ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના સેવાભાવી લોહાણા અગ્રણી સુરેશભાઈ સાદરાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી દિન દુખિયાઓની સેવાનો ભેખ ધારણ કરી ગરીબ લોકોની સેવાઓ કરવામાં આવે છે અને તેમાં તેના ધર્મપત્ની પણ ગરીબ લોકોને ટિફિન બનાવી જમાડતા હોય શિયાળામાં ગરીબ લોકોને ધાબળા,કપડાં શાલ,ઉપરાંત તહેવારોમાં મીઠાઈ વિતરણ દાતાઓના આર્થીક સહયોગ કરવામાં આવે છે ત્યારે ગણપતી ઉત્સવ સમિતિના નામથી જ કોઈપણ પ્રકારના ફંડ, ફાળા વગર માત્ર કાટીયાની અંતિમ કીટ વિનામુલ્યે આપવાની કામગીરી ટુક સમયમાં જ ચાલુ કરવામાં આવનાર હોવાનું જણાવેલ છે.
સાદરાણી ભાઈના જણાવ્યા અનુસાર આ બાબતે કોઈ ફંડ ફાળો લેવામાં નહિ આવે માત્ર જે તે દાતા તરફથી તૈયાર કીટ લઈ સ્મશાનમાં જ રાખવામાં આવશે ત્યાં રજીસ્ટરમાં નામ લખી કીટ લઈ જવાની રહેશે.
કિટનો કોઈ ચાર્જ લેવામાં નહિ આવે કારણ કે કીટ દાતાઓ તરફથી વિનામુલ્યે આપવામાં આવેલ હોય તેનો ચાર્જ લેવાનો થતો નથી કોઈ ભેટ પેટી રાખવામાં નહિ આવે.
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ખાપણ, કાટીયાની વિનામૂલ્યે સેવાની પહેલ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/વિસાવદર-ગણપતિ-ઉત્સવ-સમિતિ-દ્વારા-ખાપણ-કાટીયાની-વિનામૂલ્યે-સેવાની-પહેલ-860x1470.jpg)