By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    10 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Author

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

Khaskhabar Editor
Last updated: 2025/09/06 at 4:40 PM
Khaskhabar Editor 1 month ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

“દ્રાક્ષ ખાટી છે” વાળા ચતુર શિયાળની વાર્તા યાદ છે ? ગ્રીક ફિલસૂફ ઇસપને નામે ચડી ગયેલી મૂળ હિતોપદેશ કે પંચતંત્રની વાર્તા એમ હતી કે શિયાળને દ્રાક્ષના ઝૂમખાં દેખાય છે પણ અનેક પ્રયાસ છતાં તે એને મેળવી શકતું નથી. છેવટે ચતુર શિયાળ શું કરે છે તે આપણે સુપેરે જાણીએ છીએ. શિયાળ “દ્રાક્ષ ખાટી છે” એમ કહીને ચાલતી પકડે છે !!

- Advertisement -

આ વાર્તા ભલે બાળકોને ભણાવવામાં આવે પણ એમાં જે સંદેશ છે તેને સમજવામાં ભલભલા થાપ ખાઈ જાય છે અને સુખ હોવા છતાં એને ભોગવી શકતા નથી.

શિયાળનો પોતાના માઈન્ડ ઉપરનો ક્ધટ્રોલ ગજબ છે. કશુંક નથી મળ્યું તો એનો અપરાધભાવ કે એની વાસના સતત પાળીને મનને કલુષિત કરવા કરતા એક નાના બાળકની જેમ મનને “ફોસલાવી” દેવું વધુ સારો ઉપાય છે.

કેમકે જો મનને ફોસલાવશું કે મનાવિશું નહિ તો મન જ આપણો શત્રુ બની જશે. પૈસે ટકે સમૃદ્ધ એવા અનેક લોકો મનની અમર્યાદિત ઈચ્છાઓની પરિપૂર્તિ કરતા કરતા એવી અવસ્થામાં પહોંચી જાય છે કે જ્યા એમને જીવતર કરતા મૃત્યુ વહાલું લાગે છે અને તેઓ આત્મહત્યા કરે છે. આ પરિણામ છે મન ઉપર સંયમના અભાવનું.

- Advertisement -

હમણાં પર્વાધિરાજ પર્યુષણ નો સમય ચાલે છે. પર્યુષણ પર્વ શરીર અને મનની શુદ્ધિનું પર્વ છે.ક્ષમા, પ્રતિક્રમણ, ઉપવાસ અને ઉપદેશ શ્રવણ દ્વારા મન અને શરીર બેયના ઝેર દૂર થઈ જાય છે.

આજે “અંધ-વિકાસ-પ્રેમી” થયેલા આપણા દેશમાં કદાચ આ સંયમની વાતોને માનવા વાળા ઓછા જડે પણ જ્યા નાણાં ની છલોછલ છે, જ્યા સુખ સમૃદ્ધિનો પાર નથી એવા અમેરિકન અને યુરોપિયન દેશોમાં હવે સાચા સુખની વ્યાખ્યા બદલાઈ છે. ત્યાંના લોકો ભૌતિક સુખોની ઝાકમઝોળ ભોગવી ચુક્યા છે તેથી જાણે છે કે આ સુખોની ઈચ્છાઓનો કોઈ અંત નથી.. આદિનાથ ઋષભદેવ થી લઈને મહાવીર સ્વામી સુધી દીક્ષા /સન્યાસ લેનારાઓ રાજવીઓ હતા જેમણે સુખ સમૃદ્ધિ ભોગવીને સંયાસનું મહત્વ જાણી લીધેલું.

આજે પશ્ચિમી સંશોધકો ઈમોશનલ ક્ધટ્રોલ ઉપર ખૂબ રિસર્ચ કરે છે.(અને આપણે ત્યાં ધર્મને નામે દંભ અને દેખાડા વધતા ચાલ્યા છે) ન્યુઝીલેન્ડમાં 1972થી લાગલગાટ દસ વર્ષ સુધી એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમા એક હજાર બાળકોના જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો. આ પ્રયોગનું નામ હતું : ડનેડીન સ્ટડી. આ પ્રયોગમાં જોવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાના ઇમ્પલ્સ (તીવ્ર લાગણીઓ) ઉપર નિયંત્રણ કરી શકતા હતા તેઓ મોટા થઈને એક સફળ, સુખી જીવન નિર્માણ કરી શક્યા.

જ્યારે જે બાળકોનો સેલ્ફ ક્ધટ્રોલ ઓછો હતો એમને આગળ જતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી. આ બાળકો નિર્ધન, રોગી અને અમુક કેસિસમાં તો ક્રિમીનલ વૃત્તિ વાળા બન્યા.

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ: આ બધા યોગમાર્ગી મતો છે

યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે

આ પ્રયોગે સાબિત કર્યું કે નાનપણથી જે મન ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે.
મન ઉપર નિયંત્રણ ભલે બહુ ચેલેંજીંગ કામ ગણાતું હોય પણ અશક્ય નથી.

