By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિપક્ષી નેતા નોબેલ પુરસ્કાર જીત્યા બાદ વેનેઝુએલા નોર્વે દૂતાવાસ બંધ કરશે
    6 hours ago
    ટ્રમ્પે હવે ઈઝરાયલની સંસદમાં પણ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો
    8 hours ago
    ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી
    8 hours ago
    મેક્સિકોમાં પૂરનો કહેર, વરસાદે સર્જી તારાજી, લગભગ 130 લોકોના મોત થયા
    9 hours ago
    હું યુદ્ધો ઉકેલવામાં સારો છું: ટ્રમ્પની હવે અફઘાન-પાક સંઘર્ષ પર નજર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, રૂા.12 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરાયો
    5 hours ago
    EPFOમાંથી 100% પૈસા ઉપાડી શકાશે
    5 hours ago
    ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે
    7 hours ago
    આંધ્ર Google AI હબ: અદાણી જૂથ ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર માટે ભાગીદાર બનશે
    7 hours ago
    સ્વાસ્થ્ય માટે હાનિકારક…, WHO દ્વારા કફ સિરપને લઈને એલર્ટ આપવામાં આવ્યું
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રણજી ટ્રોફી: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બિહાર ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત
    1 day ago
    દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો
    3 days ago
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    1 week ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    2 weeks ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    7 hours ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 day ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    5 days ago
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    6 days ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 week ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    1 week ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    2 weeks ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    3 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    5 hours ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    3 days ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    3 days ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    3 days ago
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી
રાજકોટ

કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી

Khaskhabar Editor
Last updated: 2025/10/13 at 4:15 PM
Khaskhabar Editor 1 day ago
Share
7 Min Read
SHARE

સહજતા, સ્મિત, સત્ય અને સખાવતનો પર્યાય એટલે મૌલેશભાઈ

પાટીદાર સમાજના પનોતાપુત્ર, રાજકોટની ધરોહરસમા, દિગ્ગજ ઉદ્યોગપતિ અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન: 63માં વર્ષમાં મંગલપ્રવેશ

- Advertisement -

‘ઈશ્ર્વર પાત્રતા પણ પાત્ર જોઈને આપે છે’ ધન-સત્તા-સંપત્તિનો બહુજન હિતાય ઉપયોગ કરવા માટે એક ઉદાર હૃદય, અંતરમાં કરૂણા, પરોપકાર ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના મનુષ્યની ભીતર આકાર લે છે ત્યારે માનવી પૈસાના મદ-મોહ, અહંકારથી અલિપ્ત બને છે. સેવા, સમર્પણ, સાદગી, સરળતા, સૌજન્ય, સંસ્કાર, સહાનુભૂતિ, સૌહાર્દ જેવા સદ્ગુણો તે વ્યક્તિના વ્યક્તિત્વનું અભિન્ન અંગ બની જાય છે, આવા જ એક સાચા વૈષ્ણવજન, દ્વારકાધીશના પરમ ભકત એટલે મૌલેશભાઈ ઉકાણી. પાટીદાર ભામાશા, દાનની સરવાણી જેના હાથથી સતત વહેતી રહે છે. ‘દાન આપવું એ મારૂં કર્તવ્ય છે’ એવા ભાવથી યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય પાત્રને આપેલ સાત્ત્વિક દાન તેના મુઠી ઉંચેરા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આવકાર આપવામાં હંમેશા પહેલ કરવી ‘જય દ્વારકાધીશ’ના મીઠા લહેકાથી સામેવાળાને આત્મિયતા અને ઉમળકાભેર મળવું એ તેમની અમિરાત… ‘મારૂં જીવન એ જ મારો સંદેશ’ ગાંધીજીની આ ઉક્તિને તેઓએ સાર્થક કરી છે. લાડકવાયી દીકરીના લગ્નોત્સવ નિમિત્તે રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયામાં ભવ્ય-દિવ્ય વૃંદાવનધામ ઊભું કરી શ્રીનાથદ્વારાની ધ્વજાજીને રાજકોટ લાવી ભવ્ય શોભાયાત્રા યોજી નગરજનોને તેના દર્શનનો લ્હાવો આપ્યો. ત્રિદિવસીય મનોરથના ભવ્યાતિભવ્ય ધર્મ મહોત્સવને નાત-જાત, કોઈ સમાજના ભેદભાવ વગર, જાહેરજનતા માટે સર્વે કૃષ્ણભક્તો માટે ખુલ્લો મૂક્યો. આ અલૌકિક મનોરથ મહોત્સવ મૌલેશભાઈએ રાજકોટને આપેલ અનન્ય યાદગાર સંભારણું બની રહ્યું. માત્ર પોતાનાઓ માટે જ નહીં, સર્વસમાજના છેવાડાના માનવી સુધી, અલબત્ત અબોલ પશુધન માટે પણ કંઈક કરી છૂટવા સદા તત્પર રહેતાં દ્વારકાધીશના કૃપાપાત્ર મૌલેશભાઈની વ્યવસાયિક પ્રોફાઈલ જોઈએ તો સૌરાષ્ટ્રના અંબાણી, દિગ્ગજ

