મોરબીની દુર્ઘટના ધ્યાને લઈને શોભાયાત્રા, ભોજન સમારંભ બંધ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ તૂટવાની ઘટના માં 190 થી વધુ લોકોના મૃત્યુ થતા જૂનાગઢ રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 223 મી જન્મ જયંતિના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. જેમાં રઘુવંશી સમાજ દ્વારા પૂ.જલારામ બાપાની જયંતિ નિમિતે શોભાયાત્રા સાથે ભોજન સમારંભ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવવાની હતી,પરંતુ મોરબી દુ:ખદ ઘટનાને લીધે તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે અને સાદગી પૂર્ણ રીતે જલારામ બાપા ની જન્મ જયંતી ઉજવાશે.