ખાસ-ખબર સંવાદદાતા
ભાદર યોજના આધારિત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપલાઈન ઘણી જ જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ રિપેરીંગ કામગીરી હાથ ધરવાની હોય તા. 14 બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 11 (પાર્ટ), 12 (પાર્ટ) તથા તા. 15 ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબરરોડના (વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ) નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 18 પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.
તા. 14ના વોર્ડ નં. 11 પાર્ટ અંબિકાટાઉનશીપ પાર્ટ અને 12 પાર્ટમાં વાવડી ગામ, વિશ્ર્વકર્મા સોસા., મહંમદી બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા. ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટિકા, આકાર હાઈટ્સ, પુનિતપાર્ક, અંબિકા ટાઉનશીપ વગેરે સોસાયટીઓ તેમજ તા. 15ના રોજ 7-પાર્ટ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર તથા 14- પાર્ટ વાણિયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ) માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ) મયુર પાર્ક, પુજારા પાર્ક (પાર્ટ) આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃતપાર્ક, વોર્ડ નં. 17 પાર્ટ નારાયણનગર ભાગ-1-2, નારાયણનગર મફતિયું, ઢેબર કોલોની ભાગ 1-2-3, હસનવાડી ભાગ 1-2, વાલકેશ્ર્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર, ગાયત્રીબગીચાવાળો ભાગ તેમજ 18 પાર્ટ- ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારાયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઈ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેલવે બોર્ડ કવાર્ટસ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલંવટ કવાર્ટસમાં પાણી વિતરણ બંધ રહેશે.
તા. 14 અને 15ના શહેરના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/037799u8_nal-big_640x480_27_October_23-860x484.jpg)