ત્રીજા દિવસે 170 ફ્લાઇટ્સ પર અસર, જયપુર સહિત ઘણા એરપોર્ટ પર હજારો મુસાફરો પરેશાન: એરપોર્ટ પર જ રાત વિતાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો, સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી દેશભરમાં એરલાઇનના સંચાલન પર ગંભીર અસર પડી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે.
ગુરુવારે સવારે દિલ્હીથી ઉપડનારી 30થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સવારથી દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી ગઈ છે. ઘણા મુસાફરોએ આખી રાત તેમની ફ્લાઇટ્સની રાહ જોતા વિતાવી. આજે હૈદરાબાદમાં આશરે 33 ફ્લાઇટ્સ રદ થવાની ધારણા છે.
દેશભરમાં 170થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ શકે છે. અગાઉ, મંગળવાર અને બુધવારે લગભગ 200 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બેંગલુરુમાં 42, દિલ્હીમાં 38, મુંબઈથી 33, હૈદરાબાદમાં 19, અમદાવાદમાં 25, ઇન્દોરમાં 11, કોલકાતામાં 10 અને સુરતમાં 8 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સેંકડો ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી રહી છે.
આના કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ રહી છે, જેના કારણે ઘણા લોકો ફસાયેલા છે. દરરોજ લગભગ 2,300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગો એરલાઇન્સે બુધવારે મુસાફરોની માફી માગી હતી અને કહ્યું હતું કે શુક્રવાર સુધી વધુ ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે.
ઇન્ડિગોએ કહ્યું- આવતીકાલ સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
એરલાઇને બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે નાની-મોટી ટેકનિકલ ખામી, શિયાળાના કારણે શિડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં ધીમું નેટવર્ક અને ક્રૂ મેમ્બર્સની શિફ્ટ ચાર્ટ સાથે જોડાયેલા નવા નિયમો (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન)ના પાલનના કારણે અમારા ઓપરેશન પર ખરાબ અસર પડી છે. તેનો પહેલાંથી અંદાજ લગાવવો શક્ય નહોતો. કંપનીએ કહ્યું કે આગામી 48 કલાકમાં સંચાલન સ્થિર થઈ જશે.
- Advertisement -
DGCAએ ઇન્ડિગો પાસેથી જવાબ માગ્યો
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ઉૠઈઅ)એ ઇન્ડિગો પાસેથી હાલની સમસ્યાઓના કારણો અને તેનો સામનો કરવા માટેની યોજનાની વિગતો માંગી છે. ઉૠઈઅએ કહ્યું છે કે, ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબ ઘટાડવાના ઉપાયો પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઉૠઈઅ અનુસાર, ક્રૂની અછત તેનું મુખ્ય કારણ છે. ઇન્ડિગોમાં આ સમસ્યા છેલ્લા મહિનાથી ચાલી રહી છે. નવેમ્બરમાં 1232 ફ્લાઈટ રદ થઈ. મંગળવારે 1400 ફ્લાઈટ મોડી પડી.
DGCAના નવા નિયમોને કારણે ઇન્ડિગોમાં મુશ્કેલી
ઉૠઈઅએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. તેને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (ઋઉઝક) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો. જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો, જેના પછી એરલાઇન કંપનીઓ, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી. ઉૠઈઅએ જણાવ્યું કે નવેમ્બરમાં ઇન્ડિગોની કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ક્રૂ અને ઋઉઝક નિયમોને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.



