By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    14 hours ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં આજથી નવતપા
    12 hours ago
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    12 hours ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    14 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    14 hours ago
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    14 hours ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચક્રવતિ સમ્રાટ અશોક દ્વારા નિમાયેલી 9 રહસ્યમય વ્યક્તિઓનું ખૂફિયા સંગઠન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચક્રવતિ સમ્રાટ અશોક દ્વારા નિમાયેલી 9 રહસ્યમય વ્યક્તિઓનું ખૂફિયા સંગઠન!
AuthorParakh Bhatt

ચક્રવતિ સમ્રાટ અશોક દ્વારા નિમાયેલી 9 રહસ્યમય વ્યક્તિઓનું ખૂફિયા સંગઠન!

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 12:43 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે!

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

વિદેશીઓ માટે ભારત હંમેશાથી આશ્ચર્યનો વિષય રહ્યું છે. એક એવો દેશ, જ્યાં પુષ્કળ ગરીબી છે, બેકારી છે, બેહાલી છે આમ છતાં અહીંના લોકો સમૃદ્ધ છે! સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મ અને રીતિ-રિવાજોના બળ પર આ રાષ્ટ્ર વિકસ્યું છે. અભાવો વચ્ચે જીવતાં હોવા છતાં અહીંની પ્રજાનું આંતરમન સંતોષી છે. આ બાબત કોઈપણ નવા આગંતુકને નવાઈ પમાડે એવી છે. ઔરંગઝેબથી શરૂ કરીને મોહમ્મદ ગઝની સુધીના તમામ મુઘલ શાસકો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરિયાતના સ્વરૂપમાં ભારત પર કબજો જમાવી ચૂકેલા અંગ્રેજોના મનમાં પણ કદાચ આ બાબતે અચરજ પેદા થયું હશે.

Contents
ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે!મોર્ડન ધર્મ – પરખ ભટ્ટ

ભારતના રાજા-મહારાજાઓની શૌર્યગાથાઓ આપણે ત્યાં ખાસ્સી પ્રચલિત છે. આજથી હજારો વર્ષ પહેલાનાં ભારતવર્ષના ઇતિહાસમાં તેમની વીરતાના ગુણગાન ગાવામાં આવ્યા છે. પરંતુ અમુક રાજવીઓ એવા પણ થઈ ગયા, જેમના માટે યુદ્ધનું મેદાન યમરાજના સાક્ષાત અવતાર સમું પ્રતીત થવા લાગ્યું હતું. મીટ માંડો ને દૂર દૂર સુધી ફક્ત લાશોના ઢગલા જ દેખાય, ત્યારે કોઈપણ સંવેદનશીલ શાસકના મનમાં એક પ્રશ્ર્ન ઉદભવે કે આવા નરસંહાર પછી પ્રાપ્ત થયેલો વિજયમુગટ મારા શા કામનો? સૈનિકોના મૃતદેહોથી રક્તરંજિત થઈ ગયેલી આવી જ એક યુદ્ધભૂમિએ બૌદ્ધત્વના સર્વશ્રેષ્ઠ અનુયાયીને જન્મ આપ્યો. સમ્રાટ અશોક!

- Advertisement -

અંગ્રેજી લેખક એચ.જી.વેલ્સ પોતાના પુસ્તક ‘આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’માં લખે છે, ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે! કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હ્રદય ખૂબ વિચલિત થઈ ગયું હતું. છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. મલય, સેલોન, ઇન્ડોનેશિયા, નેપાળ, ચીન, તિબેટ, મોંગોલિયા સુધી તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.

