મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈ ચૂંટણી પંચનો આદેશ
રાજ્ય સરકારે જરુરી સ્ટાફ ચૂંટણી પંચને પુરો પાડવો પડશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારની કામગીરી સામે ચૂંટણી પંચે મહત્વનો આદેશ કર્યો છે. છેલ્લા થોડાં સમયથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચે રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણીના કોઈ પણ કાર્યમાં રોકાયેલા કર્મચારીઓની બદલી ચાલુ કામગીરી દરમિયાન ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારને નિર્દેશ આપતા જણાવ્યું કે, જે પણ કર્મચારીઓ ચૂંટણી પંચના નિર્દેશ હેઠળ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હશે તેમની બદલી માટે પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લેવી જરૂરી છે. તેમજ તેના માટેના યોગ્ય અને જરૂરી સ્ટાફ પણ રાજ્ય સરકારે ચૂંટણી પંચને પૂરો પાડવાનો રહેશે.
છેલ્લા ઘણાં સમયથી ચૂંટણી પંચનો એવી ફરિયાદ હતી કે ચૂંટણી માટે યોગ્ય સ્ટાફની નિમણુંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી નથી. ત્યારે ચૂંટણી પંચે તમામ બાબતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારને નિર્દેશ આપતાં કહ્યું કે, જે અધિકારીઓ સામે ચૂંટણીની કામગીરી સામે કાર્યવાહી થઈ હોય તેમની નિમણુંક પણ કરવી ન જોઇએ.
- Advertisement -
તેમજ જો તેવા કર્મચારીઓની જાણ થાય તો તાત્કાલિક ધોરણે તેમને હટાવી લેવા જોઇએ.