By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    15 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    16 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    17 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    17 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    16 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    16 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી
રાજકોટ

કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી

Khaskhabar Editor
Last updated: 2025/10/13 at 4:15 PM
Khaskhabar Editor 8 months ago
Share
7 Min Read
SHARE

સહજતા, સ્મિત, સત્ય અને સખાવતનો પર્યાય એટલે મૌલેશભાઈ

પાટીદાર સમાજના પનોતાપુત્ર, રાજકોટની ધરોહરસમા, દિગ્ગજ ઉદ્યોગપતિ અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન: 63માં વર્ષમાં મંગલપ્રવેશ

- Advertisement -

‘ઈશ્ર્વર પાત્રતા પણ પાત્ર જોઈને આપે છે’ ધન-સત્તા-સંપત્તિનો બહુજન હિતાય ઉપયોગ કરવા માટે એક ઉદાર હૃદય, અંતરમાં કરૂણા, પરોપકાર ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના મનુષ્યની ભીતર આકાર લે છે ત્યારે માનવી પૈસાના મદ-મોહ, અહંકારથી અલિપ્ત બને છે. સેવા, સમર્પણ, સાદગી, સરળતા, સૌજન્ય, સંસ્કાર, સહાનુભૂતિ, સૌહાર્દ જેવા સદ્ગુણો તે વ્યક્તિના વ્યક્તિત્વનું અભિન્ન અંગ બની જાય છે, આવા જ એક સાચા વૈષ્ણવજન, દ્વારકાધીશના પરમ ભકત એટલે મૌલેશભાઈ ઉકાણી. પાટીદાર ભામાશા, દાનની સરવાણી જેના હાથથી સતત વહેતી રહે છે. ‘દાન આપવું એ મારૂં કર્તવ્ય છે’ એવા ભાવથી યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય પાત્રને આપેલ સાત્ત્વિક દાન તેના મુઠી ઉંચેરા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આવકાર આપવામાં હંમેશા પહેલ કરવી ‘જય દ્વારકાધીશ’ના મીઠા લહેકાથી સામેવાળાને આત્મિયતા અને ઉમળકાભેર મળવું એ તેમની અમિરાત… ‘મારૂં જીવન એ જ મારો સંદેશ’ ગાંધીજીની આ ઉક્તિને તેઓએ સાર્થક કરી છે. લાડકવાયી દીકરીના લગ્નોત્સવ નિમિત્તે રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયામાં ભવ્ય-દિવ્ય વૃંદાવનધામ ઊભું કરી શ્રીનાથદ્વારાની ધ્વજાજીને રાજકોટ લાવી ભવ્ય શોભાયાત્રા યોજી નગરજનોને તેના દર્શનનો લ્હાવો આપ્યો. ત્રિદિવસીય મનોરથના ભવ્યાતિભવ્ય ધર્મ મહોત્સવને નાત-જાત, કોઈ સમાજના ભેદભાવ વગર, જાહેરજનતા માટે સર્વે કૃષ્ણભક્તો માટે ખુલ્લો મૂક્યો. આ અલૌકિક મનોરથ મહોત્સવ મૌલેશભાઈએ રાજકોટને આપેલ અનન્ય યાદગાર સંભારણું બની રહ્યું. માત્ર પોતાનાઓ માટે જ નહીં, સર્વસમાજના છેવાડાના માનવી સુધી, અલબત્ત અબોલ પશુધન માટે પણ કંઈક કરી છૂટવા સદા તત્પર રહેતાં દ્વારકાધીશના કૃપાપાત્ર મૌલેશભાઈની વ્યવસાયિક પ્રોફાઈલ જોઈએ તો સૌરાષ્ટ્રના અંબાણી, દિગ્ગજ

