સતત પાંચ દિવસથી સીઝફાયરનું ઉલ્લંન
પાકિસ્તાની સેનાએ 28-29 એપ્રિલની રાત્રે કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં એલઓસી પર હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો. આ સતત પાંચમા દિવસે સીઝફાયરના ઉલ્લંઘનો છે. ભારતીય સૈન્યએ સંયમ જાળવીને, કાર્યવાહી સાથે અસરકારક રીતે જવાબ આપ્યો.
- Advertisement -
28 એપ્રિલની રાત્રિ દરમિયાન, પાકિસ્તાની સેનાએ સતત પાંચમા દિવસે યુદ્ધવિરામના ઉલ્લંઘનને ચિહ્નિત કરીને, કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) ગોળીબાર શરૂ કર્યો હતો.
રાજદ્વારી મોરચે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા સંદર્ભિત સુરક્ષાના મુખ્ય પગલાંઓની ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને સંબોધવા માટે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
હુમલાના જવાબમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને પુરાવા એકત્ર કરવા માટે તૈનાત કરવામાં આવી હતી, જ્યારે ભારતીય સેનાએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, ભારત સરકારે પાકિસ્તાનમાં સૈન્ય પ્રતિનિધિત્વને અસરકારક રીતે સમાપ્ત કરીને, ઈસ્લામાબાદમાં હાઈકમિશનમાંથી સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચવાની જાહેરાત કરી.
- Advertisement -
કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બુધવારે સવારે બીજી બેઠક
કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)એ હુમલાની સખત નિંદા કરી, પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રદેશની તાજેતરની શાંતિપૂર્ણ ચૂંટણીઓ અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને સંભવિત ક્રોસ બોર્ડર સંડોવણીને પ્રકાશિત કરી.
બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે. CCS બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ- રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ)ની બેઠક પણ થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડૂ સહિતના અન્ય સભ્ય સામેલ થશે. CCPA બાદ PM મોદી ઈકોનોમિક અફેર્સ કમિટીની પણ બેઠકમાં પણ સામેલ થશે અને અંતે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે
સોમવારે પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તે પહેલાં તેમણે આર્મી ચીફ સાથે મુલાકાત કરી કામગીરીની માહિતી મેળવી હતી. બેઠક સાથે સંબંધિત તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. આ આતંકી હુમલાની તપાસ એનઆઈએ કરી રહી છે. તપાસ ટીમે અત્યારસુધી 25 લોકોના નિવેદનો લીધા છે. જેમાં પીડિત અને પ્રત્યક્ષદર્શી સમાવિષ્ટ છે. બૈસરન ખીણમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને દરવાજા પર આતંકવાદીઓ હોવાથી લોકો ભાગી શક્યા ન હોવાનો ખુલાસો થયો છે.