By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    5 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    6 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    6 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    6 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    6 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    6 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    6 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    7 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    6 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    6 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    7 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    7 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
ધર્મ

diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો

Khaskhabar Editor
Last updated: 2024/10/30 at 11:35 AM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

કાળીચૌદસના દિવસે કરો અભ્યંગ સ્નાન, આખું વર્ષ બીમારીથી બચશો, જ્યોતિષના મતે જાણો મહત્વ

દરેક ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે, માર્કેટમાં છેલ્લી ઘડીની ખરીદીની ભીડ છે. મીઠાઈની દુકાનો પર લાઈનો લાગી રહી છે, બાળકોની શાળામાં વેકેશન પડી ચૂક્યુ છે. કારણ કે, દિવાળી આવી ગઈ છે. તહેવારોની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. બાળકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, તો મોટેરા પૂજા પાઠ કરીને, જુદી જુદી રીતે દિવાળી ઉજવી રહ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે, જેમાં દરેક દુઃખને, સ્ટ્રેસને ભૂલીને દરેક વ્યક્તિ ઉજવણી કરે છે.

- Advertisement -

આમ તો આપણને બધાને ખબર છે, 14 વર્ષના વનવાસ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ ઘરે પાછા આવ્યા, ત્યારથી દિવાળીની ઉજવણી શરૂ થઈ, પરંતુ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોની ઉજવણી સાથે જુદી જુદી પરંપરા જોડાયેલી છે. જે સદીઓથી ચાલી આવે છે. જેમાંથી કેટલીક વિધિ અને પરંપરાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમકે કાળી ચૌદસના દિવસે કરવામાં આવ્યું અભ્યંગ સ્નાન, જેમાં અત્તર અને તેલથી સ્નાન કરવાનું હોય છે.

ધનતેરસની ઉજવણીની ખાસ વાત

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. સોના ચાંદીની ખરીદી થાય છે, એ તો બધાને જ ખબર છે. આ દિવસે એક મૂહર્ત જોઇને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડા પૂજન અને જે પણ વ્યવસાય હોય તેની પૂજા કરીને આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. ધનતેરસની ઉજવણી પાછળની માન્યતા એવી છે કે દેવી લક્ષ્મીનું આહ્વાન કરતા પહેલાં, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમને જણાવી દઇએ કે કુબેર પણ આસુરી શક્તિને દૂર કરનાર દેવ છે.

- Advertisement -

પરંતુ ધનતેરસ એ આરોગ્ય માટે પણ મહત્વનો દિવસ છે, જે ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. જેનું કારણ છે કે ભગવાન ધન્વંતરીને દવા અને સારવારના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રો અને વેદો, પુરાણો પ્રમાણે ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે. આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ છે, ભાગવત પુરાણ અનુસાર, ધનતેરસના દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલિ પાસેથી ત્રણ લોકનું દાન માગ્યું હતી અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી.

કાળી ચૌદસ / નરક ચતુર્દશી (શક્તિ અને શુદ્ધિ માટેનો દિવસ)
ધનતેરસ બાદ આવે છે કાળી ચૌદસનો દિવસ. જે દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો નાશ કર્યો હતો, આ દિવસ નકારત્મક્તા પર સકારાત્મકતાના વિજયનો પ્રતિક છે. કાળી ચૌદસના દિવસે અનેક માન્યતા હોય છે, એવું પણ સાંભાળ્યું હશે કે આ દિવસે લોકો ઘરમાં ભજીયા બનાવે છે અને તે ભજીયા ઘરમાંથી કાઢીને ચાર રસ્તે મૂકવામાં આવે છે. તેનું કારણ છે કે, આ ભજીયા થકી ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જા અને કકળાટ તેઓ ઘરની બહાર કાઢે છે. આ વિધિ થકી ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય તેવું માનવામાં આવે છે. આખા વર્ષમાં ફક્ત આ દિવસે જ આ વિધિ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે માતા કાળીની પૂજન પણ કરવામાં આવે છે. પણ તમને ખબર છે આ દિવસે અભ્યંગ સ્નાન પણ કરવામાં આવે છે જેની એક જૂની માન્યતા છે.

અભ્યંગ સ્નાન શું છે કેમ કરવામાં આવે ?
પ્રખ્યાત એસ્ટ્રોલોજર અંકિત શાહના કહેવા અનુસાર અભ્યંગ સ્નાન સદીઓ પહેલા ઋષિમુનિઓ કરતા હતા, જેનું એક માત્ર કારણ હતું કે, શિયાળાની ઋતુ દિવાળી બાદ આવતી હોય છે એટલે તેમાં કોઇ પણ રોગ ના થાય એટલે આ સ્નાન કરવામાં આવે છે. પરંતુ યુગ બદલાતા આ પરંપરા લુપ્ત થતી જાય છે. પણ અભ્યંગ સ્નાન કરવાથી અનેક ફાયદા છે, કાળી ચૌદસની સવારે, અત્તર અને તેલ સાથે સ્નાન કરી શરીર અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. જે બાદ જ નકારાત્મકતાના નિવારણ માટે માતા કાળી અથવા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

દિવાળી (પ્રકાશ અને લક્ષ્મી પૂજા માટેનો દિવસ)
દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ અને પ્રકાશ પર્વ. જેમાં દુઃખ કે આફતરૂપી અંધકાર દૂર કરી સફળતા અને સુઃખ રૂપી સુરજ ઉગવાના પ્રતીક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે પ્રભુ રામચંદ્રજીના અયોધ્યામાં પાછા ફર્યા હતા, જેને લીધે પ્રકાશના અંધકાર પર વિજય તરીકે આ ઉત્સવ ઉજવાય છે.

આ દિવસ માતા લક્ષ્મી માટે સમર્પિત છે. સાંજે પરિવાર એકત્ર થઈ માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે. ઘરની સુ:ખ અને શાંતિ માટે. આ પૂજામાં મીઠાઈ, ફૂલો અને મિશ્ઠાનનો ભોગ ચઢાવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે, જે આનંદ અને પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ ત્રણ દિવસ શરીર, મન અને આત્માની શુદ્ધિ અને શાંતિની યાત્રાનો દિવસ છે.

You Might Also Like

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે

TAGGED: Abhyanga bath, Abhyanga bath on Kali Chaudas, Diwali 2024, Kali Chaudas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેટોડામાં મંજૂરી વગર ફટાકડાંનો સ્ટોલ ચાલું કરનાર વેપારી સામે ગુનો
Next Article diwali 2024: આજે કાળી ચૌદશના દિવસે રાત્રિના સમયે હનુમાનજીની પૂજા કરવાનું હોય છે અનેરું મહત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢધર્મ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?