By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    32 minutes ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    40 minutes ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    8 minutes ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચક્રવતિ સમ્રાટ અશોક દ્વારા નિમાયેલી 9 રહસ્યમય વ્યક્તિઓનું ખૂફિયા સંગઠન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચક્રવતિ સમ્રાટ અશોક દ્વારા નિમાયેલી 9 રહસ્યમય વ્યક્તિઓનું ખૂફિયા સંગઠન!
AuthorParakh Bhatt

ચક્રવતિ સમ્રાટ અશોક દ્વારા નિમાયેલી 9 રહસ્યમય વ્યક્તિઓનું ખૂફિયા સંગઠન!

Khaskhabar Editor
Last updated: 2021/10/23 at 2:12 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે!

મોર્ડન ધર્મ
-પરખ ભટ્ટ

વિદેશીઓ માટે ભારત હંમેશાથી આશ્ચર્યનો વિષય રહ્યું છે. એક એવો દેશ, જ્યાં પુષ્કળ ગરીબી છે, બેકારી છે, બેહાલી છે આમ છતાં અહીંના લોકો સમૃદ્ધ છે! સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મ અને રીતિ-રિવાજોના બળ પર આ રાષ્ટ્ર વિકસ્યું છે. અભાવો વચ્ચે જીવતાં હોવા છતાં અહીંની પ્રજાનું આંતરમન સંતોષી છે. આ બાબત કોઈપણ નવા આગંતુકને નવાઈ પમાડે એવી છે. ઔરંગઝેબથી શરૂ કરીને મોહમ્મદ ગઝની સુધીના તમામ મુઘલ શાસકો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરિયાતના સ્વરૂપમાં ભારત પર કબજો જમાવી ચૂકેલા અંગ્રેજોના મનમાં પણ કદાચ આ બાબતે અચરજ પેદા થયું હશે.

Contents
ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે!મોર્ડન ધર્મ -પરખ ભટ્ટકલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હ્રદય ખૂબ વિચલિત થઈ ગયું હતું, છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો હતોઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!

ભારતના રાજા-મહારાજાઓની શૌર્યગાથાઓ આપણે ત્યાં ખાસ્સી પ્રચલિત છે. આજથી હજારો વર્ષ પહેલાનાં ભારતવર્ષના ઇતિહાસમાં તેમની વીરતાના ગુણગાન ગાવામાં આવ્યા છે. પરંતુ અમુક રાજવીઓ એવા પણ થઈ ગયા, જેમના માટે યુદ્ધનું મેદાન યમરાજના સાક્ષાત અવતાર સમું પ્રતીત થવા લાગ્યું હતું. મીટ માંડો ને દૂર દૂર સુધી ફક્ત લાશોના ઢગલા જ દેખાય, ત્યારે કોઈપણ સંવેદનશીલ શાસકના મનમાં એક પ્રશ્ર્ન ઉદભવે કે આવા નરસંહાર પછી પ્રાપ્ત થયેલો વિજયમુગટ મારા શા કામનો? સૈનિકોના મૃતદેહોથી રક્તરંજિત થઈ ગયેલી આવી જ એક યુદ્ધભૂમિએ બૌદ્ધત્વના સર્વશ્રેષ્ઠ અનુયાયીને જન્મ આપ્યો. સમ્રાટ અશોક!

- Advertisement -

અંગ્રેજી લેખક એચ.જી.વેલ્સ પોતાના પુસ્તક ‘આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’માં લખે છે, ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે! કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હ્રદય ખૂબ વિચલિત થઈ ગયું હતું. છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. મલય, સેલોન, ઇન્ડોનેશિયા, નેપાળ, ચીન, તિબેટ, મોંગોલિયા સુધી તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.