ઉદ્યોગપતિ કે જેઓ ખ્યાતનામ ઉદ્યોગગૃહ ‘બાન લેબ’ના માલીક છે. પ્રવર્તમાન સમયમાં લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતતા જોવા મળે છે, ત્યારે વર્ષોથી બાન લેબ કંપની આપણા પ્રાચીન અણિશુદ્ધ વિજ્ઞાન આયુર્વેદ દ્વારા લોકોની જીવનશૈલી, સ્વાસ્થ્યને સુધારવા મેડિસીન, હેર કેર, કોસ્મેટિક્સ જેવી અનેક પ્રોડકટોની વ્યાપક રેન્જ ધરાવે છે. 1966માં માત્ર 16 હજાર રૂપિયાના રોકાણથી પિતા ડો. ડી. કે. પટેલે શરૂ કરેલી આ કંપનીને મૌલેશભાઈએ આજે સફળતાના ઉત્તંગ શિખરે પહોંચાડી છે, જેની શાખાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના 45 દેશોમાં ફેલાય છે. સામાન્ય માણસને પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા, અપાર લોકપ્રિયતા અને પ્રશંસા સાથે તેને સાત-સાત શ્રેષ્ઠતા પુરસ્કરો પ્રાપ્ત થયા છે. ઝી બિઝનેસ ચેનલે તેને સૌથી વિશ્ર્વસનીય કંપનીઓમાંથી એક જાહેર કરી છે.

ઉંમરમાં વાનપ્રસ્થાશ્રમની ગરિમા, ભીતરમાં બાળકની નિર્દોષતા, સંતસમું વૈરાગ્ય, હૈયે દ્વારકાધીશનું નામ, દાનની વહેતી સરવાણીનો સરવાળો એટલે મૌલેશભાઈ 21મી સદીની શરૂઆતથી આ સંસ્થાએ તેના ઉત્સાહી અને મહેનત મૌલેશભાઈ ઉકાણીના સક્ષમ નેતૃત્વ અને નિર્દેશન હેઠળ જે અપાર સફળતા હાંસલ કરી છે, તે મેનેજમેન્ટના વિદ્યાર્થી માટે પણ કેસ સ્ટડીનો વિષય છે. સતત નવું આયુર્વેદ જેવા ટ્રેડીશનલ વિષયમાં પણ તેમના માર્ગદર્શનમાં સંશોધિત અનેક પ્રોડકટ એ વાતનો પુરાવો છે કે તેઓ ઈનોવેશનના માણસ છે. તેમનું હેર ઓઈલ સેસા એ રેકર્ડબ્રેક માર્કેટ

- Advertisement -

મેળવ્યું છે. કફ શરદી માટેની પ્રોડકટ ક્રકસ ખૂબ સારા પરિણામ આપે છે. પેનથી લઈને ડીઓ સુધીની વિશાળ રેન્જ તેઓ ધરાવે છે. એનું આયુ કલ્પ સીરપ હાર્ટ માટે અદ્ભુત છે. બાન લેબની જ્વલંત સફળતા એ છે કે વિશ્ર્વ સ્તરે ‘સેસા’ અને તેવી અનેક પ્રિમિયમ બ્રાન્ડ લોકોનું આકર્ષણ અને લોકચાહના પામી છે.

