By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    19 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    16 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    16 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    16 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    18 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    19 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કિન્નર-પતિ એરાવણનો વિવાહ-સમારોહ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કિન્નર-પતિ એરાવણનો વિવાહ-સમારોહ!
AuthorParakh Bhattધર્મ

કિન્નર-પતિ એરાવણનો વિવાહ-સમારોહ!

Khaskhabar Editor
Last updated: 2022/01/08 at 2:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

દક્ષિણ ભારતનાં કિન્નરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે, એરાવણ અને કિન્નરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે.

-પરખ ભટ્ટ

સામાન્ય રીતે મા બહુચરાને કિન્નરોની જનની તથા આદ્યદેવી માનવામાં આવે છે, પરંતુ તેમના દેવતા એરાવણ (જેને ઇરાવણ તેમજ અરાવણ પણ કહે છે) અંગે ઘણા ઓછા લોકોને માહિતી છે. તમિલનાડુમાં એરાવણનાં મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતનાં ક્ધિનરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે. એરાવણ અને ક્ધિનરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે એરાવણ આખરે છે કોણ અને શા માટે તેઓ ફક્ત એક દિવસ માટે લગ્ન કરે છે? આ તમામ પ્રશ્ર્નોનો જવાબ મહાભારતના પાનાં વચ્ચે દફન છે.

Contents
દક્ષિણ ભારતનાં કિન્નરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે, એરાવણ અને કિન્નરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે.-પરખ ભટ્ટ

- Advertisement -

અર્જુન અને નાગકન્યા ઉલુપીની કથા
મહાભારતની એક કથા અનુસાર, પાંચેય પાંડવોએ એકબીજાને વચન આપ્યું હતું કે દ્રૌપદી એમની સાથે એક-એક વર્ષ વીતાવશે. દ્રૌપદી જ્યારે કોઈ એક પાંડવ સાથે રાજમહેલમાં સમય વીતાવી રહી હોય, એ દરમિયાન અન્ય પાંડવભાઈ માટે રાજમહેલમાં પ્રવેશ નિષેધ ગણાશે, પરંતુ અર્જુન દ્વારા એક વખત આ વચનનો ભંગ થતાં તેને ઇન્દ્રપ્રસ્થ છોડી તીર્થયાત્રા પર જતાં રહેવાનો આદેશ અપાય છે. રાજમહેલમાંથી એક વર્ષ માટે નિષ્કાસિત થયા બાદ અર્જુન ઉત્તર-પૂર્વ ભારત તરફ ભ્રમણ શરૂ કરે છે, જ્યાં તેની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉલુપી સાથે થાય છે. