મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગ્નની બે ડેટ્સ તથા બે વેન્યૂ સામે આવી રહ્યાં છે.
હાલમાં જ આલિયાના ભાઈ રાહુલ ભટ્ટે એક વાતચીતમાં કહ્યું હતું કે લગ્નની તારીખ ને સ્થળમાં બદલવામાં આવ્યાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બંનેના ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે, સવારે ઇવેન્ટ ડેકોરેટર્સ રણબીરના ઘરે જતા જોવા મળ્યા હતા, હવે બપોરે ડિઝાઇનર કપડાના પાર્સલ સાથે એક કેબ રણબીરના ઘરે જતા જોવા મળી હતી. આ કારની પાછળની સીટ પર પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચીના લેબલવાળી ઘણી બેગ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગમાં રણબીર અને આલિયા ભટ્ટના વેડિંગ આઉટફિટસ છે. જો કે, અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયામાંથી કોઈએ પણ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પહેલાં 14થી 17 એપ્રિલની વચ્ચે વેડિંગ થવાના હતા, પરંતુ હવે ડેટની સાથે સાથે સ્થળ પણ બદલવામાં આવ્યું છે. લગ્ન મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં થશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે લગ્ન 20 એપ્રિલ પહેલાં થઈ જશે.
- Advertisement -
https://www.instagram.com/p/CcMo51BDBqS/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગ્નની બે ડેટ્સ તથા બે વેન્યૂ સામે આવી રહ્યાં છે. કહેવાય છે કે રણબીર-આલિયાના લગ્ન 14 કે 17 એપ્રિલના રોજ વાસ્તુ અપાર્ટમેન્ટ અથવા RK હાઉસમાં કરશે. આ પહેલાં કપલની પીઠી, સંગીત, મહેંદી સેરેમની યોજાશે. લગ્ન બાદ રણબીર-આલિયા મુંબઈમાં તાજ મહેલ પેલેસ અથવા ગ્રાન્ડ હયાતમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નના દિવસે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલા પોશાક પહેરશે અને કપલના લગ્નનો પોશાક પેસ્ટલ કલરનો હશે. સબ્યસાચી ઉપરાંત, આલિયા લગ્નના કેટલાક ફંક્શનમાં મનીષ મલ્હોત્રાના કપડાં પણ પહેરવાની છે, તેવું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
https://www.instagram.com/reel/CcNhskJjMna/?igshid=YmMyMTA2M2Y=
ભટ્ટ-કપૂર પરિવાર લગ્નની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. કપૂર પરિવારના ‘ક્રિશ્નારાજ બંગલો’, RK સ્ટુડિયો, RK હાઉસને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. રણબીરના ઘર વાસ્તુ અપાર્ટમેન્ટની બહાર સામાન આવતો હોઈ, એની અનેક તસવીરો વાઇરલ થઈ રહી છે. કપૂર પરિવાર અને આલિયા ભટ્ટ પણ સબ્યસાચીની સાથે મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સમાં પણ જોવા મળી શકે છે. આલિયા ભટ્ટની ખાસ મિત્ર અનુષ્કા રંજન પણ આ લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંગો પહેરવાની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે, આલિયા ભટ્ટ તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો બ્રાઇડલ લહેંગો પણ પહેરી શકે છે. હવે આ વર-કન્યા કયા ડિઝાઇનરના કપડામાં સાત ફેરા લેશે તે તો આવનારો સમય જ કહેશે.

https://www.instagram.com/reel/CcNcb3EjfeG/?igshid=YmMyMTA2M2Y=
રાહુલ ભટ્ટે કહ્યું હતું, ‘હાલમાં હું એટલું જ કહીશ કે લગ્નની તારીખ ને વેન્યૂ બદલવામાં આવ્યાં છે. આમ કરવાનું કારણ પ્રાઇવસી છે. મીડિયાને અમે દોષ આપતા નથી, પરંતુ મીડિયાને તારીખ ને સ્થળની જાણ થતાં જ ડ્રોન કેમેરા ઘરની આસપાસ ફરવા લાગ્યા. આસપાસના લોકોને મુશ્કેલી પડે છે. આ જ કારણે હવે લગ્નનું સ્થળ બદલવામાં આવ્યું છે. પરિવાર મુંબઈમાં જ હોટલમાં લગ્ન કરશે. લગ્ન 20 એપ્રિલ પહેલાં શક્ય છે.’
https://www.instagram.com/reel/CcNHCVsjOMB/?igshid=YmMyMTA2M2Y=
રાહુલ ભટ્ટે કહ્યું હતું, ‘લગ્નમાં બહુ ઓછા મહેમાનો આવશે. લગ્નની જે રીતની તૈયારીઓ ચાલી રહી છે એ પ્રમાણે 28 મહેમાન હાજર રહેશે. આલિયાના સગા કાકા મુકેશ ભટ્ટ પણ લગ્નમાં કદાચ જ હાજર રહી શકશે. લગ્ન પંજાબી વિધિથી થશે.’

https://www.instagram.com/reel/CcNGFhnjuNd/?igshid=YmMyMTA2M2Y=
મહેશ ભટ્ટ છેલ્લાં 10થી વધુ વર્ષોથી બ્લેક કપડાં પહેરે છે. જોકે દીકરી આલિયાના લગ્નમાં તે બ્લેક કપડાં પહેરશે નહીં. મહેશ ભટ્ટના નિકટનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીકરીના લગ્નમાં તેઓ બ્રાઇટ રંગનાં કપડાં પહેરશે. તેઓ દીકરીના લગ્નમાં શુકન-અપશુકનનું ખાસ ધ્યાન રાખશે. તેમનાં કપડાં મોટી દીકરી પૂજા ભટ્ટ તૈયાર કરે છે.
https://www.instagram.com/reel/CcMzAfPKKtt/?igshid=YmMyMTA2M2Y=
લગ્નની વચ્ચે ભટ્ટ તથા કપૂર પરિવાર પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં કોઈ સમાધાન કરવા તૈયાર નથી. મહેશ ભટ્ટ કોમેડિયન કપિલ શર્મના શોમાં ‘પહચાનઃ ધ અનસ્ક્રિપ્ટેડ શો’નું પ્રમોશન કરશે. આ શોમાં મહેશ ભટ્ટ શીખ કમ્યુનિટીના જાણીતા લોકોના ઇન્ટરવ્યુ લેશે.
https://www.instagram.com/reel/CcLWXp1qh46/?igshid=YmMyMTA2M2Y=


