મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત અઠવાડિયે કરેલાં અનેક કાર્યોમાંથી અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્યોની આછેરી ઝલક.
1. આગામી 4 વર્ષ માટે ગુજરાત ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી – ર0ર1ની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. 10 હજારની સબસિડી આપશે. ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને ર0 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે તે જ રીતે થ્રી વ્હીલર માટે પ0 હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂ. 1 લાખ પ0 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે. આ સબસિડીનો લાભ 1.પ0 લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, પ લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને 1પ લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે. ભારત સરકારની ઈલેક્ટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં ર78 જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ રપ0 ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ. 10 લાખની મર્યાદામાં રપ ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં પર8 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.
- Advertisement -
2. નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાનાં નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ પોર્ટને પીપીપી મોડલ પર ઇઘઘઝ (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે, જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અન્વયે મોટા પ્રોજેક્ટનાં કિસ્સામાં પ્રોજેક્ટ કાર્યરત થવામાં લાગતા લાંબા સમયને ધ્યાને રાખીને નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ માટે 30ને બદલે પ0 વર્ષનો ઇઘઘઝ પિરિયડ રાખવાનો ઊદ્યોગ સાનૂકુળ અભિગમ અપનાવ્યો છે. નારગોલ ગ્રિનફિલ્ડ પોર્ટમાં પ્રથમ ફેઈઝમાં રૂ. 3800 કરોડનાં સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટીફંકશનલ પોર્ટ તરીકે કાર્યરત થશે અને સોલીડ, લીકવીડ તેમજ ક્ધટેઈનર કાર્ગો હેન્ડલીંગ માટે સક્ષમ બનશે.
3. અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શુભારંભ
- Advertisement -
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ માધ્યમ દ્વારા લોકાર્પણ કર્યુ હતું. વટવા જીઆઈડીસીમાં ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીએ નવી ફેન્ટમ કેટાલીટીક રીએકટર (ઋઈછ) ટેક્નોલોજીથી સજ્જ સ્થાપિત કરેલા આ ઈઊઝઙનો લાભ વટવા જીઆઈડીસીના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે અને પર્યાવરણ કાયદાના માપદંડોનુ સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના 100 ટકા નોમ્ર્સનું પાલન કરતો વિસ્તાર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
4. બેટ દ્વારિકા પિરોટન – શિયાળ બેટ ટાપુને પ્રવાસન – પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠક મળેલી જેમાં બેટ દ્વારિકામાં 1પ, શિયાળ બેટમાં ર0 અને પિરોટન ટાપુના 1ર મળી કુલ 47 પ્રોજેક્ટ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. આ દરમિયાન બેટ દ્વારિકામાં પ્રવાસન સુસંગત પ્રોજેક્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે રૂ. ર8.9પ કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે. પિરોટન ટાપુ પર ટૂંકસમયમાં ઈકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે, દ્વારિકાની આઈ.ટી.આઈ.ને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.
5. ભરૂચ નગરમાં ફ્લાય ઓવરબ્રીજ માટે રૂપિયા 41 કરોડની રકમ મંજૂર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ માટેની રૂ. 41 કરોડની દરખાસ્તને મંજૂરી આપી હતી. ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલનો આ ફ્લાય ઓવર 1પ30 મીટર લંબાઈ અને 8.40 મીટર પહોળાઈ ધરાવતો બનશે. ભરૂચ નગરમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના 7 નગરોમાં આવા ફલાય ઓવર માટે રૂ. ર89.પ0 કરોડની રકમ મંજૂર કરેલી છે.
6. સોમનાથ – વેરાવળ ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારનાબે લાખ જેટલા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયાપ.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 53 ખકઉ કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ વેરાવળ પાટણ સંયુક્ત 10.26 કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં જુદાજુદા વિસ્તારો માટે સ્ટ્રોમવોટર ડ્રેઈનઅને પંદર જેટલા સ્થળોએ ફુટપાથસહિત વરસાદી પાણી નિકાલ વ્યવસ્થાના કામોના ખાતમુહર્ત સાથે એકંદરે કુલ રૂપિયા 16 કરોડના લોકાર્પણતેમજ ખાતમુહુર્તકર્યા હતા. મુખ્યમંત્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં બનાવાયેલ 31.97 લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતું.


