ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય દરબાર’ અને ‘પ્રેત દરબાર’ની આડમાં મેલીવિદ્યા કરતા હોવાનો આરોપ
જ્યાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, ત્યાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રામકથા સંભળાવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાના ગામ ગઢામાં આવેલું બાગેશ્વર ધામ હાલ ચર્ચામાં છે. બાગેશ્વર ધામમાં હનુમાનજીનું મંદિર છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ વિવાદોમાં ફસાયેલા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ સાથે તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની શક્તિઓ સાબિત કરવી પડશે.
તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના નાગપુરમાં આવી જ એક ’શ્રી રામ ચરિત્ર ચર્ચા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા 13 જાન્યુઆરી સુધી ચાલવાનું નક્કી હતું, પરંતુ કાર્યક્રમ બે દિવસ વહેલા એટલે કે 11 જાન્યુઆરીએ જ પૂરો થયો. શા માટે? કારણ કે નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ આરોપ લગાવ્યો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય દરબાર’ અને ‘પ્રેત દરબાર’ની આડમાં ’મેલીવિદ્યા’ કરે છે.
શું છે વિવાદ ?
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ 18 જાન્યુઆરીએ રાયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ધર્મ પરિવર્તનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, ત્યાં તેઓ રામકથા સંભળાવશે. શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, તેમણે ધર્માંતરણ રોકવાનો સંકલ્પ લીધો છે.
- Advertisement -
છત્તીસગઢના કેબિનેટ મંત્રી કાવાસીનો બાબાને પડકાર
છત્તીસગઢમાં પણ પડકાર મળ્યો છે. કેબિનેટ મંત્રી કાવાસી લખમાએ કહ્યું છે કે, બાબા મારી સાથે બસ્તર જાઓ. જો દિન-પ્રતિદિન ધર્માંતરણ થતું હોય તો હું રાજનીતિ છોડી દઈશ અને જો એવું ન થતું હોય તો તેમણે પંડિતાઈને છોડી દેવું જોઈએ.