હવે સવારે મુંબઈ પહોંચી સાંજે પરત ફરી શકાશે: આગામી 24મીથી ઈન્ડિગોની સવારની ફલાઈટનું પણ ઉડ્ડયન શરૂ : મે માસથી સવારે બે ફલાઈટ
રાજકોટ એરપોર્ટમાં મુંબઈ દિલ્હી જવા મુસાફરોનો ટ્રાફિક સતત વધતા હાલ દિલ્હી-મુંબઈની તમામ ફલાઈટ ફુલ ઉડી રહી છે. ત્યારે સવારે મુંબઈ જતા પ્રવાસીઓની ભીડને ધ્યાને લઈ એરઈન્ડિયાએ ફરી સવારની રાજકોટ-મુંબઈ ફલાઈટ આગામી તા.3જી મેથી ડેઈલી ફલાઈટનો શિડયુલ જાહેર કરી બુકિંગ વિન્ડો ઓપન કરેલ છે. તા.3જી મેથી શરૂ થનાર એર ઈન્ડિયાની ડેઈલી રાજકોટ-મુંબઈ ફલાઈટનો સમય જોતા સવારે મુંબઈથી 5:05 કલાકે ટેકઓફ થઈ રાજકોટ 6:10 કલાકે લેન્ડ થશે બાદ સવારે 6:45 કલાકે પરત મુંબઈ જવા ટેકઓફ થઈ 8:05 કલાકે મુંબઈ પહોંચશે આ ફલાઈટનો કલાકે મુંબઈ પહોંચશે આ ફલાઈટનો બુકિંગ વિન્ડો ઓપન થયેલ છે.
- Advertisement -
હાલ રાજકોટ એકપોર્ટથી સવારે મુંબઈ જવા બપોરે સુધીમાં એક પણ ફલાઈટ નહી હોવાથી વિવિધ વેપારી સંગઠનો અને મુસાફરો, ઉદ્યોગકારોએ સવારની મુંબઈ ફલાઈટ શરૂ કરવા માંગ ઉઠાવતા ઈન્ડિગો એર લાઈન્સ કંપનીએ આગામી તા.24મીથી સવારની મુંબઈ ફલાઈટનો શિડયુલ જાહેર કરેલ છે. આ ફલાઈટ સવારે 7:25 કલાકે મુંબઈથી ટેકઓફ થઈ 8:35 કલાકે રાજકોટ ઉતર્યા બાદ 9:05 કલાકે પરત મુંબઈ જવા ટેકઓફ થઈ 10:10 કલાકે મુંબઈ ઉતરશે. આગામી તા.24 એપ્રિલ અને તા.3 જી મેથી સવારે રાજકોટ-મુંબઈ વચ્ચે બે ફલાઈટ શરૂ થતા ઉદ્યોગકારો, નાના-મોટા વેપારીઓ, મુસાફરો સવારે મુંબઈ પહોંચી દિવસભર કામકાજ પતાવી સાંજે રાજકોટ પરત ફરી શકશે.
ઉનાળુ વેકેશન પૂર્વે જ મુંબઈનો ટ્રાફિક વધતા એર ઈન્ડિયા આગામી 25મી એપ્રિલથી સપ્તાહમાં સોમ,મંગળ, બુધ અને શુક્રવારે હાલની 120 સીટની ફલાઈટના સ્થાને 150 સીટનું (નીયો એરક્રાફટ) બોઈંગ ઉડાડવા નિર્ણય લીધો છે આગામી તા.25મી એપ્રિલથી એર ઈન્ડિયાનું બોઈગ હવાઈ જહાજનું રાજકોટ-મુંબઈ વચ્ચે એરપોર્ટ પરથી આવાગમન શરૂ થનાર છે. ઉનાળુ વેકેશનનાં પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લઈ એર ઈન્ડિયા અને ઈન્ડિગો એર લાઈન્સ કંપનીએ સવારની બે ડેઈલી ફલાઈટનો શિડયુલ જાહેર કરતા સવારથી સાંજ (દિવસભર) રાજકોટ-મુંબઈ પાંચ ફલાઈટના ઉડ્ડયનથી મુંબઈ આવવા જવા મુસાફરોને હવાઈ સેવા ઉપયોગી નિવડશે.
- Advertisement -