ઉદ્યોગપતિ કે જેઓ ખ્યાતનામ ઉદ્યોગગૃહ ‘બાન લેબ’ના માલીક છે. પ્રવર્તમાન સમયમાં લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતતા જોવા મળે છે, ત્યારે વર્ષોથી બાન લેબ કંપની આપણા પ્રાચીન અણિશુદ્ધ વિજ્ઞાન આયુર્વેદ દ્વારા લોકોની જીવનશૈલી, સ્વાસ્થ્યને સુધારવા મેડિસીન, હેર કેર, કોસ્મેટિક્સ જેવી અનેક પ્રોડકટોની વ્યાપક રેન્જ ધરાવે છે. 1966માં માત્ર 16 હજાર રૂપિયાના રોકાણથી પિતા ડો. ડી. કે. પટેલે શરૂ કરેલી આ કંપનીને મૌલેશભાઈએ આજે સફળતાના ઉત્તંગ શિખરે પહોંચાડી છે, જેની શાખાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના 45 દેશોમાં ફેલાય છે. સામાન્ય માણસને પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા, અપાર લોકપ્રિયતા અને પ્રશંસા સાથે તેને સાત-સાત શ્રેષ્ઠતા પુરસ્કરો પ્રાપ્ત થયા છે. ઝી બિઝનેસ ચેનલે તેને સૌથી વિશ્ર્વસનીય કંપનીઓમાંથી એક જાહેર કરી છે.

ઉંમરમાં વાનપ્રસ્થાશ્રમની ગરિમા, ભીતરમાં બાળકની નિર્દોષતા, સંતસમું વૈરાગ્ય, હૈયે દ્વારકાધીશનું નામ, દાનની વહેતી સરવાણીનો સરવાળો એટલે મૌલેશભાઈ 21મી સદીની શરૂઆતથી આ સંસ્થાએ તેના ઉત્સાહી અને મહેનત મૌલેશભાઈ ઉકાણીના સક્ષમ નેતૃત્વ અને નિર્દેશન હેઠળ જે અપાર સફળતા હાંસલ કરી છે, તે મેનેજમેન્ટના વિદ્યાર્થી માટે પણ કેસ સ્ટડીનો વિષય છે. સતત નવું આયુર્વેદ જેવા ટ્રેડીશનલ વિષયમાં પણ તેમના માર્ગદર્શનમાં સંશોધિત અનેક પ્રોડકટ એ વાતનો પુરાવો છે કે તેઓ ઈનોવેશનના માણસ છે. તેમનું હેર ઓઈલ સેસા એ રેકર્ડબ્રેક માર્કેટ

- Advertisement -

મેળવ્યું છે. કફ શરદી માટેની પ્રોડકટ ક્રકસ ખૂબ સારા પરિણામ આપે છે. પેનથી લઈને ડીઓ સુધીની વિશાળ રેન્જ તેઓ ધરાવે છે. એનું આયુ કલ્પ સીરપ હાર્ટ માટે અદ્ભુત છે. બાન લેબની જ્વલંત સફળતા એ છે કે વિશ્ર્વ સ્તરે ‘સેસા’ અને તેવી અનેક પ્રિમિયમ બ્રાન્ડ લોકોનું આકર્ષણ અને લોકચાહના પામી છે.

મૌલેશભાઈ અગણિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિરના શ્રી દ્વારકાધીશ મંદિર એડમિનિસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, પાટીદાર સમાજના આસ્થાસ્થાન એવા શ્રી ઉમિયા માતાજી મંદિર, ટ્રસ્ટ-સિદસરના પ્રમુખ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના ટ્રસ્ટી, સરદારધામ વિશ્ર્વ પાટીદાર સેન્ટર- અમદાવાદના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાના ઉપપ્રમુખ, ક્લબ યુવી નવરાત્રિ મહોત્સવના એડવાઈઝરી ડાયરેકટર, ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કિડની રીસર્ચ ઈન્સ્ટીટયુટ રાજકોટના ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ- રાજકોટના ટ્રસ્ટી, સરગમ ક્લબ રાજકોટના સેક્રેટરી, લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર-કચ્છ ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશનના પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સીલના ઉપપ્રમુખ, ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજ- રાજકોટ ટ્રસ્ટી, ગુજરાત સ્ટેટ રોલ બોલ બેરીંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આર. કે. યુનિવર્સિટીના ગવર્નિંગ બોડી મેમ્બર સહિત 200થી વધુ સંસ્થાઓ સાથે તેઓ સક્રિય છે. મૌલેશભાઈ માટે સંસ્થાના હોદ્દેદાર હોવું એટલે માત્ર મંચસ્થ મહાનુભાવ નહીં, પણ જરૂર જણાય ત્યાં હજારોની માનવમેદનીમાં પાટીદાર સમાજને દિશાદર્શન કરવા સચોટ અને સટીક ટકોર કરતાં અચકાવું નહીં તે તેના સ્પષ્ટવક્તા અને નીડર સ્વભાવનો વિષય છે. સહજ એટલા માટે કે સંસ્થાનો સામાન્ય કાર્યકર પણ તેમનો પ્રશ્ર્ન લઈ આસાનીથી મળી શકે, કોઈપણ કાર્યક્રમ પૂર્વે કાર્યક્રમ સ્થળની અચાનક મુલાકાત લઈ તૈયારીઓ જોતાં સ્વયંસેવકોને પૂછતા ‘શું ચાલે છે બધું બરાબર?’ મૌલેશભાઈ દેખાય તો નવાઈ નહીં… એ તેમના ડાઉન ટુ અર્થ પર્સનાલિટીનો ભાગ છે. કોરોના કાળમાં રેશન કીટ વિતરણ હોય કે હરિદ્વારમાં ગરીબોને મફત સાયકલ રિક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈના હાથમાંથી દાનની સરવાણી સતત વહેતી જ રહે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવી, વિવિધ સંસ્થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય, મૌલેશભાઈ છુટા હાથે સખાવત આપતાં રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાફૂલ રહ્યા છે.

