સોમનાથ દાદાને શિશ ઝુકાવી ઝંઝાવાતી પ્રચાર કરતા યોગી આદિત્યનાથ
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હડફેટે લઈ આકરા પ્રહારો કર્યા
- Advertisement -
કોંગ્રેસએ મુસ્લિમોના મતો માટે ક્યારે હિન્દુઓને સન્માન આપ્યુ નથી: યોગી
કોંગ્રેસે હમેંશા હિન્દુઓની આસ્થા સાથે રમત કરવાનું કામ કર્યુ છે: યોગી
ગીર-સોમનાથની ચાર બેઠકો 2017માં ભાજપે ગુમાવેલી, પરત મેળવી શકશે ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચારના અંતિમ દોરમાં સોમનાથ વેરાવળ ખાતે યુપીના સીએમ યોગી આદિત્યનાથે જંગી જાહેર સભાને સંબોધતા યોગીએ સોમનાથ પર વિધર્મીઓના આક્રમણને યાદ કરી ગુજરાતીમાં સબોધનની શરૂઆત કરી ઉપસ્થિત જન મેદનીને પ્રભાવિત કરી હતી.
યોગી એ વધુમાં જણાવેલ કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમોને સન્માન તો નહીં આપે અને તમારી સુરક્ષા કરી શકતી નથી. આ બધું ભાજપની સરકાર જ આપી શકે.
યોગીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે અને સેનાના પરાક્રમ સામે સવાલ ઉઠાવી પ્રુફ માંગે છે. ત્યારે આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિતના કરાય. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યુ. કોંગ્રેસએ ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યુ નથી. યોગી સહિતના મહાનુભાવો એ સંવિધાન ગોરવ દિવસ નિમિત્તે મંચ પર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી જણાવ્યું હતું કે, બાબા સાહેબ ડો. આંબેડકરજીને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસએ કર્યુ છે. કોંગ્રેસ ને આડેહાથ લઈ યોગીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમ વોટબેંક માટે ક્યારેય પણ આપણી આસ્થાને સન્માન નહિ આપે. જે કોંગ્રેસ તમારી આસ્થા સાથે ખીલવાડ કરે છે શું એવી કોંગ્રેસને મત આપશો.? કોંગ્રેસ અહીંથી શાંત નથી થતી કોંગ્રેસે ક્યારે ડો. બાબાસાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું. બાબાસાહેબને ચૂંટણી હરાવવાના ભરપૂર પ્રયાસ કોંગ્રેસ કરતી હતી. મને યાદ છે 1990માં સોમનાથના આશીર્વાદ લઇને ભવ્ય રથયાત્રા નીકળી હતી.
આજે ભવ્ય રામ મંદિરના નિર્માણ નું કાર્ય થઈ રહ્યું છે.જે લોકો કહેતા હતા કે આયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ થશે તો લોહીની નદીઓ વહેશે એ લોકો એક મચ્છર પણ નથી મારી શક્યા. તે લોકો ઉપર આજે ઉત્તરપ્રદેશનું બુલ્ડોઝર તેમની છાતી ઉપર ચઢીને તેમને ખતમ કરે છે. ભારત દુનિયાની તાકાત બન્યું છે. જે બ્રિટનએ આપણા દેશ પર રાજ કર્યું આજે તેનાથી પણ આગળ આપણો દેશ છે. વિશ્ર્વની ૠ-20 સમીતમાં ભારત દુનિયાના 20 દેશોનું પ્રતિનિધિત્વ કરશે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. મોદી સરકાર માં ભારત દેશ સામે કોઈ પણ આડી નજર થી જોઈ નથી શકતું.
આજે ગુજરાતમાં કોમી રમખાણો, કરફ્યુ, આતંકવાદ, નક્સલવાદ સમાપ્ત છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો નમૂનો આવ્યો છે તે આતંકવાદ નો સમર્થક છે. આમ આદમી પાર્ટી દ્વારા બહાદુર જવાનો પાસે પ્રમાણ માંગવામાં આવે છે ત્યારે તેઓ સર્જીકલ સ્ટાઈલ કરે છે તેને પણ આમ આદમી પાર્ટીને તેનું પ્રમાણ જોઈએ છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર તેમનના જીન્સનો હિસ્સો છે. ભગવાન સોમનાથના ભવ્ય મંદિરની સાથે આઝાદી માટે લડેલા શહીદોને સન્માન આપવું છે જેમને ભારત માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. સોમનાથ મંદિર માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર હમીરજી ગોહીલ તેમનો મુખ્ય હિસ્સો છે જેમને મંદિર માટેબલિદાન આપ્યું. આજે કાશ્મીર માંથી 370 હટાવી નાખવામાં આવી છે. આતંકવાદને જડમુળ માંથી સમાપ્ત કરી નાખી છે. જે સંકટનાં સમયે તમારી સાથે રહે તે તમારો ઈચ્છું છે કોરોનામાં ફ્રીમાં ટેસ્ટ, ઉપચાર, વેક્સિંગ અને ગરીબોને રાશનની સુવિધા મોદી એ આપી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી તેમને બધાંયે ભગાડી દીધા. દિલ્હીથી બધા લોકો ભાગીને યુપી આવતા હતા ત્યારે તે લોકો માટે અમારે વ્યવસ્થા કરવી પડી હતી. અમિતભાઇ શાહને વ્યવસ્થા કરવી પડી હતી જે દિલ્હી નથી સંભાળી શકતા તે શું ગુજરાત સંભાળશે. તમારી આસ્થાનું સંપ અને સુરક્ષા, સમૃદ્ધિનાં દ્વાર કોંગ્રેસ કે આપ નહિ ખોલી શકે: યોગી આદિત્યનાથ