યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે મોટો દાવો
AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો
- Advertisement -
લોકસભા ચૂંટણીના 4 તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમાં તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન આજે એટલે કે ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે ભાજપ જો ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. ભાજપ બે મહિનાની અંદર યુપીના સીએમ યોગી આદિત્યનાથને તેમના પદ પરથી પણ હટાવવાનું છે. તેમણે કહ્યું કે ભાજપનો ઈરાદો બંધારણને બદલવાનો છે, ત્યારે 400 બેઠકોનો નારો આપવામાં આવી રહ્યો છે. જોકે, ભાજપ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે તે બંધારણની રક્ષા કરનારી પાર્ટી છે. તેણે એ પણ કહી દીધુ છે કે ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી જ પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેવાના છે.
Kejriwal silent, Sanjay Singh accuses BJP of "playing political games" on alleged assault on Swati Maliwal
- Advertisement -
Read @ANI Story | https://t.co/QALgOoC80z#ArvindKejriwal #SanjaySingh #BJP pic.twitter.com/1xGRJtVTie
— ANI Digital (@ani_digital) May 16, 2024
આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશ યાદવે વધુ મહત્ત્વના મુદ્દા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સંપૂર્ણપણે મૌન રહ્યા. આ બધાની વચ્ચે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે માઈક હાથમાં લીધું અને ભાજપ પર જ નકારાત્મક સવાલો ઉઠાવ્યા. મણિપુરથી કર્ણાટક સુધી સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના મામલે સંજય સિંહે ભાજપ પાસે જવાબ માંગ્યો છે.
સંજય સિંહે ભાજપ પર કર્યા પ્રહાર
AAP નેતા સંજય સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. અમે દેશમાં જે પણ મુદ્દા ઉઠાવ્યા છે તેના પર PM અને ભાજપે જવાબ આપવો જોઈએ. સંજયે કહ્યું સ્વાતિ માલીવાલના મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલ જ્યારે કુસ્તીબાજોને મળવા જંતર-મંતર ગઈ ત્યારે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. ભાજપે આનો જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે સંજય સિંહે કહ્યું કે, આ મામલે રાજકીય રમત ન રમવી જોઈએ. મણિપુર મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ.
#WATCH लखनऊ: AAP नेता संजय सिंह ने कहा, "मणिपुर में एक कारगिल योद्धा की पत्नी को निर्वस्त्र करके घुमाया गया… हजारों महिलाओं के साथ प्रज्वल रेवन्ना ने दरिंगदी की… प्रधानमंत्री कहते हैं ये(प्रज्वल रेवन्ना) भारत का भविष्य है… पहलवान बेटियां जब जंतर-मंतर पर लड़ रही थीं तो यही… pic.twitter.com/z2cSTbsrAO
— ANI_HindiNews (@AHindinews) May 16, 2024
મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી
આ સાથે સંજય સિંહે કહ્યું કે, મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી છે. પરંતુ PM મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓ પર બળાત્કાર કર્યો, પરંતુ PM મોદી પ્રજ્વલ રેવન્ના માટે વોટ માંગી રહ્યા હતા. જ્યારે અમારા કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલીન DCW ચીફ સ્વાતિ માલીવાલને પોલીસે માર માર્યો હતો. PM મોદી આ મુદ્દાઓ પર મૌન રહ્યા. AAP અમારો પરિવાર છે અને અમે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. મારા દ્વારા ઉલ્લેખિત આ તમામ મુદ્દાઓ પર ભાજપ અને PM મોદીએ જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.
અમિત શાહ અને યોગીનું નામ લઈને કેજરીવાલે જણાવી આ ચાર વાતો
કેજરીવાલે કહ્યું, ‘આજે હુ લખનૌમાં યુપીના વોટર્સથી વિનંતી કરવા આવ્યો છુ કે તેઓ ઈન્ડિયા ગઠબંધનને વોટ કરે. હુ અહીં ચાર મુદ્દા પર વાત કરવા માગુ છુ. પહેલી એ કે આ ચૂંટણીમાં પીએમ મોદી અમિત શાહને પીએમ બનાવવા માટે વોટ માગી રહ્યા છે. બીજી એ કે જો ભાજપ સત્તામાં આવી તો સીએમ યોગી આદિત્યનાથને 2-3 મહિનાની અંદર તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. ત્રીજી એ કે તેઓ બંધારણ બદલવા જઈ રહ્યા છે એસસી, એસટીની અનામત હટાવવાના છે. ચોથી એ કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવી રહ્યુ છે.’
17 સપ્ટેમ્બર 2025એ નિવૃત્ત થશે પીએમ મોદી: કેજરીવાલનો દાવો
કેજરીવાલે પીએમ મોદીની નિવૃત્તિની ભવિષ્યવાણી પણ કરી દીધી. તેમણે કહ્યુ, પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2025એ 75 વર્ષના થઈ જશે. પીએમ મોદીએ અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી બનાવતા 17 સપ્ટેમ્બર 2025એ તેમને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાને અત્યાર સુધી એ નથી કહ્યુ કે તેઓ 75 વર્ષ બાદ નિવૃત્ત નહીં થાય પરંતુ પીએમ મોદીએ એ નિયમ બનાવ્યો છે અને મને પૂર્ણ આશા છે કે તેઓ આ નિયમનું પાલન કરશે.’
ભાજપને 220થી પણ ઓછી સીટ મળશે- અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રીએ ભાજપને મળનારી બેઠકોની સંખ્યા પણ જણાવી. કેજરીવાલે કહ્યુ, ‘રુઝાનથી જાણ થાય છે કે ભાજપને 220થી પણ ઓછી બેઠકો મળી રહી છે. હરિયાણા, દિલ્હી, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં તેમની બેઠકો ઓછી થવાની છે. ભાજપ સરકાર બનાવવા જઈ રહી નથી. ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે.’