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જતાં થોડા સમયની અંદર તેઓ વિવાહનાં બંધનમાં બંધાઈને ઘર-સંસાર માંડી દે છે. અમુક મહિનાઓ બાદ ઉલુપીને પેટે એક પુત્રરત્ન અવતરે છે, જેનું નામ રાખવામાં આવે છે: એરાવણ! અર્જુનના અપરાધને એક વર્ષ પૂરું થવાની તૈયારીમાં હોય છે જેથી તે ઉલુપી અને એરાવણને એકલા મૂકી ઇન્દ્રપ્રસ્થ જવા રવાના થઈ જાય છે. બીજી બાજુ, માતા સાથે નાગલોકમાં વસવાટ કરી રહેલો એરાવણ ધીરે-ધીરે મોટો થતો જાય છે. યુવાનીનો ઉંબરો વટાવતાંની સાથે જ એરાવણ પોતાનાં પિતા પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરે છે. નાગલોકમાં જ્યારે આ ઘટના બની રહી છે ત્યારે ઇન્દ્રપ્રસ્થમાં યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. એરાવણ અર્જુન પાસે પહોંચે છે, ત્યારે પાંડવો તેને મહાભારતના યુધ્ધમાં સામેલ થઈ જવા કહે છે. યુધ્ધનાં 18 દિવસ દરમિયાન એક સમય એવો પણ આવે છે, જ્યારે પાંડવોને પોતાની જીત માટે કાલી માતાના ચરણોમાં એક સ્વૈચ્છિક નર-બલિ (રાજકુમાર)ની આવશ્યકતા ઉભી થાય છે! પાંચાલીનાં એકેય પુત્રો પોતાનું બલિદાન આપવા તૈયાર નથી થતાં, એવા સમયે એરાવણ કાલી માતાના ચરણોમાં પોતાનું મસ્તક ધરવા તૈયાર થઈ જાય છે, પરંતુ શરત એટલી કે તે અવિવાહિત નહી મરે! એરાવણની આ આકરી શરતને લીધે સૌ કોઈ ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય છે. લગ્ન કર્યાનાં એક દિવસમાં જ એરાવણની પત્ની વિધવા થઈ જશે, એવું જાણતાં હોવા છતાં કયો રાજા પોતાની દીકરીને તેની સાથે પરણાવવા માટે રાજી થાય! કોઈ ઉપાય ન જડતાં, આખરે કૃષ્ણ પોતે મોહિનીનો અવતાર લઈને એરાવણ સાથે લગ્ન કરે છે. શરત અનુસાર, બીજા જ દિવસે એરાવણ કાલી માતાનાં ચરણોમાં પોતાનું મસ્તક અર્પણ કરીને પાંડવો માટે જીતના દ્વાર ખોલી આપે છે! એરાવણનાં મૃત્યુ બાદ મોહિની સ્વરૂપ શ્રીકૃષ્ણ ઘણા સમય સુધી પોતાનાં પતિની યાદમાં વિલાપ કરે છે. પુરૂષ થઈને સ્ત્રીનાં દેહમાં એરાવણ સાથે લગ્ન કરી કિન્નર સમાજનું પ્રતિનિધિત્વ કરનાર કૃષ્ણની પરંપરાને આજે પણ હિજડા-સમાજ એ રીતે જ આગળ વધારી રહ્યો છે.

