By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    5 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    7 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    5 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    5 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    5 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    5 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    7 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે મેઘ કહેરની સ્થિતિ: હિમાચલમાં 80 તો પંજાબમાં 10નાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે મેઘ કહેરની સ્થિતિ: હિમાચલમાં 80 તો પંજાબમાં 10નાં મોત
રાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે મેઘ કહેરની સ્થિતિ: હિમાચલમાં 80 તો પંજાબમાં 10નાં મોત

Khaskhabar Editor
Last updated: 2023/07/12 at 10:33 AM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

 

વરસાદ અને પૂરના કારણે પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી સ્થિતિ વધુ ખરાબ, દિલ્હી રેલ્વે બ્રિજની નીચેથી વહેતી યમુના નદીનો પ્રવાહ 207.18 મીટરે પહોંચ્યો

- Advertisement -

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે મેઘ કહેરની સ્થિતિ સર્જાઇ છે. આ તરફ દિલ્લી-હરિયાણામાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં 1318 રસ્તાઓ બંધ તો ઉત્તરાખંડમાં 273 રસ્તાઓ બંધ છે. આ સાથે ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈ વે પર ભૂસ્ખલન થયું છે. આ તરફ મણિકર્ણ અને બંજારમાં 17 હજાર મુસાફરો ફસાયા તો જોશીમઠ-મલારી હાઈ વે પરનો પૂલ ધરાશાયી થયો છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં યમુનાનું જળસ્તર 207.18 મીટરે પહોંચ્યું છે.

ઉત્તર ભારતમાં અવિરત વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત છે. સ્થિતિ એવી છે કે, પર્વતોથી મેદાનો સુધી નદીઓ વહેતી થઈ ગઈ છે અને તેના દરિયાકાંઠાના વિસ્તારો ક્યાંક ડૂબી ગયા છે અને લોકો તેના આતંકના છાયામાં જીવી રહ્યા છે. એક તરફ હિમાચલ પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે તો બીજી તરફ પંજાબમાં નદીના બંધ તૂટી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે, જ્યારે મથુરામાં પણ નદીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. હિમાચલમાં 80 લોકોના મોત થયા છે જ્યારે ચંદીગઢમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.

#WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge.

- Advertisement -

Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level – 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe

— ANI (@ANI) July 12, 2023

હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ યમુનામાં પાણી વધી ગયું છે. 12 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્તર 207.08 નોંધાયું હતું, જ્યારે તે સવારે 7 વાગ્યે વધીને 207.18 થઈ ગયું હતું. PTI અનુસાર અત્યાર સુધી યમુનાનું મહત્તમ જળસ્તર વર્ષ 1978માં 207.49 નોંધાયું હતું. અધિકારીઓએ મંગળવારે જ ચેતવણી આપી હતી કે, દિલ્હીમાં યમુના નદી તેનું ઉચ્ચ સ્તર રેકોર્ડ કરી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળસ્તર 10 વર્ષના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

સેન્ટ્રલ વોટર કમિશનના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે સાંજે 5 વાગ્યે 205.4 મીટરથી વધીને મંગળવારે રાત્રે 8 વાગ્યે 206.76 મીટર થયું કારણ કે હરિયાણાએ હથનીકુંડમાંથી નદીમાં વધુ પાણી છોડ્યું હતું. સીડબ્લ્યુસીએ યમુનાનું જળસ્તર 207 મીટર સુધી વધવાની આશા પણ વ્યક્ત કરી હતી. દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. કાશ્મીરી ગેટના મોન્સ્ટી માર્કેટમાં પૂરના પાણી પહોંચી ગયા છે. અહીં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શેરીઓમાં પાણી વહી રહ્યું છે.

મથુરામાં પણ એલર્ટ
વરસાદને કારણે મથુરામાં પણ યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે. SSP મથુરા શૈલેષ કુમાર પાંડેએ કહ્યું કે, નદી કિનારે આવેલા તમામ પોલીસ સ્ટેશનોને આ વિસ્તારમાં તકેદારી વધારવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય એજન્સીઓ સાથે પણ સંકલન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે જેથી પાણી ભરાઈ જવાની સ્થિતિમાં લોકોને તાત્કાલિક બહાર કાઢી શકાય.

Mathura Police on alert as water level rises in Yamuna

Read @ANI Story | https://t.co/o8eh8gLu9Z#Mathura #Mathurapolice #Yamuna #YamunaWaterLevel pic.twitter.com/ghx3udVBNn

— ANI Digital (@ani_digital) July 12, 2023

ચંદીગઢમાં 10ના મોત
આ તરફ ચંદીગઢમાં પૂરની સ્થિતિ પર પંજાબના મહેસૂલ મંત્રી બ્રહ્મ શંકર ઝિમ્પાનું કહેવું છે કે, પંજાબના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે, નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે CM ભગવંત માને તમામ ડેપ્યુટી કમિશનરોને 33.5 કરોડ રૂપિયાનું રાહત ફંડ બહાર પાડ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગને 2 કરોડ રૂપિયાનું રાહત ફંડ આપવામાં આવ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી મદદની આશા પણ વ્યક્ત કરી છે.

Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023

પંજાબના સંગરુરમાં ઘગ્ગર નદીનો કહેર
તાજેતરના અપડેટ અનુસાર સંગરુરના મૂનક વિસ્તારમાં 3 જગ્યાએ ઘગ્ગર નદીનો બંધ તૂટી ગયો છે. મોડી રાત્રે નદી ખતરાના નિશાનથી 2 ફૂટ ઉપર વહી રહી હતી. આ પછી આસપાસના વિસ્તારમાં પાણી ઝડપથી વધવા લાગ્યું. વહીવટીતંત્રની ટીમો બે દિવસથી રાત-દિવસ ઘગ્ગરના કિનારે તૈનાત રહી હતી.

#WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB

— ANI (@ANI) July 12, 2023

હિમાચલ પ્રદેશમાં ખરાબ સ્થિતિ
હિમાચલ પ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં કુલ્લુ ખીણમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે, મેં સાંઈજની પણ મુલાકાત લીધી હતી, જ્યાં 40 દુકાનો અને 30 મકાનો ધોવાઈ ગયા છે. ત્યાં અમે એક લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે. અમારો ટાર્ગેટ રોડને ફરી ખોલવાનો છે.

#WATCH | Manali: Flash floods in Himachal Pradesh witnessed following incessant rainfall in the state, causing landslides & bridge collapse. pic.twitter.com/F8kfJjz1CD

— ANI (@ANI) July 11, 2023

અત્યાર સુધીમાં કુલ 80 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 80 લોકોના મોત થયા છે અને 92 લોકો ઘાયલ થયા છે. 79 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે અને 333 મકાનોને આંશિક નુકસાન થયું છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે લગભગ 1050 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 41 જગ્યાએ ભૂસ્ખલન થયું છે, એક જગ્યાએ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જ્યારે 29 જગ્યાએ અચાનક પૂરની સ્થિતિ સામે આવી છે.

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

TAGGED: flood, HEAVYRAIN, Himachalpradesh, MATHURA, monsoon, northindia, PUNJAB
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોલીવુડની પાર્ટીમાં શું થાય છે એના પર લોકોએ ધ્યાન ન આપવું જોઈએ : હુમા
Next Article દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધતા પૂરનું સંકટ! નીચાણવાળા વિસ્તારમાંથી એકસાથે 14 હજાર લોકોને કરાયા શિફ્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?