મૌલેશભાઈ અગણિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિરના શ્રી દ્વારકાધીશ મંદિર એડમિનિસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, પાટીદાર સમાજના આસ્થાસ્થાન એવા શ્રી ઉમિયા માતાજી મંદિર, ટ્રસ્ટ-સિદસરના પ્રમુખ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના ટ્રસ્ટી, સરદારધામ વિશ્ર્વ પાટીદાર સેન્ટર- અમદાવાદના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાના ઉપપ્રમુખ, ક્લબ યુવી નવરાત્રિ મહોત્સવના એડવાઈઝરી ડાયરેકટર, ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કિડની રીસર્ચ ઈન્સ્ટીટયુટ રાજકોટના ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ- રાજકોટના ટ્રસ્ટી, સરગમ ક્લબ રાજકોટના સેક્રેટરી, લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર-કચ્છ ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશનના પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સીલના ઉપપ્રમુખ, ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજ- રાજકોટ ટ્રસ્ટી, ગુજરાત સ્ટેટ રોલ બોલ બેરીંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આર. કે. યુનિવર્સિટીના ગવર્નિંગ બોડી મેમ્બર સહિત 200થી વધુ સંસ્થાઓ સાથે તેઓ સક્રિય છે. મૌલેશભાઈ માટે સંસ્થાના હોદ્દેદાર હોવું એટલે માત્ર મંચસ્થ મહાનુભાવ નહીં, પણ જરૂર જણાય ત્યાં હજારોની માનવમેદનીમાં પાટીદાર સમાજને દિશાદર્શન કરવા સચોટ અને સટીક ટકોર કરતાં અચકાવું નહીં તે તેના સ્પષ્ટવક્તા અને નીડર સ્વભાવનો વિષય છે. સહજ એટલા માટે કે સંસ્થાનો સામાન્ય કાર્યકર પણ તેમનો પ્રશ્ર્ન લઈ આસાનીથી મળી શકે, કોઈપણ કાર્યક્રમ પૂર્વે કાર્યક્રમ સ્થળની અચાનક મુલાકાત લઈ તૈયારીઓ જોતાં સ્વયંસેવકોને પૂછતા ‘શું ચાલે છે બધું બરાબર?’ મૌલેશભાઈ દેખાય તો નવાઈ નહીં… એ તેમના ડાઉન ટુ અર્થ પર્સનાલિટીનો ભાગ છે. કોરોના કાળમાં રેશન કીટ વિતરણ હોય કે હરિદ્વારમાં ગરીબોને મફત સાયકલ રિક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈના હાથમાંથી દાનની સરવાણી સતત વહેતી જ રહે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવી, વિવિધ સંસ્થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય, મૌલેશભાઈ છુટા હાથે સખાવત આપતાં રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાફૂલ રહ્યા છે.

