By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    5 hours ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    5 hours ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 day ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    3 hours ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    3 hours ago
    #Melodi મોમેન્ટ્સ: મોદીએ મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી: ઈટાલીમાં એક જ કારમાં ફર્યા: 2000 વર્ષ જૂનાં કોલોઝિયમમાં સેલ્ફી લીધી
    3 hours ago
    બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
    5 hours ago
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    3 hours ago
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    5 hours ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 day ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોંગ્રેસના આગેવાનોએ કોર્ટમાં બીનશરતી માફી માંગી: નીતિન ભારદ્વાજે મોટું મન રાખી માફ કર્યાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોંગ્રેસના આગેવાનોએ કોર્ટમાં બીનશરતી માફી માંગી: નીતિન ભારદ્વાજે મોટું મન રાખી માફ કર્યાં
રાજકોટ

કોંગ્રેસના આગેવાનોએ કોર્ટમાં બીનશરતી માફી માંગી: નીતિન ભારદ્વાજે મોટું મન રાખી માફ કર્યાં

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 5:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કોંગ્રેસ આગેવાનોએ સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરીને રૂ. 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યાના ખોટા આક્ષેપો કર્યો હતા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરી સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરીને રૂપિયા 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના ખોટા આક્ષેપો ફરિયાદી નીતિનભાઈ વિરુદ્ધ કરેલ હતા. જેના અનુસંધાને ફરિયાદી નીતિનભાઈએ ઉપરોક્ત તમામ વ્યક્તિઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જૂઠાણુ ફેલાવવા બદલ માફી માંગવા જણાવેલ હતું, જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતાં ચારેય કોંગ્રેસના આગેવાનો વિરૂદ્ધ ફરિયાદી નીતિનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

પોતાની ફરિયાદમાં નીતિનભાઈએ જણાવેલ હતું કે તેમ છતાં કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મિલાપીપણુ કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે સમાજમાં તેઓની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે જેના હિસાબે રાજકીય કારકિર્દી ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તેઓની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયેલ છે.

હાલની ફરિયાદ દાખલ થયા બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરૂદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી તેઓને નામદાર કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો, જે બાદ ઘણી મુદતો વીતી જવા છતાં હાલના આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હતા. ઘણી મુદતો વીત્યા બાદ ફરિયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતાં નામદાર કોર્ટે ફરિયાદપક્ષની અરજી મંજૂર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલ હતો. વોરંટના કામે તમામ આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ હતા. તમામ આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થતાં જ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરૂદ્ધ પ્લી નોંધી કેસ ચલાવવા માટે મુકરર કરેલ હતો.

- Advertisement -

જે અનુસંધાને ઉપરોક્ત ચારેય આરોપીઓ કોર્ટમાં ફરી હાજર થયેલ હતા અને આરોપીઓ વિરૂદ્ધ ચાલવા પર આવતા ચારેય આરોપીઓએ પોતાની સહીઓથી લેખિતમાં ફરિયાદી નીતિનભાઈ બીનશરતી માફી માગતો માફીપત્ર રજૂ કરેલ હતો. જે મુજબ : આ કામના ફરિયાદી નીતિનભાઈ ગણપતરામ ભારદ્વાજનાઓએ અમો તહોમતદારો દીલગીરી વ્યક્ત કરનાર વિરૂદ્ધ બદનક્ષીનો કેસ કરેલ છે, જેની હકીકતોથી અમો નીચે સહી કરનારાઓ સંપૂર્ણપણે વાકેફ છીએ. ગત તા. 22-2-2022ના રોજ અમો તહોમતદાર નં. 1, 2, 3 અને 4નાઓએ ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીત કરેલ હતી, જે પ્રેસ કોન્ફરન્સમાં અમોએ ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો ફરિયાદી વિરૂદ્ધ કરેલ હતા તેમજ અમો તહોમતદાર નં. 1નાઓએ તે સમયે વિધાન પક્ષના નેતાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા હોય અને અમારી ફરજના ભાગરૂપે અમોએ ઉપરોક્ત જણાવેલ આક્ષેપોવાળી પ્રેસનોટ જુદા જુદા અખબારોમાં પ્રસારિત કરવા સારૂ આપેલ. અમો તહોમતદાર નં. 1, 2, 3, 4નાઓએ ફરિયાદી વિરૂદ્ધ કરેલ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો હતા જે અમોએ કોઈ આધાર કે પુરાવા વિના કર્યા હતા જે અમારી ભૂલ હતી. અમારા આવા આક્ષેપોથી આ કામના ફરિયાદીની બદનક્ષી થયેલ છે જે બદલ અમો આ કામના ફરિયાદીની બીનશરતી માફી માંગીએ છીએ. ચારેપ આરોપીઓની ઉપરોક્ત મુજબની બીનશરતી માફી માંગતો માફીપત્ર રેકર્ડ પર આવતા નામદાર કોર્ટે ફરિયાદી નીતિનભાઈને તેઓને આરોપીઓએ માંગેલ લેખિત માફી સ્વીકાર્ય છે કે કેમ? તેમજ તેઓ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ? તે પૂછતાં ફરિયાદી નીતિનભાઈએ આરોપીઓ દ્વારા માંગવામાં આવેલ બીનશરતી માફી સ્વીકારેલ હતી અને માફીપત્રની હકીકત ધ્યાને લઈને કેસ પરત ખેંચવા કોર્ટમાં વિથડ્રો પુરશીષ રજૂ કરેલ હતી તેમજ કોર્ટને કેસ ફાઈલે કરવા વિનંતી કરેલ હતી.

આ કામમાં ફરિયાદી નીતિનભાઈ ભારદ્વાજ તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, કૃણાલ દવે, ચેતન પુરોહિત વિગેરે રોકાયેલ હતા.

You Might Also Like

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા

કેમિસ્ટની દેશવ્યાપી હડતાલ: રાજકોટમાં દવાના વેપારીઓના ધરણા-સૂત્રોચ્ચાર

પદાધિકારીઓને ઉદ્દઘાટન કરવું છે એટલે રાજકોટનો સાંઢીયા પુલ હાલ ખૂલ્લો નહીં મૂકી શકાય

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની કોમ્પ્યુટર સાયન્સ હેકાથોન ખૂબ ઉત્સાહ સાથે યોજાઈ
Next Article સામાજિક સમરસતા મંચ અને ભાજપના કાર્યકરોએ સફાઈ કામદારો સાથે ધૂળેટી ઉજવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા
વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?