બધી એકાદશીની જેમ આમલકી એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરવાના અમુક નિયમ છે જેને ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે.
હિંદૂ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્વ હોય છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનાર એકાદશી બધી એકાદશીથી અલગ અને ખાસ હોય છે કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા. ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોની વરસાદ કર્યો અને રંગ, ગુલાલ લગાવ્યું હતું. માટે કાશી અને અમુક જગ્યાઓ પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે.
- Advertisement -
ક્યારે છે આમલકી એકાદશી?
હિંદૂ પંચાંગ અનુસાર આમલકી એકાદશીનું વ્રત ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. જે આ વર્ષે 20 માર્ચે છે. આ દિવસે વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. એવામાં જાણો આમલકી એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ.
વ્રતમાં શું ખાવું જોઈએ?
- Advertisement -
આમલકી એકાદશીના દિવસે આંમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે આંમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિ મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.
આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂર કરવું જોઈએ. માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
આમલકી એકાદશીના દિવસે શક્કરીયાનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે આ દિવસે આમલકી એકાદશી પર શક્કરીયાનું સેવન કરો.
આમલકી એકાદશીના દિવસે નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે. જો આમલકી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તે આંમળાના ઝાડની નીચે બેસીને બનાવીને ખાવું જોઈએ. કહેવાય છે કે તેનાથી બેગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
આમલકી એકાદશીના દિવસે આંમળાના ઝાડની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ જરૂર કરો.
આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ?
આમલકી એકાદશીના દિવસે માંસ, ડુંગળી, લસણ અને મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ.
આ દિવસે શલજમ, કોબી અને પાલક ન ખાવા જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે.
આમલકી એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા.
આમલકી એકાદશી પર આ મંત્રોનો કરો જાપ
ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।
ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान। यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।