જસદણ નગરપાલિકા ખાતે બે દિવસમાં 48 સફાઇ કામદારોને કાયમી ભરતી કરવા માટેની મૌખિક ઇન્ટરવ્યુની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. વર્ષો પછી સફાઈ કામદારોની ભરતી થશે આ ભરતી પ્રક્રિયામાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા, ભરતી સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ હિરપરા, કારોબારી ચેરમેન કાજલબેન ધોળકિયા, રાજકોટના અધિક કલેકટર, જસદણ ચીફ ઓફિસર સહિતનાઓની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં વિવિધ સમાજના કુલ 428 અરજદારોએ સફાઈ કામદાર તરીકે જોડાવા માટેની અરજી કરી હતી પ્રથમ દિવસે 214 અને બીજા દિવસે 214 જણાને ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા બહારથી આવેલા તમામ અરજદારો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
– હુસામુદ્દીન કપાસી જસદણ