પ્રાણી, પશુ કે અન્ય જીવો પ્રત્યે સમભાવ રાખવાથી માંડીને ભોજનમાં ફક્ત શાકાહારી ખોરાક આરોગવાનો તેમણે પ્રજાજનોને અનુરોધ કર્યો હતો. આત્માનુભૂતિના એ સમય દરમિયાન સમ્રાટ અશોકને એ હકીકતનો પણ અહેસાસ થઈ ગયો કે મનુષ્ય જાતિ પાસે હાલ જે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી રચાયેલું સાંયોગિક જ્ઞાન છે, એની માવજત થવી જરૂરી છે. અયોગ્ય હાથોમાં સોંપાયેલી સત્તા વિશ્વસંહારક પૂરવાર થઈ શકે છે. અને આ વિચાર સાથે જન્મ થયો, નવ સભ્યોના અજ્ઞાત રહસ્યમયી સંગઠનનો! ધ સિક્રેટ ઓર્ગેનાઇઝેશન ઓફ નાઇન મેન!

- Advertisement -

વેદ-પુરાણ, ઉપનિષદ અને તમામ ઋષિમુનિઓના પૌરાણિક જ્ઞાનને નવ અલગ-અલગ વિભાગોમા વહેંચી નાંખવામાં આવ્યા. દરેક ભાગના દળદાર પુસ્તકો બન્યા. સમગ્ર ભારતવર્ષના નવ ધુરંધરોને એ પુસ્તકો આપીને જીવનપર્યંત એની રક્ષાનું દાયિત્વ સોંપવામાં આવ્યું. ઉંમરના આખરી પડાવ પર જ્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી નિવૃત થવા ઇચ્છે ત્યારે પુસ્તકને સંગઠનના આગામી સભ્યને આપવાની તાકીદ સાથે નવે-નવ સભ્યોને વિશ્વના જુદા જુદા ખૂણે મોકલી દેવાયા, જેથી ભવિષ્યમાં એમના પર કોઈ સંકટ પેદા ન થાય. ફક્ત આટલું જ નહીં, જીવનકાળ દરમિયાન પ્રત્યેક સભ્ય પોતાની પાસે રહેલાં પુસ્તકમાં નવી માહિતીઓનો ઉમેરો પણ કરશે, એવી સૂચના આપવામાં આવી. એકબીજા સાથે સંવાદ સાધવા માટે ખાસ પ્રકારની ભાષાનું પણ નિર્માણ થયું.

કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હ્રદય ખૂબ વિચલિત થઈ ગયું હતું, છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો હતો
ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!

સમ્રાટ અશોકના દાદા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. આજના સમયના કલકતા અને મદ્રાસ વચ્ચે સ્થિત કલિંગ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સમ્રાટ અશોકે પુષ્કળ યુદ્ધો લડ્યા. ઇસુપૂર્વે 270ની સાલમાં રચાયેલા સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠને છેલ્લા અઢી હજાર વર્ષોની અંદર કેટકેટલી સંસ્કૃતિના ઉત્થાન અને અધ:પતન જોયા. પરંતુ સમ્રાટ અશોક તરફથી એમને સ્પષ્ટ સૂચના હતી કે, તેઓ દરેક ઘટનાનાં મૂક સાક્ષી બનશે. એમાં ખલેલ કે દખલગીરી કરવાની એમની પાસે છૂટ નહોતી! એમનું કાર્ય ફક્ત પોતાની પાસે રહેલા અમર્યાદિત પૌરાણિક જ્ઞાનના રક્ષણ કરવાનું હતું. આ પડાવ પર સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, એ નવ પુસ્તકોમાં એવું તે શું સમાયેલું હતું, જેના માટે આપણે આટલી ચર્ચા કરી રહ્યા છીએ? સૌપ્રથમ તો એ જાણી લો કે, નવ ગ્રંથોના તમામ વિષયો પર સંશોધન કરવાનું કામ તો દૂર, આધુનિક ટેક્નોલોજી એ અંગેનો વિચાર સુદ્ધાં નથી કરી શકી!

