– આજથી ત્રણ દિવસ માટે ઉદયપુરથી કોંગ્રેસની ચિંતન શિબિર, આ મુખ્ય મુદા પર થશે ચર્ચા
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલુ છે. શિબિરને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરી રહ્યા છે. ત્રણ દિવસ ચાલનાર આ શિબિરમાં કેટલાક મહત્વના પ્રસ્તાવો લાગુ કરવામાં આવશે.
- Advertisement -
આ શિબિરને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, નવી સંકલ્પ ચિંતન શિબિર અમને કેટલાય નવી બાબતો પર ચર્ચા કરવાની તક આપશે. જેનું સામનો દેશ બીજેપી, આરએસએસ અને તેમના સહયાગીઓની નીતિઓના પિરણામ સ્વરૂપ કરી રહ્યા છે. અહિંયા અમારી સામે આવનાર કેટલાય કાર્યો પર વિચાર-વિમર્શ કરવાની પણ તક છે. આ રાષ્ટ્રીય મુદા વિશે ચિંતન અને અમારી પાર્ટીના સંગઠન વિશે સાર્થક આત્મચિંતન બન્ને છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં અલ્પ સંખ્યકો પર હુમલા થઇ રહ્યા છે, જે દેશના બધા નાગરિકોની જેમ બરાબારનો હક ધરાવે છે. નફરત ફેલાવીને સરકાર તેમને નબળી બનાવી રહી છે.
રાજનૈતિક વિરોધીઓને ડરાવી-ધમકાવવામાં આવી રહ્યા છે. જેલમાં નાખવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીનો દુરપયોગ કરી રહ્યા છે. લોકતંત્રના બધા સ્તંભઓને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જવાહરલાલ નેહરૂ જેવા અમારા નેતાઓના યોગદાન, ઉપલબ્ધિઓ અને ત્યાગને નકારવામાં આવી રહ્યા છે. જયારે, મહાત્મા ગાંધીના હત્યારા અને તેમની વિચારધારાને મહિમામંડિત કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
By now it has become abundantly & painfully clear what PM Modi and his colleagues really mean by their slogan 'Maximum governance, minimum government': Congress interim president Sonia Gandhi at the party's 'Nav Sankalp Chintan Shivir'
1/2 pic.twitter.com/bxNF1mN8QO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 13, 2022
એક પછી એક બધા ચુંટણીમાં હાર મળ્યા પછી ભાંગી પડેલી કોંગ્રેસ શુક્રવારના ત્રણ દિવસ સુધી ઉધયપુર ચિંતન શિબિર માટે પોતાની સંગઠનાત્મક કર્મચારીઓ પર આત્મમંથન કરશે. વર્ષ 2024માં બીજેપીના ચુંટણીના મોડેલને પડકારનવા માટે કોંગ્રેસ પોતાની દિશા અને દશા બન્ને નક્કી કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નોતા ઉદયપુર પહોંચી ગયા છે, જ્યાં તેઓ દેશની રાજનૈતિક, આર્થિક, સામાજિક, કૃષિ અને તેમની સાથે જોડાયેલા તમામ મુદા પર ચર્ચા કરશે. આ મુદાના માધ્યમથી કોંગ્રેસ દેશના રાજકારણમાં નવા રોડમેપ તૈયાર કરશે.
જોકે, કોંગ્રેસના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી 4 વખત ચિંતન શિબિરનું આયોજન કર્યુ છે અને 5મી વખત ઉદયપુરમાં કરી રહ્યા છે. કોંગ્રેસના 4 વખતના ચિંતન શિબિર કરી હતી, પરંતુ ફક્ત એક વાર જ પરિણામો તેમના અનુકુળ રહ્યા છે જો કે ત્રણ વાર તેમને હારનો સામનો કરવો પડયો હતો. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજયોમાં ચુંટણીમા કારમી હાર પછી કોંગ્રેસ વર્ષ 2024ના લોકસભાની ચુંટણીના બે વર્ષ પહેલા હવે પાંચમી ચિંતન શિબિર ઉદયપુરમાં કરી રહી છે. એવામાં જોતા શું ઉદયપુરથી કોંગ્રેસનું આ ઉદય વર્ષ 2024નું લોકસભા ચુંટણીમાં થઇ શકશે?