By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    10 hours ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    10 hours ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    9 hours ago
    ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
    10 hours ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    10 hours ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    9 hours ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    9 hours ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    9 hours ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!
AuthorParakh Bhattધર્મ

એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!

Khaskhabar Editor
Last updated: 2021/12/18 at 3:58 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

હજુ પણ આપણા દેશમાં એવા અનેક ધર્મસ્થળો છે, જ્યાંની લૌકિક-અલૌકિક વાતો સમજવામાં માનવ-મગજ નિષ્ફળ ગયું છે. ઉત્તરપ્રદેશનાં મથુરા ડિસ્ટ્રિક્ટમાં આવેલું નિધિવન મંદિર આમાંનુ એક છે! શ્રીકૃષ્ણે પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હોવાની માન્યતાને કારણે નિધિવનનાં આ ધાર્મિક સ્થળને ‘બાંકે બિહારી મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. કાન્હાનાં અનેક નામો છે. મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે. દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું છે.

Contents
આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

- Advertisement -

મથુરાની તમામ ગોપીઓ અને રાધા કૃષ્ણને અત્યંત પ્રિય હતી. વૃંદાવનમાં કૃષ્ણ તેમની સાથે હંમેશા રાસલીલા રમતાં. નિધિવનનાં બાંકે બિહારી મંદિરની ગાથા પણ કૃષ્ણની રાસલીલા સાથે જ સંકળાયેલ છે. મંદિરનો મોટો ભાગ એકસરખા આકાર અને કદ ધરાવતાં ઘેઘુર વૃક્ષોનાં જંગલથી ઘેરાયેલો છે, અહીં સર્વત્ર લીલોતરી છે. ક્યાંય સૂકા કે પાન વગરનાં વૃક્ષોનું નામોનિશાન નથી. આશ્ચર્યની વાત તો છે કે વનની જમીન તદ્દન સૂકી હોવા છતાં સામાન્ય વૃક્ષોની માફક બાર માસ દરમિયાન અહીં ક્યારેય પાનખર ઋતુ દેખા નથી દેતી. એકપણ વૃક્ષનું થડ સુરેખ રેખામાં જમીન સાથે જોડાયેલું નથી. દરેક થડ-ડાળી એકબીજા સાથે વીંટળાઈને ગૂંચળુ બનાવે છે. ગામનાં લોકો દ્વારા ક્યારેય અહીંના વૃક્ષોને પાણી આપવામાં નથી આવતું. છતાં એકપણ વૃક્ષની ઘેઘુર ઘટામાં રતીભારનો ફેરફાર નથી નોંધાયો!

વનની વચ્ચોવચ આવેલા મંદિરની ઉંચી દીવાલો રાતનાં સમયે આગંતુકને મંદિરમાં પ્રવેશતાં રોકે છે. પ્રવેશ માટે મંદિરનાં આગળનાં ભાગમાં એક દરવાજો મૂકવામાં આવ્યો છે, જે ફક્ત સાંજના આઠ વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે. રાધા-શ્રીકૃષ્ણની મૂર્તિની સંધ્યા-આરતી બાદ મંદિરને મોટા તાળા વડે લોક કરી દેવામાં આવે છે, જેથી ભૂલેચૂકેય કોઈ વ્યક્તિ અંદર જવાની હિમ્મત ન કરી શકે! સ્થાનિક લોકોની માન્યતા મુજબ, મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ અને રાધા બંને આ મંદિરમાં સૂક્ષ્મદેહે પ્રવેશ કરે છે. વૃંદાવનની તમામ ગોપીઓ પણ અહીં રાસલીલા રમવા આવે છે. ગામવાસીઓને અડધી રાત્રે મંદિરનાં ગર્ભગૃહમાંથી ‘ઘુંઘરૂ’ ખનકવાનાં અવાજો સંભળાય છે.

- Advertisement -

ગીતા ગોવિંદ તથા ભગવતપુરાણ જેવા હિંદુ ગ્રંથોમાં રાધા-કૃષ્ણની રાસલીલાનો વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે. કૃષ્ણની 16,000 પટરાણીઓ વિશે પણ ઘણી કથાઓ પ્રચલિત છે. નવાઈની બાબત એ છે કે નિધિવનમાં આવેલ કુલ વૃક્ષોની સંખ્યા પણ 16,000 છે!

લોકોનું માનવું છે કે આ વૃક્ષો ખરેખર કૃષ્ણની ગોપીઓ છે, જે રાત્રે રૂપ બદલીને મંદિરમાં રાસ રમવા જાય છે અને સવાર પડ્યે ફરી પાછો મૂળ અવતાર (વૃક્ષ) ધારણ કરી લે છે!