તમિલનાડુનું સૌથી પ્રાચીન અને મુખ્ય એરાવણ મંદિર અત્યારે તો ભગવાન એરાવણના કંઈ-કેટલાય મંદિરો સમગ્ર તમિલનાડુમાં જોવા મળી શકે છે, પરંતુ તેમનું સૌથી પ્રાચીન મંદિર વિલ્લુપુરમ જિલ્લાનાં કૂવગમ ખાતે સ્થિત છે. ‘કૂથનદવર મંદિર’નાં નામે ઓળખાતું આ ધર્મસ્થળ કિન્નર સમાજ માટે સૌથી પૂજનીય માનવામાં આવે છે. રાજસ્થાનનાં ખાટુશ્યામજીમાં થતી બર્બરિકની પૂજા માફક, અહીં પણ એરાવણનાં મસ્તકની આરાધના થાય છે. કૂવગમ ગામમાં દર તમિલ નૂતનવર્ષની પહેલી પૂનમે અઢાર દિવસો સુધી ચાલનારા ઉત્સવનો પ્રારંભ થાય છે. ભારતનાં ખૂણેખૂણામાંથી કિન્નરો અહીંયા એકત્રિત થઈ એકબીજા સાથે પ્રેમથી હળીમળીને એરાવણની આરાધના કરે છે. શરૂઆતનાં સોળ દિવસો સુધી તેઓ દરેક પ્રકારનાં મધુર સંગીત પર નાચ-ગાનનું આયોજન ગોઠવે છે. ઉત્સવ દરમિયાન તેઓ ગોળાકાર ઘેરો બનાવી તાળીઓ પાડતાં-પાડતાં નૃત્ય-આરાધનામાં લીન થાય છે. ચારે કોર તેમના હાસ્ય-મલકાટ અને ઉત્સાહનાં પડઘા સંભળાય છે. લગ્નની ભરપૂર તૈયારીઓ વચ્ચે તમામ કિન્નરો એકબીજાની તબિયતનું પણ ખાસ ધ્યાન રાખે છે. જેમ-જેમ લગ્નનો દિવસ નજીક આવતો જાય છે તેમ વાતાવરણમાં કપૂર અને ચમેલીનાં ફૂલોની મહેક વધવા માંડે છે. સત્તરમા દિવસે મંદિરનાં પુરોહિત દ્વારા એક વિશેષ-પૂજાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં એરાવણ દેવને નારિયેળ ચઢાવી તમામ કિન્નરોનાં ગળામાં મંગળસૂત્ર પહેરાવી દેવામાં આવે છે. ત્યારબાદ, પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કિન્નરોને એરાવણની મૂર્તિ સાથે પરણાવી દેવાય છે. એ રાતે પણ વિશેષ ઉત્સવનું આયોજન થયેલું હોય છે, જ્યાં કિન્નરો પોતાનાં વૈવાહિક જીવનને ખૂબ ઉલ્લાસભેર ઉજવે છે. છેલ્લા એટલે કે અઢારમા દિવસે એરાવણની મૂર્તિને આખા ગામમાં નગરયાત્રા કરાવ્યા બાદ એક નિશ્ચિત જગ્યા પર તોડી નંખાય છે. આ સાથે તમામ કિન્નરો પોતાનાં ગળામાં પહેરેલા મંગળસૂત્રોને પણ તોડી નાંખે છે. ચહેરા પર કરવામાં આવેલો સાજ-શૃંગાર મિટાવી તેઓ સફેદ કપડાંમાં પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે. એમના હ્રદયની પીડા એટલી વલોવી નાંખે એવી હોય છે કે રૂદનનાં અવાજો આખા ગામમાં સંભળાય છે! આખો કિન્નર સમાજ જોર-જોરથી પોતાની છાતી પીટીને એરાવણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. તેમનાં જીવનની કરૂણતા, વલોપાત અને એક દિવસ માટેનો દુલ્હનનો શૃંગાર તેમની આંખોમાં સ્પષ્ટપણે વર્તાઈ આવે છે, જેને જોઈને ગામનાં લોકોની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગે છે. ઓગણીસમા દિવસે તેમના આરાધના-ઉત્સવનું સમાપન કરી દેવામાં આવે છે. પછીનાં વર્ષની પહેલી પૂનમ પર મળવાનો વાયદો કરી, આખો કિન્નર સમાજ ભારે હ્રદય સાથે પોતપોતાના ઘેર જવા રવાના થઈ જાય છે.

- Advertisement -

આજનાં આધુનિક જમાનામાં આપણે કદાચ એ ભૂલી ગયા છીએ કે કિન્નરોને પણ એક હ્રદય હોય છે, જે લાગણી અનુભવે છે! સુખ-દુ:ખનો અહેસાસ કરવાનું જાણે છે. ‘અસ્મિતા પર્વ-21’માં મોરારિબાપુએ કિન્નર સમાજનાં મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પોતાનો પક્ષ મૂકવા આમંત્રણ આપ્યું હતું, જે ખૂબ સરાહનીય બાબત કહી શકાય. ભારતમાં મંદિરો તો ઘણા મળી આવશે, પરંતુ તેમની અંદર બિરાજેલા ભગવાન સાથે આત્મીયતા બંધાઈ જાય અને જેનાં ખંડન પર હ્રદય ચીસો પાડીને રૂદન કરે એવા ભક્તો ક્યાં છે?

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યશનો જન્મદિવસ: ‘KGF ચેપ્ટર 2’ના નિર્માતાઓએ જબરદસ્ત પોસ્ટર સાથે શુભેચ્છા પાઠવી
Next Article પુરુષ માઈક્રોવેવ, સ્ત્રી ઈલેકટ્રિક ઓવન છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?