પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યાએ 93, કૂપર કોનોલીએ 87 રન ફટકાર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
પંજાબ કિંગ્સે ઈંઙકમાં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે રવિવારની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ને 54 રનથી હરાવ્યું. દિવસની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં ટોસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. આ સીઝનનો આ હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 200 રન જ બનાવી શકી હતી. પ્રિયાંશ આર્યાના 93 અને કૂપર કોનોલીના 87 રનની મદદથી પંજાબ 250ને પાર પહોંચ્યું હતું. બંનેએ 80 બોલ પર 182 રનની ભાગીદારી કરી હતી. પંજાબે 3 રનના સ્કોર પર પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી પ્રિયાંશ અને કોનોલીએ સદીની ભાગીદારી નોંધાવી હતી. અંતમાં નેહલ વઢેરા (13 રન), શશાંક સિંહ (17 રન) અને માર્કસ સ્ટોઇનિસે (29 રન) નાની પણ ઝડપી ઇનિંગ્સ રમીને ટીમને 254 રન સુધી પહોંચાડી દીધી હતી. લખનઉ તરફથી એમ સિદ્ધાર્થ અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ શમી અને મોહસિન ખાનને એક-એક વિકેટ મળી હતી.
અગરકરનો કાર્યકાળ રિન્યુ થયો, 2027 વર્લ્ડકપ સુધી ટીમ પસંદ કરશે
તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 3 ઈંઈઈ ટાઇટલ જીત્યા; રોહિત-કોહલી જેવા દિગ્ગજોએ નિવૃત્તિ લીધી
- Advertisement -
BCCIએ ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ એક વર્ષ માટે રિન્યુ કર્યો છે. હવે તેઓ 2027માં યોજાનાર વનડે વર્લ્ડ કપ સુધી આ પદ પર રહેશે. ઇઈઈઈંના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી અગઈંને જણાવ્યું કે અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તેઓ પોતાની પરફોર્મન્સના આધારે ચોથા વર્ષ માટે પદ પર રહેશે. ઇઈઈઈંના નિયમો અનુસાર, સિલેક્ટર વધુમાં વધુ ચાર વર્ષ સુધી પદ પર રહી શકે છે. આ પહેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અગરકરે પોતે ઇઈઈઈંને પોતાનો કાર્યકાળ 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી વધારવાની માગ કરી હતી. બોર્ડે 2023માં બે વર્ષ માટે અગરકરને ચીફ સિલેક્ટર બનાવ્યા હતા. 2025માં તેમને પહેલાથી જ એક વર્ષનું એક્સટેન્શન મળી ચૂક્યું હતું. હવે તેમનો કાર્યકાળ 2027 સુધી માટે રિન્યુ કરવામાં આવી રહ્યો છે. આ રીતે અગરકર કુલ ચાર વર્ષ ચીફ સિલેક્ટર રહેશે.