મંદિરની કથા જાણી ઘણા જિજ્ઞાસુ અહીં કૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન માટે ખેંચાઈ આવે છે. જ્યારે-જ્યારે કોઈ વ્યક્તિએ મંદિરમાં રાત પસાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્યારે તેઓ ભયાનક ઘટનાઓનો ભોગ બન્યા છે. મંદિરનાં ગર્ભગૃહમાં રાત્રિ ગાળી ચૂકેલો દરેક વ્યક્તિ કાં તો મૃત્યુને ઘાટ ઉતરી ગયો છે અથવા બહેરો, મૂંગો કે આંધળો થઈ ગયો છે! આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મંદિરનાં પુજારીઓ પણ હવે સાંજે આઠ વાગતાં પહેલા પોતપોતાનાં ઘરે પાછા ફરી જાય છે. ગામનાં લોકો પોતાનાં ઘરનાં બારી-બારણા વાસી દે છે. પ્રાત:આરતી પહેલા કોઈ વ્યક્તિ ઘરનાં દરવાજા નથી ખોલતું. ઘેર જતાં પહેલા પૂજારીઓ કૃષ્ણ-રાધા માટે પલંગ સજાવે છે. જેનાં પર ફૂલની ચાદર પાથરી ઘરેણા, સાડી, લીમડાંના બે દાતણ, બંગડી, ઝાડનાં પાન, પીવા માટે પવિત્ર જળ અને લાડુ તૈયાર રખાય છે. સવારે આ તમામ વસ્તુઓ વિખરાયેલી અવસ્થામાં જોવા મળે છે. પાન ચવાયેલા પડ્યા હોય છે, પાણીનો જગ ખાલી થઈ ચૂક્યો હોય છે, લાડુ ખવાઈ ગયા હોય છે અને પલંગ પરનાં ફૂલો પણ અસ્તવ્યસ્ત અવસ્થામાં મળી આવે છે!

મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે, દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું

જોવા જેવી વાત છે કે આજુબાજુનાં વાંદરાઓ પણ સંધ્યા સમય બાદ મંદિરથી દૂર ભાગી જાય છે. જંગલનાં વૃક્ષો પર એકપણ પક્ષીએ માળો નથી બનાવ્યો! જીવજંતુનું તો નામોનિશાન સુધ્ધાં નથી! એવી માન્યતા છે કે કૃષ્ણને જાનથી પણ વધુ પ્રિય ગોપીઓ વૃક્ષ સ્વરૂપે ત્યાં વસવાટ કરી કાન્હા પ્રત્યેનાં પોતાનાં પ્રેમને વર્ણવે છે. લોકવાયકા અનુસાર, સ્વામી હરિદાસ નામનાં એક સંત શ્રીકૃષ્ણનાં પ્રખર ભક્ત હતાં. તેમની સાધનાથી પ્રસન્ન થઈને કૃષ્ણે તેમને પ્રત્યક્ષ દર્શન પણ દીધા હતાં. વનની એ જગ્યા આજે ‘પ્રાકટ્ય સ્થળ’ નામે ઓળખાય છે. દિવસનાં ભાગે દેશ-વિદેશનાં યાત્રિકો મંદિરની મુલાકાત લે છે. ઘણા ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ પણ મંદિરની મુલાકાત લઈને સંશોધનો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાંનું કોઈ અહીંના રહસ્યો પરથી પડદો નથી ઉઠાવી શક્યું!

વૃંદાવનથી સૌથી નજીકનું એરપોર્ટ આગ્રા ખાતે 67 કિલોમીટરનાં અંતરે આવેલું છે. યાત્રિકો ત્યાં સુધીની ફ્લાઇટમાં બેસી બાદમાં રિક્ષા કે ટેમ્પો પર સવાર થઈ નિધિવન આવી પહોંચે છે. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, કોલકાતા અને આગ્રા જેવા શહેરોને જોડતી ઘણી એક્સપ્રેસ ટ્રેનો પણ મથુરા રેલ્વે સ્ટેશનથી પ્રાપ્ય છે, જે વૃંદાવનથી ફક્ત 15 કિલોમીટરની દૂરી પર છે. નજીકનાં યાત્રાળુઓ દિલ્હી કે આગ્રાથી બસ અથવા ટેક્સી પકડીને મંદિરનાં દર્શન કરવા આવે છે. શ્રધ્ધાળુઓ માને છે કે નિધિવનમાં વસેલા રાધા-કૃષ્ણની મૂર્તિનાં સાક્ષાત દર્શન થકી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આમ જોવા જઈએ તો, બાંકે બિહારી મંદિર કોઈ તીર્થસ્થાનથી કમ નથી. પરંતુ અહીંની બિહામણી ઘટનાઓએ જે રીતે યાત્રાળુઓનાં ભોગ લીધા છે તેને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિરનાં દર્શન બંધ કરી દેવાયા છે!

શું ખરેખર નિધિવનનાં આ કૃષ્ણ-મંદિરમાં મધરાત્રિએ રાસલીલા રચાય છે? જંગલની બરાબર વચ્ચે આવેલા આ મંદિરનું એવું કયું રહસ્ય છે જેનાં લીધે પશુ-પક્ષીઓ પણ સંધ્યા સમય બાદ ત્યાં આશરો લેવાનું પસંદ નથી કરતાં?! શા માટે વિજ્ઞાનીઓ પણ મંદિરની હકીકત જાણવામાં નિષ્ફળ રહ્યા? સવાલો પુષ્કળ છે, પરંતુ જવાબો એકેય નહી! આ એક એવું રહસ્ય છે, જેને ઉકેલી શકવું બિલકુલ સરળ નથી.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂલ, વૃક્ષો અને સ્ટ્રેસલાઈન
Next Article હમારી અધૂરી કહાની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?