By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    15 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    15 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    16 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    16 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    7 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    17 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    17 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Author

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

Khaskhabar Editor
Last updated: 2025/09/06 at 4:40 PM
Khaskhabar Editor 10 months ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

“દ્રાક્ષ ખાટી છે” વાળા ચતુર શિયાળની વાર્તા યાદ છે ? ગ્રીક ફિલસૂફ ઇસપને નામે ચડી ગયેલી મૂળ હિતોપદેશ કે પંચતંત્રની વાર્તા એમ હતી કે શિયાળને દ્રાક્ષના ઝૂમખાં દેખાય છે પણ અનેક પ્રયાસ છતાં તે એને મેળવી શકતું નથી. છેવટે ચતુર શિયાળ શું કરે છે તે આપણે સુપેરે જાણીએ છીએ. શિયાળ “દ્રાક્ષ ખાટી છે” એમ કહીને ચાલતી પકડે છે !!

- Advertisement -

આ વાર્તા ભલે બાળકોને ભણાવવામાં આવે પણ એમાં જે સંદેશ છે તેને સમજવામાં ભલભલા થાપ ખાઈ જાય છે અને સુખ હોવા છતાં એને ભોગવી શકતા નથી.

શિયાળનો પોતાના માઈન્ડ ઉપરનો ક્ધટ્રોલ ગજબ છે. કશુંક નથી મળ્યું તો એનો અપરાધભાવ કે એની વાસના સતત પાળીને મનને કલુષિત કરવા કરતા એક નાના બાળકની જેમ મનને “ફોસલાવી” દેવું વધુ સારો ઉપાય છે.

કેમકે જો મનને ફોસલાવશું કે મનાવિશું નહિ તો મન જ આપણો શત્રુ બની જશે. પૈસે ટકે સમૃદ્ધ એવા અનેક લોકો મનની અમર્યાદિત ઈચ્છાઓની પરિપૂર્તિ કરતા કરતા એવી અવસ્થામાં પહોંચી જાય છે કે જ્યા એમને જીવતર કરતા મૃત્યુ વહાલું લાગે છે અને તેઓ આત્મહત્યા કરે છે. આ પરિણામ છે મન ઉપર સંયમના અભાવનું.

- Advertisement -

હમણાં પર્વાધિરાજ પર્યુષણ નો સમય ચાલે છે. પર્યુષણ પર્વ શરીર અને મનની શુદ્ધિનું પર્વ છે.ક્ષમા, પ્રતિક્રમણ, ઉપવાસ અને ઉપદેશ શ્રવણ દ્વારા મન અને શરીર બેયના ઝેર દૂર થઈ જાય છે.

આજે “અંધ-વિકાસ-પ્રેમી” થયેલા આપણા દેશમાં કદાચ આ સંયમની વાતોને માનવા વાળા ઓછા જડે પણ જ્યા નાણાં ની છલોછલ છે, જ્યા સુખ સમૃદ્ધિનો પાર નથી એવા અમેરિકન અને યુરોપિયન દેશોમાં હવે સાચા સુખની વ્યાખ્યા બદલાઈ છે. ત્યાંના લોકો ભૌતિક સુખોની ઝાકમઝોળ ભોગવી ચુક્યા છે તેથી જાણે છે કે આ સુખોની ઈચ્છાઓનો કોઈ અંત નથી.. આદિનાથ ઋષભદેવ થી લઈને મહાવીર સ્વામી સુધી દીક્ષા /સન્યાસ લેનારાઓ રાજવીઓ હતા જેમણે સુખ સમૃદ્ધિ ભોગવીને સંયાસનું મહત્વ જાણી લીધેલું.

આજે પશ્ચિમી સંશોધકો ઈમોશનલ ક્ધટ્રોલ ઉપર ખૂબ રિસર્ચ કરે છે.(અને આપણે ત્યાં ધર્મને નામે દંભ અને દેખાડા વધતા ચાલ્યા છે) ન્યુઝીલેન્ડમાં 1972થી લાગલગાટ દસ વર્ષ સુધી એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમા એક હજાર બાળકોના જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો. આ પ્રયોગનું નામ હતું : ડનેડીન સ્ટડી. આ પ્રયોગમાં જોવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાના ઇમ્પલ્સ (તીવ્ર લાગણીઓ) ઉપર નિયંત્રણ કરી શકતા હતા તેઓ મોટા થઈને એક સફળ, સુખી જીવન નિર્માણ કરી શક્યા.

જ્યારે જે બાળકોનો સેલ્ફ ક્ધટ્રોલ ઓછો હતો એમને આગળ જતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી. આ બાળકો નિર્ધન, રોગી અને અમુક કેસિસમાં તો ક્રિમીનલ વૃત્તિ વાળા બન્યા.

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ: આ બધા યોગમાર્ગી મતો છે

યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે

આ પ્રયોગે સાબિત કર્યું કે નાનપણથી જે મન ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે.
મન ઉપર નિયંત્રણ ભલે બહુ ચેલેંજીંગ કામ ગણાતું હોય પણ અશક્ય નથી.