પરમ વૈષ્ણવ મૌલેશભાઈનો બ્રહ્મસંબંધ દ્વારકાધીશ સાથે બંધાઈ ગયો છે. સતત કૃષ્ણમય રહેવાને લીધે એ બધા કર્મ નિષ્કામભાવે કરી શકે છે. ઈશ્ર્વરના કર્મચારી તરીકે કર્મ કરનાર માણસ કરતાં મોટો કર્મયોગી કોઈ હોઈ શકે કે જેઓએ દ્વારકાધીશને પોતાના જીવનરથના સારથિ માની લીધા છે, સદા હસતો ચહેરો, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ, જેને મળતાં જ સામેવાળો ખુશ થઈ જાય, મોં પર પહોળુ સ્મિત, ચહેરા પર આનંદ, અવાજમાં ઉષ્મા, આંખમાં ચમક અને પરમ શાંતિનું આભામંડળ હોય, મૌલેશભાઈને ક્યારેક કોઈએ નિસ્તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, અજાતશત્રુ એવા મૌલેશભાઈને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઈ મનુષ્ય, તેમને આપણે સફળ બિઝનેસમેન તરીકે જ નહીં પણ સેવાના ભેખધારી ઓલિયા તરીકે ઓળખીએ છીએ. મૌલેશભાઈની જિંદગી જેટલી લાંબી છે તેના કરતાં ઘણી મોટી છે અને આજે તેમના જન્મદિવસે આપણે સૌ વતી પ્રભુને પ્રાર્થના કે તેઓ ઘણું જીવે, આપના જીવનનો આગળનો માર્ગ પણ સમૃદ્ધ, સ્વસ્થ, સુરક્ષિત અને સેવાયુક્ત કાર્યથી સભર બની રહે સૌ કોઈના પ્રીતિપાત્ર મૌલેશભાઈને જન્મદિનની અનરાધાર શુભકામનાનો ધોધ વહી રહ્યો છે. કોઈપણ કાર્યક્રમ પૂર્વે કાર્યક્રમ સ્થળની અચાનક મુલાકાત લઈ તૈયારીઓ જોતાં સ્વયંસેવકોને પૂછતા ‘શું ચાલે છે બધું બરાબર?’ મૌલેશભાઈ દેખાય તો નવાઈ નહીં… એ તેમના ડાઉન ટુ અર્થ પર્સનાલિટીનો ભાગ છે

 

 

You Might Also Like

GTUની ‘ક્ષિતિજ’ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો દબદબો

હુડકો ક્વાટરમાંથી 1 કિલો ગાંજા સાથે ધોરાજીના અફઝલની ધરપકડ

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માજીનું રાજકોટમાં ભવ્ય અભિવાદન: આવતીકાલે રેસકોર્સ ખાતે કાર્યક્રમ

માહિતી વિભાગની વર્ગ-3 પરીક્ષાની તાલીમ માટે એક દિવસીય વર્કશોપ યોજાયો

પુજીત-વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો

TAGGED: Maulesbhai Ukani, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article DGCA એ પાઇલટ તાલીમમાં અયોગ્ય સિમ્યુલેટરનો ઉપયોગ કરવા બદલ ઇન્ડિગો પર રૂ. 40 લાખનો દંડ ફટકાર્યો
Next Article ધ્રાંગધ્રાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની સિઝન શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

GTUની ‘ક્ષિતિજ’ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજુલાની ‘સ્પર્શ હોસ્પિટલ’ દ્વારા ખુલ્લેઆમ વૃક્ષનું કટિંગ: પર્યાવરણ સાથે ચેડાં થતાં ચકચાર
હુડકો ક્વાટરમાંથી 1 કિલો ગાંજા સાથે ધોરાજીના અફઝલની ધરપકડ
અમરેલીના ઘાર કેરાળા ગામે એક વર્ષના બાળક પર જંગલી શિયાળનો હુમલો
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માજીનું રાજકોટમાં ભવ્ય અભિવાદન: આવતીકાલે રેસકોર્સ ખાતે કાર્યક્રમ
પોરબંદરના માંડવા ગામે મંજૂરી વિના રાજકીય સભા યોજાઈ : મહિલા સરપંચના પુત્ર સામે ગુનો નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

GTUની ‘ક્ષિતિજ’ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

હુડકો ક્વાટરમાંથી 1 કિલો ગાંજા સાથે ધોરાજીના અફઝલની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માજીનું રાજકોટમાં ભવ્ય અભિવાદન: આવતીકાલે રેસકોર્સ ખાતે કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?