ખાસ-ખબર સંવાદદાતા
ઈરછાઓ સઘળી ફળે જેને બાલાજી ની કૃપા મળે રાજકોટ વાસીઓના દુ:ખ દૂર કરતા દાદા એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે બાલાજી હનુમાનજી મહારાજને જામફળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે, જે શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
- Advertisement -
દાદાના આજે અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે સાથે દાદાના સાનિધ્યમાં આજના શનિવારના પવિત્ર દિવસે સંગીતમય મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા , આજે સાંજે હજારો ભક્તો રાજોપચાર પદ્ધતિ થી થતી સંધ્યા આરતીનો પણ લાભ લેશે, આપ પણ પરિવાર સાથે પધારી બાલાજી દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.