પરમ વૈષ્ણવ મૌલેશભાઈનો બ્રહ્મસંબંધ દ્વારકાધીશ સાથે બંધાઈ ગયો છે. સતત કૃષ્ણમય રહેવાને લીધે એ બધા કર્મ નિષ્કામભાવે કરી શકે છે. ઈશ્ર્વરના કર્મચારી તરીકે કર્મ કરનાર માણસ કરતાં મોટો કર્મયોગી કોઈ હોઈ શકે કે જેઓએ દ્વારકાધીશને પોતાના જીવનરથના સારથિ માની લીધા છે, સદા હસતો ચહેરો, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ, જેને મળતાં જ સામેવાળો ખુશ થઈ જાય, મોં પર પહોળુ સ્મિત, ચહેરા પર આનંદ, અવાજમાં ઉષ્મા, આંખમાં ચમક અને પરમ શાંતિનું આભામંડળ હોય, મૌલેશભાઈને ક્યારેક કોઈએ નિસ્તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, અજાતશત્રુ એવા મૌલેશભાઈને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઈ મનુષ્ય, તેમને આપણે સફળ બિઝનેસમેન તરીકે જ નહીં પણ સેવાના ભેખધારી ઓલિયા તરીકે ઓળખીએ છીએ. મૌલેશભાઈની જિંદગી જેટલી લાંબી છે તેના કરતાં ઘણી મોટી છે અને આજે તેમના જન્મદિવસે આપણે સૌ વતી પ્રભુને પ્રાર્થના કે તેઓ ઘણું જીવે, આપના જીવનનો આગળનો માર્ગ પણ સમૃદ્ધ, સ્વસ્થ, સુરક્ષિત અને સેવાયુક્ત કાર્યથી સભર બની રહે સૌ કોઈના પ્રીતિપાત્ર મૌલેશભાઈને જન્મદિનની અનરાધાર શુભકામનાનો ધોધ વહી રહ્યો છે. કોઈપણ કાર્યક્રમ પૂર્વે કાર્યક્રમ સ્થળની અચાનક મુલાકાત લઈ તૈયારીઓ જોતાં સ્વયંસેવકોને પૂછતા ‘શું ચાલે છે બધું બરાબર?’ મૌલેશભાઈ દેખાય તો નવાઈ નહીં… એ તેમના ડાઉન ટુ અર્થ પર્સનાલિટીનો ભાગ છે

 

 

You Might Also Like

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

સિનિયર સબ એડિટર- માહિતી મદદનીશ વર્ગ-૩ની પ્રિલિમ્સ પરીક્ષામાં CCDCના 18 ઉમેદવારો પાસ

રેસકોર્સના સ્વિમિંગ પૂલમાં 107 મહિલાઓએ એક્વા યોગ કર્યા

TAGGED: Maulesbhai Ukani, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article DGCA એ પાઇલટ તાલીમમાં અયોગ્ય સિમ્યુલેટરનો ઉપયોગ કરવા બદલ ઇન્ડિગો પર રૂ. 40 લાખનો દંડ ફટકાર્યો
Next Article ધ્રાંગધ્રાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની સિઝન શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?