પ્રાણી, પશુ કે અન્ય જીવો પ્રત્યે સમભાવ રાખવાથી માંડીને ભોજનમાં ફક્ત શાકાહારી ખોરાક આરોગવાનો તેમણે પ્રજાજનોને અનુરોધ કર્યો હતો. આત્માનુભૂતિના એ સમય દરમિયાન સમ્રાટ અશોકને એ હકીકતનો પણ અહેસાસ થઈ ગયો કે મનુષ્ય જાતિ પાસે હાલ જે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી રચાયેલું સાંયોગિક જ્ઞાન છે, એની માવજત થવી જરૂરી છે. અયોગ્ય હાથોમાં સોંપાયેલી સત્તા વિશ્વસંહારક પૂરવાર થઈ શકે છે. અને આ વિચાર સાથે જન્મ થયો, નવ સભ્યોના અજ્ઞાત રહસ્યમયી સંગઠનનો! ધ સિક્રેટ ઓર્ગેનાઇઝેશન ઓફ નાઇન મેન!

વેદ-પુરાણ, ઉપનિષદ અને તમામ ઋષિમુનિઓના પૌરાણિક જ્ઞાનને નવ અલગ-અલગ વિભાગોમા વહેંચી નાંખવામાં આવ્યા. દરેક ભાગના દળદાર પુસ્તકો બન્યા. સમગ્ર ભારતવર્ષના નવ ધુરંધરોને એ પુસ્તકો આપીને જીવનપર્યંત એની રક્ષાનું દાયિત્વ સોંપવામાં આવ્યું. ઉંમરના આખરી પડાવ પર જ્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી નિવૃત થવા ઇચ્છે ત્યારે પુસ્તકને સંગઠનના આગામી સભ્યને આપવાની તાકીદ સાથે નવે-નવ સભ્યોને વિશ્વના જુદા જુદા ખૂણે મોકલી દેવાયા, જેથી ભવિષ્યમાં એમના પર કોઈ સંકટ પેદા ન થાય. ફક્ત આટલું જ નહીં, જીવનકાળ દરમિયાન પ્રત્યેક સભ્ય પોતાની પાસે રહેલાં પુસ્તકમાં નવી માહિતીઓનો ઉમેરો પણ કરશે, એવી સૂચના આપવામાં આવી. એકબીજા સાથે સંવાદ સાધવા માટે ખાસ પ્રકારની ભાષાનું પણ નિર્માણ થયું.

- Advertisement -

સમ્રાટ અશોકના દાદા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. આજના સમયના કલકતા અને મદ્રાસ વચ્ચે સ્થિત કલિંગ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સમ્રાટ અશોકે પુષ્કળ યુદ્ધો લડ્યા. ઇસુપૂર્વે 270ની સાલમાં રચાયેલા સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠને છેલ્લા અઢી હજાર વર્ષોની અંદર કેટકેટલી સંસ્કૃતિના ઉત્થાન અને અધ:પતન જોયા. પરંતુ સમ્રાટ અશોક તરફથી એમને સ્પષ્ટ સૂચના હતી કે, તેઓ દરેક ઘટનાનાં મૂક સાક્ષી બનશે. એમાં ખલેલ કે દખલગીરી કરવાની એમની પાસે છૂટ નહોતી! એમનું કાર્ય ફક્ત પોતાની પાસે રહેલા અમર્યાદિત પૌરાણિક જ્ઞાનના રક્ષણ કરવાનું હતું. આ પડાવ પર સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, એ નવ પુસ્તકોમાં એવું તે શું સમાયેલું હતું, જેના માટે આપણે આટલી ચર્ચા કરી રહ્યા છીએ? સૌપ્રથમ તો એ જાણી લો કે, નવ ગ્રંથોના તમામ વિષયો પર સંશોધન કરવાનું કામ તો દૂર, આધુનિક ટેક્નોલોજી એ અંગેનો વિચાર સુદ્ધાં નથી કરી શકી!

