By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    1 day ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    1 day ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    2 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    24 hours ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    24 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    24 hours ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    24 hours ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    2 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    3 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો! : નરેશ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો! : નરેશ પટેલ
AuthorParakh Bhatt

રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો! : નરેશ પટેલ

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

– પરખ ભટ્ટ

વર્ષ 1947માં રાજકોટનાં કેનાલ રોડ પર એક નાનકડા કારખાનામાં શરૂ થયેલી ‘પટેલ બ્રાસ વર્ક્સ’ની સફરને વિશ્વકક્ષા સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે નરેશભાઈ પટેલ. હાલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી એમની ‘એફએમ પીબીડબલ્યુ’ કંપનીમાં પગ મૂકો એટલે નરેશભાઈનો સ્વચ્છતાપ્રિય અને બધું જ અપ-ટુ-ડેટ રાખવાનો સ્વભાવ ત્યાં પ્રત્યક્ષ દેખાઈ આવે. સ્કાય ઇઝ ધ લિમિટ! નરેશભાઈએ પોતાનાં જીવનમાં આ વાક્યને સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રબળ ઇચ્છાશક્તિ અને મજબૂત મનોબળ હોય તો સફળતા સાવ હાથવગી લાગવા માંડે છે! પટેલ બ્રાસ વર્ક્સ જે પ્રકારનાં પાર્ટ્સનું ઉત્પાદન કરે છે એ બનાવતી કંપનીઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇંગ્લેન્ડ અને ભારત (ને એય પાછી આપણા રાજકોટમાં!)

ત્રણ દાયકાની અંદર 900થી પણ વધુ વિદેશ-પ્રવાસ!

- Advertisement -

એવું બિલકુલ જરૂરી નથી કે જે માણસ વેપાર-ધંધામાં સફળ હોય તેનું અંગત જીવન પણ ઉત્કૃષ્ટ રીતે સફળ જ હોવાનું! પરંતુ નરેશભાઈ આ બાબતે સાવ અપવાદ છે. સફળતા પચાવવી કોને કહેવાય એ વાત એમનો પરિવાર, સગા-વ્હાલાઓ અને મિત્રો સારી રીતે જાણે છે. પટેલ બ્રાસ વર્ક્સનાં તમામ કર્મચારીઓનું પોતાનાં કુટુંબીજન જેટલું ધ્યાન રાખતાં નરેશભાઈ પ્રોફેશનલ લાઇફમાં પણ એટલા જ લોકપ્રિય છે. ક્યારેય કોઇ ફરિયાદ નહીં, ખોટા વાદ-વિવાદો નહીં, દેખાડો નહીં, આરોપો કે આક્ષેપો નહીં, સફળતાનો કોઇ છોછ અને પૈસાનો કોઇ ઢોંગ નહીં! સાવ સાદગીપૂર્ણ અને નિરાભિમાની વ્યક્તિત્વ. એમની અનુભવી આંખોનું ઉંડાણ અને સંબંધો પરત્વેની સમજણ અજાણ્યા માણસને પણ અભિભૂત કરી મૂકે!

ઘણા લોકો જાણે છે કે નરેશભાઈ પ્રખર શિવભક્ત છે. કૈલાશ માનસરોવરમાં તેમને જીવનની પરિપૂર્ણતાનાં દર્શન થાય છે. તેઓ માને છે કે પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં કોઇ જાતનાં વિધ્નો વગર બધા જ કામ પાર પડી જવા એ એક પ્રકારે ચમત્કાર જ છે! આધ્યાત્મિકતાનાં અનુભવનો બીજો શો દાખલો હોઇ શકે! સફળ લગ્નજીવન, સુખી પરિવાર, ઇન્ટરનેશનલ કારોબાર અને નિરોગી જીવનશૈલી. ખુશ રહેવા માટે આનાથી વધારે બીજું તો શું જોઇએ!?
‘સ્પાઈન સ્કોલિયોસીસ’ નામનાં રોગમાંથી પોતાની મેળે સંઘર્ષ કરીને બેઠા થયેલા નરેશભાઈએ એ જમાનામાં લવ-મેરેજ કર્યા હતાં. હરિયાણાનાં જૈન પરિવારનાં શાલિની બેન સાથે એમને સ્કૂલ-લાઇફ દરમિયાન પ્રેમ પાંગર્યો હતો. માતા-પિતા અને પરિવારની સંમતિ મેળવ્યા બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયા. સંતાનમાં બે દીકરીઓ અને એક પુત્ર છે. બંને દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. નરેશભાઈનાં દીકરા શિવરાજભાઈએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરેલું છે. ભણતર પૂરું કર્યા બાદ તેઓ પિતાનાં વ્યવસાયમાં જોડાઈ ગયા છે.

પાછલા ત્રણ દાયકામાં તેઓ વિશ્વના મોટા મોટા દેશોની સફર ખેડી ચૂક્યા છે. પ્રવાસ જીવનના અનુભવોનું ભાથું બાંધવામાં મદદરૂપ થતાં હોય છે, એવું એમનું દ્રઢપણે માનવું છે. એમણે આ સમય દરમિયાન 900થી વધુ વિદેશ-પ્રવાસો કર્યા છે. એમની કંપની આજે જે સ્તર પર સફળતા હાંસિલ કરી ચૂકી છે, એમાં આ વિદેશ-પ્રવાસોનો ફાળો પણ ઘણો મહત્વનો છે એમ કહી શકાય.

