માણી શકે.