(1) કૂટનીતિ : પહેલા પુસ્તકમાં વૈચારિક યુદ્ધને અંજામ આપવા માટેની ટેક્નિક્સનું જ્ઞાન સમાવિષ્ટ છે. આખા રાષ્ટ્રો અને સમાજના બૃહદ વર્ગના લોકોના મનોમસ્તિષ્કમાં કોઈ એક સ્વતંત્ર વિચારધારા કબજો જમાવી લે તો શું પરિણામ આવે? હિટલર-મુસોલિની જેવા શાસકો કદાચ દરેક સદીમાં પેદા થવા માંડે, જે ફક્ત કોઈ પ્રદેશ પૂરતા સીમિત ન રહીને સમગ્ર વિશ્વ પર રાજ કરવાની ક્ષમતા ધરાવતાં હોય! ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!

(2) શરીરવિજ્ઞાન : શરીરના કોઈ નિર્ધારિત ભાગ પરનો સ્પર્શ વ્યક્તિને મૂર્છાવસ્થા અપાવી શકે? જી હાઁ, બેશક. બીજા પુસ્તકમાં શરીરને લગતાં વિજ્ઞાનની સમજ આપવામાં આવી છે. ઝેર બનાવવાની પદ્ધતિથી માંડીને ફક્ત હળવા સ્પર્શના માધ્યમથી દુશ્મનને મૌતને ઘાટ ઉતારી શકવાનું ખતરનાક કૌશલ્ય એમાં શીખવવામાં આવ્યું છે. ‘જુડો’ માર્શિયલ આર્ટ્સને એમાંની જ એક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. મોડર્ન વર્લ્ડમાં ઘેર-ઘેર પ્રચલિત સ્પા અને એક્યુપંક્ચર પણ શરીરવિજ્ઞાનની જ સમજ આપે છે ને?

(3) માઇક્રોબાયોલોજી : ત્રીજા ગ્રંથનો સીધો સંબંધ બાયોટેક્નોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે છે, જે સૂક્ષ્મ જીવજંતુઓના વિજ્ઞાન આધારિત જ્ઞાન ધરાવે છે. એક માન્યતા એવી પણ છે કે, કોલેરાની રસી આ પુસ્તકની મદદ લઈને જ વિકસાવવામાં આવી હતી, જેણે માનવજાત માટે વરદાનરૂપ કાર્ય કર્યુ હતું. બેક્ટેરિયા કે વાઇરસને રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓનો એમાં ખાસ ઉલ્લેખ છે. કેટલાક લોકોનું ધારણા છે કે, ગંગા નદીને આવા જ ફાયદાકારક માઇક્રોબ્સના માધ્યમ વડે શુદ્ધ કરવામાં આવી છે, જેના લીધે એ ક્યારેય મેલી નથી થતી!

(4) રસાયણ શાસ્ત્ર : તાંબુ કે પિત્તળ જેવી સામાન્ય ધાતુને બીજી સોનામાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવનાર પૌરાણિક જ્ઞાનનો સમાવેશ ચોથા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ધર્મગ્રંથોમાં સૂચવ્યા મુજબ, પહેલાના સમયમાં અમુક મંદિરોને ભરપૂર માત્રામાં સોનામહોરો મળ્યા રાખતી હતી, પરંતુ તેના મૂળ સ્ત્રોત વિશે કોઈને ય ખ્યાલ નહોતો. તો શું શક્ય છે કે આ કાર્ય માટે પૌરાણિક રસાયણ શાસ્ત્રનો ઉપયોગ થતો હોય? જેના પર કદીય ક્ષાર નથી જામતો એવા દિલ્હી સ્થિત લોહસ્તંભ વિશે આપનું શું માનવું છે?

બાકીના પુસ્તકો તેમજ અન્ય રહસ્યોની ચર્ચા કરીશું આવતાં અઠવાડિયે!

(ક્રમશ:)

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કિશોરચંદ્ર બાવાશ્રી એક વિરલ વ્યક્તિત્વ
Next Article મુશ્કેલ સમયમાં આધ્યાત્મિકતાએ જ નવું જીવન શરૂ કરવા પ્રેરણા આપી : પરિમલ નથવાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
સુરત જળબંબાકાર : શહેર દરિયામાં ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?