- Advertisement -

સફળતા અને સાર્થકતા બંને અલગ-અલગ બાબતો છે. સાર્થકતા જીવનનાં અનુભવો સાથે આવતી હોય છે, જ્યારે સફળતા પરિશ્રમનાં પરસેવા સાથે! એક વ્યક્તિ પાસે આ બંને હોય એવું તો જવલ્લે જ જોવા મળતું હોય છે. નરેશભાઈનું જીવન ખરા અર્થમાં સાર્થક રહ્યું છે, કારણકે તેમણે પોતાની સફળતાનો નશો ક્યારેય જાત પર કે પરિવાર પર ચડવા નથી દીધો. નાનપણથી ખેડૂત પરિવારમાં ઉછરીને મોટા થયા હોવાથી એક-એક પૈસાનું મહત્વ તેમને બરાબર રીતે સમજાવવામાં આવ્યું હતું. ખપ પૂરતો ખર્ચ કરીને બાકીની અમુક રકમ દાન-પુણ્યનાં કામમાં વાપરવી એ સંસ્કાર એમને ગળથૂથીમાં મળ્યા છે. ખોડલધામની ગૂંજ વિશ્વનાં તમામ દેવીભક્તો સુધી પહોંચાડ્યા બાદ હવે તેઓ ખેતી અને શિક્ષણનાં મામલે પણ ઘણું સમાજોપયોગી કાર્ય કરવા માંગે છે.

સફળ પુરૂષની સંઘર્ષગાથામાં સ્ત્રીનો ફાળો બહુ અગત્યનો હોય છે. નરેશભાઈની માતા અને તેમના ધર્મપત્નીએ એમને આ મુકામ સુધી પહોંચવામાં ઘણી મદદ કરી છે એવું તેઓ માને છે. ઘર અને ઓફિસ વચ્ચે સમતુલન જાળવવામાં એમનો ફાળો ખૂબ રહ્યો છે. આટલી વ્યસ્ત કાર્યશૈલી હોવા છતાં તેઓ આજેપણ પ્રેરણાદાયી મહાનુભાવોની બાયોગ્રાફી અને તત્વચિંતનનાં પુસ્તકોનું વાંચન કરે છે. સારા પુસ્તકો કેટલીકવાર જીવનને બળ પૂરું પાડી, નવી દિશા સૂચવી જતાં હોય છે.
નરેશભાઈએ નાનપણમાં નવલકથાઓ ખૂબ વાંચી, જેમ-જેમ મોટા થતાં ગયા એમ ફિલોસોફીમાં રસ વધતો ગયો.
સોશિયલ મીડિયાની ચાહક પેઢી માટે નરેશભાઈ હ્રદયપૂર્વક પોતાની વાત કહેતાં જણાવે છે, મોબાઇલ અને એની એપ્લિકેશનોનો ઉપયોગ ફક્ત જરૂર પૂરતો જ કરવો જોઇએ. અતિશય વપરાશથી સમય, શક્તિ અને પૈસાનો વ્યય થાય છે. નવી પેઢીએ ટાઇમ-મેનેજમેન્ટ તો શીખવું જ જોઇશે. નીતિનાં માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધતાં રહેવું એ મારો એમને ગુરૂમંત્ર છે. મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડો! ઇશ્વર હંમેશા તમારી સાથે છે.

જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે નરેશભાઈ પોલિટિક્સમાં પ્રવેશ કરવાના છે એવી અફવાઓ જોર પકડી લે છે. પરંતુ દર વર્ષે લોકોને નિરાશા જ સાંપડે છે, કારણકે નરેશભાઈ ક્યારેય આવી અફવાઓ પર ધ્યાન નથી આપતાં હોતાં. આવી ખોટી વાતો કોણ ફેલાવે છે એવા પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું તો નથી ફેલાવતો! બધા કાર્યકરો અને પોલિટિકલ પાર્ટીઓને એમ લાગતું જ હોય છે કે નરેશભાઈ જેવા માણસ એમનાં પક્ષનો હિસ્સો બને! અને તેઓ એમની જગ્યાએ સાચા પણ છે. સમાજ માટે સારું કામ કરી રહેલી વ્યક્તિ રાજકારણમાં આવે એનાથી વધુ રૂડું બીજું શું હોઇ શકે?! પરંતુ મારી ઇચ્છા ક્યારેય રાજકારણમાં જોડાવાની રહી નથી. આવી અફવાઓ ફેલાતી બંધ થાય અને અખબારો એને છાપવાનું બંધ કરે એવી જ કામના છે!’

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ મનપાનું રૂ. 395 કરોડનું બજેટ : સ્થાયી સમિતિએ મેયરને બજેટ સુપ્રત કર્યું
Next Article ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે યુવા લેખક હર્ષ ઠાકર લિખિત ‘અહર્નિશમ્’ પુસ્તકનું વિમોચન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?