CBIએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો સખત વિરોધ કર્યો અને તેમને કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા, ટ્રાયલ કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો, હવે આ તારીખે આપશે ચુકાદો
દિલ્હી દારૂ કૌભાંડ મામલે મોટી અપડેટ સામે આવી છે
- Advertisement -
દારૂ કૌભાંડ કેસમાં પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની અરજી પર શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CBIએ તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. આ તરફ તપાસ એજન્સીની દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટ 30 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. નોંધનિય છે કે, મનીષ સિસોદિયા દિલ્હીની રદ્દ કરાયેલ એક્સાઈઝ પોલિસીના કેસમાં મહિનાઓથી જેલમાં છે. આ તરફ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળી ગયા છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
AAP leader Manish Sisodia withdrew the plea seeking interim bail from Delhi's Rouse Avenue Court. He sought interim bail for the election campaign.
CBI has opposed the regular bail application of Manish Sisodia. CBI said that he should not be granted bail as he was termed…
- Advertisement -
— ANI (@ANI) April 20, 2024
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવાની માંગ કરી હતી. સિસોદિયાના વકીલે કહ્યું કે, હવે કોર્ટે નિયમિત જામીન પર નિર્ણય અનામત રાખ્યો છે તેથી વચગાળાની જામીન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે. બીજી તરફ CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું કે, તેમને જામીન ન આપવા જોઈએ. CBIએ તેસને દારૂ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. મહત્વનું છે કે, મનીષ સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે.
CBIએ કોર્ટમાં શું દલીલ કરી ?
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CBIએ કહ્યું કે, સિસોદિયા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ. તપાસ એજન્સીએ દલીલ કરી હતી કે, જો જામીન આપવામાં આવે તો સિસોદિયા પુરાવા સાથે ચેડા કરી શકે છે. CBIએ કહ્યું કે, સિસોદિયા માસ્ટરમાઇન્ડ છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. CBIએ કહ્યું કે કોર્ટે તેની જામીન અરજી પહેલા જ ફગાવી દીધી છે. જો તેને મુક્ત કરવામાં આવે તો તે વિક્ષેપ પેદા કરી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાના ED અને CBI કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટ હવે 30 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.