(1) કૂટનીતિ : પહેલા પુસ્તકમાં વૈચારિક યુદ્ધને અંજામ આપવા માટેની ટેક્નિક્સનું જ્ઞાન સમાવિષ્ટ છે. આખા રાષ્ટ્રો અને સમાજના બૃહદ વર્ગના લોકોના મનોમસ્તિષ્કમાં કોઈ એક સ્વતંત્ર વિચારધારા કબજો જમાવી લે તો શું પરિણામ આવે? હિટલર-મુસોલિની જેવા શાસકો કદાચ દરેક સદીમાં પેદા થવા માંડે, જે ફક્ત કોઈ પ્રદેશ પૂરતા સીમિત ન રહીને સમગ્ર વિશ્વ પર રાજ કરવાની ક્ષમતા ધરાવતાં હોય! ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!

(2) શરીરવિજ્ઞાન : શરીરના કોઈ નિર્ધારિત ભાગ પરનો સ્પર્શ વ્યક્તિને મૂર્છાવસ્થા અપાવી શકે? જી હાઁ, બેશક. બીજા પુસ્તકમાં શરીરને લગતાં વિજ્ઞાનની સમજ આપવામાં આવી છે. ઝેર બનાવવાની પદ્ધતિથી માંડીને ફક્ત હળવા સ્પર્શના માધ્યમથી દુશ્મનને મૌતને ઘાટ ઉતારી શકવાનું ખતરનાક કૌશલ્ય એમાં શીખવવામાં આવ્યું છે. ‘જુડો’ માર્શિયલ આર્ટ્સને એમાંની જ એક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. મોડર્ન વર્લ્ડમાં ઘેર-ઘેર પ્રચલિત સ્પા અને એક્યુપંક્ચર પણ શરીરવિજ્ઞાનની જ સમજ આપે છે ને?

(3) માઇક્રોબાયોલોજી : ત્રીજા ગ્રંથનો સીધો સંબંધ બાયોટેક્નોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે છે, જે સૂક્ષ્મ જીવજંતુઓના વિજ્ઞાન આધારિત જ્ઞાન ધરાવે છે. એક માન્યતા એવી પણ છે કે, કોલેરાની રસી આ પુસ્તકની મદદ લઈને જ વિકસાવવામાં આવી હતી, જેણે માનવજાત માટે વરદાનરૂપ કાર્ય કર્યુ હતું. બેક્ટેરિયા કે વાઇરસને રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓનો એમાં ખાસ ઉલ્લેખ છે. કેટલાક લોકોનું ધારણા છે કે, ગંગા નદીને આવા જ ફાયદાકારક માઇક્રોબ્સના માધ્યમ વડે શુદ્ધ કરવામાં આવી છે, જેના લીધે એ ક્યારેય મેલી નથી થતી!

(4) રસાયણ શાસ્ત્ર : તાંબુ કે પિત્તળ જેવી સામાન્ય ધાતુને બીજી સોનામાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવનાર પૌરાણિક જ્ઞાનનો સમાવેશ ચોથા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ધર્મગ્રંથોમાં સૂચવ્યા મુજબ, પહેલાના સમયમાં અમુક મંદિરોને ભરપૂર માત્રામાં સોનામહોરો મળ્યા રાખતી હતી, પરંતુ તેના મૂળ સ્ત્રોત વિશે કોઈને ય ખ્યાલ નહોતો. તો શું શક્ય છે કે આ કાર્ય માટે પૌરાણિક રસાયણ શાસ્ત્રનો ઉપયોગ થતો હોય? જેના પર કદીય ક્ષાર નથી જામતો એવા દિલ્હી સ્થિત લોહસ્તંભ વિશે આપનું શું માનવું છે?

બાકીના પુસ્તકો તેમજ અન્ય રહસ્યોની ચર્ચા કરીશું આવતાં અઠવાડિયે!

(ક્રમશ:)

You Might Also Like

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણી અંદર વ્યાપ્ત અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા માટે શક્તિની પૂજા કરીએ….
Next Article મેડિટેશન એટલે કે ધ્યાન વિશે જે.કૃષ્ણમૂર્તિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો
હળવદના દેવીપુર નજીક ટ્રેકટર ચાલકના મોત મામલે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ
ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર
વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ
જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?