CCPAએ એમેઝોનને તેના પ્લેટફોર્મ પર ‘અયોધ્યા રામ મંદિર પ્રસાદ’ ભ્રામક દાવા કરતી મિઠાઈઓના વેચાણ માટે નોટિસ જાહેર કરી છે. ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોનને તેના પ્લેટફોર્મ પર ‘અયોધ્યા રામ મંદિર પ્રસાદ’ ભ્રામક દાવા કરતી મિઠાઈઓના વેચાણ માટે નોટિસ જાહેર કરી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
CCPAએ સાત દિવસમાં જવાબ માંગ્યો છે અને ચેતવણી આપી છે કે, જવાબ આપવામાં નહીં આવે તો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, 2019ની જોગવાઈ હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઈ-કોમર્સ કંપનીએ જણાવ્યું છે કે, આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એમેઝોન પ્રવક્તાએ જણાવ્યું કે, ‘CCPAએ ફરિયાદ કરી છે કે, એમેઝોન પર કેટલાક વિક્રેતાઓ તેમની પ્રોડક્ટ બાબતે ભ્રામક દાવા કરી રહ્યા છે. કંપનીની પોલિસી અનુસાર કોઈપણ ફેક લિસ્ટિંગ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. CCPAના ધ્યાનમાં આવ્યું છે કે, એમેઝોન પર વિભિન્ન મિઠાઈઓ અને ખાદ્ય ઉત્પાદ ઉપલબ્ધ છે, જે શ્રીરામ મંદિરનો પ્રસાદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એમેઝોને આ પ્રકારની પ્રોડક્ટ વેચવા માટે પ્લેટફોર્મ પર મંજૂરી આપી છે, જે પ્રોડક્ટની વિશેષતા વિશે લોકોને ગુમરાહ કરે છે.’
એમેઝોન પર લિસ્ટેડ પ્રોડક્ટ વિશે જાણકારી આપતા જણાવ્યું છે કે, રામ મંદિર અયોધ્યા પ્રસાદ- રઘુપતિ ધી લાડુ, રામ મંદિર અયોધ્યા પ્રસાદ- ખોયા ખોબી લાડુ, રામ મંદિર અયોધ્યા પ્રસાદ- દેશી ગાયના દૂધના પેડા. CCPAએ જણાવ્યું છે કે, ‘ઉલ્લેખનીય છે કે, ઉપભોક્તા સંરક્ષણ નિયમ, 2020ના નિયમ 4 (3) હેઠળ કોઈપણ ઈ-કોમર્સ કંપની વેપાર માટે કોઈપણ અનુચિત વ્યવહાર નહીં અપનાવે તથા કોઈપણ પ્રોડક્ટ બાબતે ભ્રામક દાવા નહીં કરે.’