ફિલ્મી પડદા પર સમ્રાટ પૃથ્વીરાજનો રોલ નિભાવ્યા પછી અક્ષય કુમાર હવે છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે.
ખિલાડી કુમારે મરાઠી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને એ સાથે જ બોલિવૂડના ખેલાડી કુમારે તેના ચાહકોને સરપ્રાઈઝ આપતા તેની આવનારી ફિલ્મમાંથી છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં તેનો પહેલો લુક શેર કર્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે – જય ભવાની, જય શિવાજી.
- Advertisement -
https://twitter.com/Your_Summy_/status/1600022395229962240?ref_src=twsrc%5Etfw
છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર
જણાવી દઈએ કે હાલ જ અક્ષય કુમારે શિવાજી મહારાજના રોલમાં તેની એક નાની ઝલક દર્શાવતો વીડિયો શેર કર્યો છે. એ લુકમાં અક્ષય કુમાર સફેદ કુર્તા-પાયજામામાં માથા પર પાઘડી, કપાળ પર તિલક, ગળામાં માળા પહેરેલા જોવા મળ્યા હતા અને એ સાથે જ વીર શિવાજીના ગેટઅપમાં ગર્વથી ચાલતા જતા અક્ષય કુમારે પોતાનો સ્વેગ બતાવ્યો હતો. દાઢી-મૂછમાં અક્ષય કુમારકઇંક અલગ જ દેખાઈ રહ્યા છે એવામાં એક તરફ જ્યાં ચાહકોને ખિલાડી કુમારનો લૂક પસંદ આવી રહ્યો છે, ત્યારે ઘણા લોકો અક્ષય કુમારના વીર શિવાજીના લૂકથી જરા પણ પ્રભાવિત ન થયા અને હાલ અક્ષયને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
અક્ષય કુમાર થયા ટ્રોલ
આ વિડીયો જોયા પછી ઘણા યુઝરનું માનવું છે કે અક્ષય કુમારે શિવાજી મહારાજના રોલની મજાક ઉડાવી રહ્યા છે. આ સાથે જ ઘણા યુઝરે અક્ષયને વીર શિવાજીના રોલ માટે ટિપ્સ પણ આપતા લખ્યું હતું કે મહારાજ કુપોષિત ન હતા. રોડી બોડી બનાવો અને વજન પણ વધારશો જેથી તમે યોદ્ધા જેવા દેખાઓ. અક્ષયના લુક પર કોમેન્ટ કરતા યુઝરે લખ્યું-અક્ષય કુમાર શિવાજી મહારાજના રોલમાં સેટલ નહીં થાય. અન્ય એક યુઝરે લખ્યું- અરે, મરાઠા સામ્રાજ્ય માટે સૌથી ખરાબ વાત એ છે કે અક્ષય શિવાજી મહારાજ બની ગયા. આ સાથે જ એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે ‘બૉલીવુડને બક્ષીને કેનેડા ચાલ્યા જાઓ હવે સહન નથી થતી તમારી એક્ટિંગ.’
- Advertisement -
https://twitter.com/DhavalBalai/status/1600068489947279360?ref_src=twsrc%5Etfw
ક્યારે રિલીઝ થશે અક્ષયની આ ફિલ્મ?
આ ફિલ્મનું શૂટિંગ 6 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે અને આ વિશે માહિતી આપતાં અક્ષયે એક પોસ્ટ લખતા કહ્યું હતું કે કહ્યું- આજે હું મરાઠી ફિલ્મ ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ શરૂ કરી રહ્યો છું. જેમાં હું છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી શકું એટલો ભાગ્યશાળી બન્યો છું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને મા જીજાઉના આશીર્વાદથી હું મારું શ્રેષ્ઠ કામ કરીશ.’ જણાવી દઈએ કે મહેશ માંજરેકર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર મરાઠી ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.