By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    9 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    11 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    8 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    9 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    12 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
ધર્મ

diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો

Khaskhabar Editor
Last updated: 2024/10/30 at 11:35 AM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

કાળીચૌદસના દિવસે કરો અભ્યંગ સ્નાન, આખું વર્ષ બીમારીથી બચશો, જ્યોતિષના મતે જાણો મહત્વ

દરેક ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે, માર્કેટમાં છેલ્લી ઘડીની ખરીદીની ભીડ છે. મીઠાઈની દુકાનો પર લાઈનો લાગી રહી છે, બાળકોની શાળામાં વેકેશન પડી ચૂક્યુ છે. કારણ કે, દિવાળી આવી ગઈ છે. તહેવારોની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. બાળકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, તો મોટેરા પૂજા પાઠ કરીને, જુદી જુદી રીતે દિવાળી ઉજવી રહ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે, જેમાં દરેક દુઃખને, સ્ટ્રેસને ભૂલીને દરેક વ્યક્તિ ઉજવણી કરે છે.

- Advertisement -

આમ તો આપણને બધાને ખબર છે, 14 વર્ષના વનવાસ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ ઘરે પાછા આવ્યા, ત્યારથી દિવાળીની ઉજવણી શરૂ થઈ, પરંતુ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોની ઉજવણી સાથે જુદી જુદી પરંપરા જોડાયેલી છે. જે સદીઓથી ચાલી આવે છે. જેમાંથી કેટલીક વિધિ અને પરંપરાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમકે કાળી ચૌદસના દિવસે કરવામાં આવ્યું અભ્યંગ સ્નાન, જેમાં અત્તર અને તેલથી સ્નાન કરવાનું હોય છે.

ધનતેરસની ઉજવણીની ખાસ વાત

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. સોના ચાંદીની ખરીદી થાય છે, એ તો બધાને જ ખબર છે. આ દિવસે એક મૂહર્ત જોઇને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડા પૂજન અને જે પણ વ્યવસાય હોય તેની પૂજા કરીને આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. ધનતેરસની ઉજવણી પાછળની માન્યતા એવી છે કે દેવી લક્ષ્મીનું આહ્વાન કરતા પહેલાં, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમને જણાવી દઇએ કે કુબેર પણ આસુરી શક્તિને દૂર કરનાર દેવ છે.

- Advertisement -

પરંતુ ધનતેરસ એ આરોગ્ય માટે પણ મહત્વનો દિવસ છે, જે ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. જેનું કારણ છે કે ભગવાન ધન્વંતરીને દવા અને સારવારના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રો અને વેદો, પુરાણો પ્રમાણે ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે. આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ છે, ભાગવત પુરાણ અનુસાર, ધનતેરસના દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલિ પાસેથી ત્રણ લોકનું દાન માગ્યું હતી અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી.

કાળી ચૌદસ / નરક ચતુર્દશી (શક્તિ અને શુદ્ધિ માટેનો દિવસ)
ધનતેરસ બાદ આવે છે કાળી ચૌદસનો દિવસ. જે દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો નાશ કર્યો હતો, આ દિવસ નકારત્મક્તા પર સકારાત્મકતાના વિજયનો પ્રતિક છે. કાળી ચૌદસના દિવસે અનેક માન્યતા હોય છે, એવું પણ સાંભાળ્યું હશે કે આ દિવસે લોકો ઘરમાં ભજીયા બનાવે છે અને તે ભજીયા ઘરમાંથી કાઢીને ચાર રસ્તે મૂકવામાં આવે છે. તેનું કારણ છે કે, આ ભજીયા થકી ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જા અને કકળાટ તેઓ ઘરની બહાર કાઢે છે. આ વિધિ થકી ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય તેવું માનવામાં આવે છે. આખા વર્ષમાં ફક્ત આ દિવસે જ આ વિધિ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે માતા કાળીની પૂજન પણ કરવામાં આવે છે. પણ તમને ખબર છે આ દિવસે અભ્યંગ સ્નાન પણ કરવામાં આવે છે જેની એક જૂની માન્યતા છે.

અભ્યંગ સ્નાન શું છે કેમ કરવામાં આવે ?
પ્રખ્યાત એસ્ટ્રોલોજર અંકિત શાહના કહેવા અનુસાર અભ્યંગ સ્નાન સદીઓ પહેલા ઋષિમુનિઓ કરતા હતા, જેનું એક માત્ર કારણ હતું કે, શિયાળાની ઋતુ દિવાળી બાદ આવતી હોય છે એટલે તેમાં કોઇ પણ રોગ ના થાય એટલે આ સ્નાન કરવામાં આવે છે. પરંતુ યુગ બદલાતા આ પરંપરા લુપ્ત થતી જાય છે. પણ અભ્યંગ સ્નાન કરવાથી અનેક ફાયદા છે, કાળી ચૌદસની સવારે, અત્તર અને તેલ સાથે સ્નાન કરી શરીર અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. જે બાદ જ નકારાત્મકતાના નિવારણ માટે માતા કાળી અથવા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

દિવાળી (પ્રકાશ અને લક્ષ્મી પૂજા માટેનો દિવસ)
દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ અને પ્રકાશ પર્વ. જેમાં દુઃખ કે આફતરૂપી અંધકાર દૂર કરી સફળતા અને સુઃખ રૂપી સુરજ ઉગવાના પ્રતીક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે પ્રભુ રામચંદ્રજીના અયોધ્યામાં પાછા ફર્યા હતા, જેને લીધે પ્રકાશના અંધકાર પર વિજય તરીકે આ ઉત્સવ ઉજવાય છે.

આ દિવસ માતા લક્ષ્મી માટે સમર્પિત છે. સાંજે પરિવાર એકત્ર થઈ માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે. ઘરની સુ:ખ અને શાંતિ માટે. આ પૂજામાં મીઠાઈ, ફૂલો અને મિશ્ઠાનનો ભોગ ચઢાવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે, જે આનંદ અને પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ ત્રણ દિવસ શરીર, મન અને આત્માની શુદ્ધિ અને શાંતિની યાત્રાનો દિવસ છે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

TAGGED: Abhyanga bath, Abhyanga bath on Kali Chaudas, Diwali 2024, Kali Chaudas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેટોડામાં મંજૂરી વગર ફટાકડાંનો સ્ટોલ ચાલું કરનાર વેપારી સામે ગુનો
Next Article diwali 2024: આજે કાળી ચૌદશના દિવસે રાત્રિના સમયે હનુમાનજીની પૂજા કરવાનું હોય છે અનેરું મહત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?