વરસો પહેલાં નુસરત ફતેહ અલી ખાને એક કવાલી ગાઈ અને તે બહુ જ પ્રચલિત થઈ ગઈ. કવવાલી હતી : તુમ એક ગોરખધંધા હો… નાઝ ખ્યાલવી નામના શાયરની આ અદભૂત રચના મૂળ તો એ મતલબની હતી કે ઈશ્વર એક ગોરખધંધો છે. પણ આજે લોકોને દારૂ અને પ્રેમ આ બેય વસ્તુઓનો નશો એટલો ચડ્યો છે કે દરેક શાયરીમાં દારૂ અને પ્રેમ શોધતા ફરે છે. હકીકતે આ “ગોરખધંધા” વાળી રચના એક સૂફી રચના હતી અને એમાં ઇશ્વરના સહજ સ્વરૂપની વાત કરવામાં આવી હતી.

પણ સમય જતાં ગોરખધંધા શબ્દ નું અવમૂલ્યન થવા લાગ્યું. લોકો ગોરખધંધો એટલે કોઈ ગેરકાયદેસર કામ એવું માનવા લાગ્યા.

પણ હકીકત શું હતી ?
નાથ સંપ્રદાયના સાધુઓ સન્યાસીઓ હાથમાં બે ધાતુની રીંગ વાળું એક રમકડું લઈને ફરતા. આ રમકડું “ગોરખયંત્ર” કહેવાતું. કહેવાતું કે આની રચના નાથ સંપ્રદાયના પ્રવર્તક એવા ગુરુ મત્સ્યેન્દ્રનાથ ના શિષ્ય એવા ગુરુ ગોરક્ષનાથે કરેલી. આવું રમકડું આજની તારીખે રમકડાંની દુકાને મળી જાય ખરું.

ગોરખયંત્રમાં ધાતુની બે રિંગને એકબીજામાં ફસાવાયેલી રહેતી અને એ ધાતુની બે રિંગ્સ ને કાપ્યા વિના એકબીજાથી અલગ કરવાની ચેલેન્જ આપવામાં આવતી. લોકો મથી મથીને થાકી જાય પણ કોઈ વાતે આ રિંગ્સ એકબીજાથી અલગ થતી નહિ.

છેવટે થાકી હારીને લોકો પેલા સન્યાસીને ગોરક્ષયંત્ર પાછું આપી દેતા અને એને જ આ રિંગ્સ છૂટી પાડી દેવાનું કહેતા. સન્યાસી ચપટી વગાડતાં જ આ બેય રિંગ્સ ને એકબીજાથી અલગ કરી દેતા !! લોકોને આ જોઈને વિસ્મય થતું કે આટલું સરળ હોવા છતાં તેઓને પોતાને કેમ આટલું મથવું પડ્યું?!

ત્યારે સન્યાસી સમજાવતા કે મનને વશ કરવાનું કામ આટલું જ સરળ છે. પણ લોકો અકારણ પોતાની જાતને કષ્ટ આપીને, અનેક કર્મકાંડો , વિધિ વિધાન કરીને મનને વશ કરવા પ્રયાસ કરે છે.

આમ ગોરક્ષ્યંત્ર મનની ગતિ ને પામીને સહજ યોગ પ્રાપ્તિ સમજાવવા માટેનું એક મોડેલ હતું. કવિ નાઝ ખયાલવી એ એની ઉપરથી રચના કરી કે હે ઈશ્વર , તુમ તો એક ગોરખધંધા હો,…અર્થાત્ હે જગતના અધિપતિ તને પામવો એકદમ સહજ છે, .પેલા ગોરક્ષ યંત્રને સોલ્વ કરવા જેમ લોકો મથી મથીને થાકતા એમ હું પણ તને પામવા બહુ મથ્યો છું પણ મને જાણ છે કે તું તો સહજ સરળ સ્વભાવનો છે.

શાયર નાઝ એ ગીતમાં કહે છે કે “મે જીસ્કો કહ રહા હું અપની હસ્તી, અગર વો તું નહિ તો ઓર ક્યા હૈ”.. આ ગીત બહુ માણવા અને જાણવા જેવું છે..

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ — આ બધા મત યોગમાર્ગી મતો છે. યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે. (નાથ સંપ્રદાય અને જૈન મતના ગાઢ સંબંધ અંગે ફરી કોઈવાર લંબાણથી વાત)

મન ઉપર નિયંત્રણ જ અંદર બેઠેલા ઈશ્વર નું દર્શન કરાવી શકે છે.. અને આ મન ઉપરનું નિયંત્રણ ભલે કઠિન ગણાતું હોય ,તે ગોરખયંત્રની જેમ સરળ છે.

પર્વાધિરાજ પર્યુષણ આ સહજ સાધનાનું પર્વ છે. ગુરુ ગોરખનાથના ગોરખયંત્રની બેય રિંગ્સ મન અને આત્મા (ગીતાજીમાં મનને આત્મન કહ્યું છે) છે. બેયને છૂટા પાડવાનું કામ એટલે ધ્યાન. ધ્યાન સરળ કામ છે. જેમ ચતુર શિયાળે ફટ દઈને “દ્રાક્ષ ખાટી” કહી દીધી એટલું જ સરળ કામ છે..

પર્યુષણ પર્વની હાર્દિક શુભકામનાઓ .

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

TAGGED: PARYUSHAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે
Next Article રહેમાનનો જાદુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?