– સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ
દેશમાં ધાર્મિક સ્થળને લઈને ચાલી રહેલા વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં પણ એક મસ્જિદને લઈને આવો દાવો કરવામાં આવ્યો છે.
- Advertisement -
કર્ણાટકના મેંગલુરૂમાં જૂની મસ્જિદ નીચે કથિત રીતે હિન્દુ મંદિર જેવા વાસ્તુશિલ્પ ડિઝાઈઆન મળવાનો દાવો કર્યો છે. હવે આ જગ્યા પર વિશ્વ હિન્દુ પરિષદ એક અનુષ્ઠાન કરશે. જેને જોતા મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ
કર્ણાટકની આ મસ્જિદ બહાર વીએચપીના કેટલાય કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને હોબાળો કર્યો હતો. આ તમામ લોકો જૂની મસ્જિદમાં પૂજા કરવાની માગ કરી રહ્યા છે. એટલુ જ નહીં મસ્જિદ બહાર આ લોકોએ પૂજા અર્ચના પણ કરી હતી, જેને જોતા માહોલ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયો હતો. વીએચપીના આ હોબાળાને જોતા સમગ્ર વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી હતી. ઘટના પર ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરી દેવામા આવી છે. 500 મીટરના દાયરામાં કોઈને પણ ભીડ એકઠી કરવાની મંજૂરી નથી.
- Advertisement -
Karnataka: Heavy police deployment around Juma Masjid in Mangaluru
Read @ANI Story | https://t.co/QzHfimeZpc#JumaMasjid #Mangaluru #Karnataka pic.twitter.com/lHPplaUgbS
— ANI Digital (@ani_digital) May 25, 2022
કેવી રીતે શરૂ થયો વિવાદ
હકીકતમાં 21 મેના રોજ આ આખો મામલો સામે આવ્યો હતો. જ્યાં આ જૂની મસ્જિદનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન દાવો કરવામા આવ્યો હતો કે, મસ્જિદની અંદર એક મંજિર જેવી સંરચના છે. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દાને ઉછાળ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. હવે જ્ઞાનવાપીની માફક આ મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે. વીએચપીનો દાવો છે કે, મંદિર તોડીને આ મસ્જિદ બનાવામાં આવી છે.
વીએચપીનું કહેવુ છે કે, આ સાબિત કરવા માટે કોર્ટમાં પણ જઈશું. આ ઉપરાંત હિન્દુ સંગઠને મસ્જિદમાં સર્વે કરાવાની પણ માગ કરી છે.
Karnataka | VHP and Bajrang Dal perform ‘Tambula Prashne’ at Sri Ramanjaneya Bhajana Mandira in Malali
A Hindu temple-like architectural design was allegedly discovered underneath an old mosque on the outskirts of Mangaluru on April 21. pic.twitter.com/QnlXtAV3US
— ANI (@ANI) May 25, 2022