વરસો પહેલાં નુસરત ફતેહ અલી ખાને એક કવાલી ગાઈ અને તે બહુ જ પ્રચલિત થઈ ગઈ. કવવાલી હતી : તુમ એક ગોરખધંધા હો… નાઝ ખ્યાલવી નામના શાયરની આ અદભૂત રચના મૂળ તો એ મતલબની હતી કે ઈશ્વર એક ગોરખધંધો છે. પણ આજે લોકોને દારૂ અને પ્રેમ આ બેય વસ્તુઓનો નશો એટલો ચડ્યો છે કે દરેક શાયરીમાં દારૂ અને પ્રેમ શોધતા ફરે છે. હકીકતે આ “ગોરખધંધા” વાળી રચના એક સૂફી રચના હતી અને એમાં ઇશ્વરના સહજ સ્વરૂપની વાત કરવામાં આવી હતી.

પણ સમય જતાં ગોરખધંધા શબ્દ નું અવમૂલ્યન થવા લાગ્યું. લોકો ગોરખધંધો એટલે કોઈ ગેરકાયદેસર કામ એવું માનવા લાગ્યા.

પણ હકીકત શું હતી ?
નાથ સંપ્રદાયના સાધુઓ સન્યાસીઓ હાથમાં બે ધાતુની રીંગ વાળું એક રમકડું લઈને ફરતા. આ રમકડું “ગોરખયંત્ર” કહેવાતું. કહેવાતું કે આની રચના નાથ સંપ્રદાયના પ્રવર્તક એવા ગુરુ મત્સ્યેન્દ્રનાથ ના શિષ્ય એવા ગુરુ ગોરક્ષનાથે કરેલી. આવું રમકડું આજની તારીખે રમકડાંની દુકાને મળી જાય ખરું.

ગોરખયંત્રમાં ધાતુની બે રિંગને એકબીજામાં ફસાવાયેલી રહેતી અને એ ધાતુની બે રિંગ્સ ને કાપ્યા વિના એકબીજાથી અલગ કરવાની ચેલેન્જ આપવામાં આવતી. લોકો મથી મથીને થાકી જાય પણ કોઈ વાતે આ રિંગ્સ એકબીજાથી અલગ થતી નહિ.

છેવટે થાકી હારીને લોકો પેલા સન્યાસીને ગોરક્ષયંત્ર પાછું આપી દેતા અને એને જ આ રિંગ્સ છૂટી પાડી દેવાનું કહેતા. સન્યાસી ચપટી વગાડતાં જ આ બેય રિંગ્સ ને એકબીજાથી અલગ કરી દેતા !! લોકોને આ જોઈને વિસ્મય થતું કે આટલું સરળ હોવા છતાં તેઓને પોતાને કેમ આટલું મથવું પડ્યું?!

ત્યારે સન્યાસી સમજાવતા કે મનને વશ કરવાનું કામ આટલું જ સરળ છે. પણ લોકો અકારણ પોતાની જાતને કષ્ટ આપીને, અનેક કર્મકાંડો , વિધિ વિધાન કરીને મનને વશ કરવા પ્રયાસ કરે છે.

આમ ગોરક્ષ્યંત્ર મનની ગતિ ને પામીને સહજ યોગ પ્રાપ્તિ સમજાવવા માટેનું એક મોડેલ હતું. કવિ નાઝ ખયાલવી એ એની ઉપરથી રચના કરી કે હે ઈશ્વર , તુમ તો એક ગોરખધંધા હો,…અર્થાત્ હે જગતના અધિપતિ તને પામવો એકદમ સહજ છે, .પેલા ગોરક્ષ યંત્રને સોલ્વ કરવા જેમ લોકો મથી મથીને થાકતા એમ હું પણ તને પામવા બહુ મથ્યો છું પણ મને જાણ છે કે તું તો સહજ સરળ સ્વભાવનો છે.

શાયર નાઝ એ ગીતમાં કહે છે કે “મે જીસ્કો કહ રહા હું અપની હસ્તી, અગર વો તું નહિ તો ઓર ક્યા હૈ”.. આ ગીત બહુ માણવા અને જાણવા જેવું છે..

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ — આ બધા મત યોગમાર્ગી મતો છે. યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે. (નાથ સંપ્રદાય અને જૈન મતના ગાઢ સંબંધ અંગે ફરી કોઈવાર લંબાણથી વાત)

મન ઉપર નિયંત્રણ જ અંદર બેઠેલા ઈશ્વર નું દર્શન કરાવી શકે છે.. અને આ મન ઉપરનું નિયંત્રણ ભલે કઠિન ગણાતું હોય ,તે ગોરખયંત્રની જેમ સરળ છે.

પર્વાધિરાજ પર્યુષણ આ સહજ સાધનાનું પર્વ છે. ગુરુ ગોરખનાથના ગોરખયંત્રની બેય રિંગ્સ મન અને આત્મા (ગીતાજીમાં મનને આત્મન કહ્યું છે) છે. બેયને છૂટા પાડવાનું કામ એટલે ધ્યાન. ધ્યાન સરળ કામ છે. જેમ ચતુર શિયાળે ફટ દઈને “દ્રાક્ષ ખાટી” કહી દીધી એટલું જ સરળ કામ છે..

પર્યુષણ પર્વની હાર્દિક શુભકામનાઓ .

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: PARYUSHAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે
Next Article રહેમાનનો જાદુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?