By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!
AuthorParakh Bhattધર્મ

એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!

Khaskhabar Editor
Last updated: 2021/12/18 at 3:58 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

હજુ પણ આપણા દેશમાં એવા અનેક ધર્મસ્થળો છે, જ્યાંની લૌકિક-અલૌકિક વાતો સમજવામાં માનવ-મગજ નિષ્ફળ ગયું છે. ઉત્તરપ્રદેશનાં મથુરા ડિસ્ટ્રિક્ટમાં આવેલું નિધિવન મંદિર આમાંનુ એક છે! શ્રીકૃષ્ણે પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હોવાની માન્યતાને કારણે નિધિવનનાં આ ધાર્મિક સ્થળને ‘બાંકે બિહારી મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. કાન્હાનાં અનેક નામો છે. મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે. દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું છે.

Contents
આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

- Advertisement -

મથુરાની તમામ ગોપીઓ અને રાધા કૃષ્ણને અત્યંત પ્રિય હતી. વૃંદાવનમાં કૃષ્ણ તેમની સાથે હંમેશા રાસલીલા રમતાં. નિધિવનનાં બાંકે બિહારી મંદિરની ગાથા પણ કૃષ્ણની રાસલીલા સાથે જ સંકળાયેલ છે. મંદિરનો મોટો ભાગ એકસરખા આકાર અને કદ ધરાવતાં ઘેઘુર વૃક્ષોનાં જંગલથી ઘેરાયેલો છે, અહીં સર્વત્ર લીલોતરી છે. ક્યાંય સૂકા કે પાન વગરનાં વૃક્ષોનું નામોનિશાન નથી. આશ્ચર્યની વાત તો છે કે વનની જમીન તદ્દન સૂકી હોવા છતાં સામાન્ય વૃક્ષોની માફક બાર માસ દરમિયાન અહીં ક્યારેય પાનખર ઋતુ દેખા નથી દેતી. એકપણ વૃક્ષનું થડ સુરેખ રેખામાં જમીન સાથે જોડાયેલું નથી. દરેક થડ-ડાળી એકબીજા સાથે વીંટળાઈને ગૂંચળુ બનાવે છે. ગામનાં લોકો દ્વારા ક્યારેય અહીંના વૃક્ષોને પાણી આપવામાં નથી આવતું. છતાં એકપણ વૃક્ષની ઘેઘુર ઘટામાં રતીભારનો ફેરફાર નથી નોંધાયો!

વનની વચ્ચોવચ આવેલા મંદિરની ઉંચી દીવાલો રાતનાં સમયે આગંતુકને મંદિરમાં પ્રવેશતાં રોકે છે. પ્રવેશ માટે મંદિરનાં આગળનાં ભાગમાં એક દરવાજો મૂકવામાં આવ્યો છે, જે ફક્ત સાંજના આઠ વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે. રાધા-શ્રીકૃષ્ણની મૂર્તિની સંધ્યા-આરતી બાદ મંદિરને મોટા તાળા વડે લોક કરી દેવામાં આવે છે, જેથી ભૂલેચૂકેય કોઈ વ્યક્તિ અંદર જવાની હિમ્મત ન કરી શકે! સ્થાનિક લોકોની માન્યતા મુજબ, મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ અને રાધા બંને આ મંદિરમાં સૂક્ષ્મદેહે પ્રવેશ કરે છે. વૃંદાવનની તમામ ગોપીઓ પણ અહીં રાસલીલા રમવા આવે છે. ગામવાસીઓને અડધી રાત્રે મંદિરનાં ગર્ભગૃહમાંથી ‘ઘુંઘરૂ’ ખનકવાનાં અવાજો સંભળાય છે.

- Advertisement -

ગીતા ગોવિંદ તથા ભગવતપુરાણ જેવા હિંદુ ગ્રંથોમાં રાધા-કૃષ્ણની રાસલીલાનો વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે. કૃષ્ણની 16,000 પટરાણીઓ વિશે પણ ઘણી કથાઓ પ્રચલિત છે. નવાઈની બાબત એ છે કે નિધિવનમાં આવેલ કુલ વૃક્ષોની સંખ્યા પણ 16,000 છે!

લોકોનું માનવું છે કે આ વૃક્ષો ખરેખર કૃષ્ણની ગોપીઓ છે, જે રાત્રે રૂપ બદલીને મંદિરમાં રાસ રમવા જાય છે અને સવાર પડ્યે ફરી પાછો મૂળ અવતાર (વૃક્ષ) ધારણ કરી લે છે!

મંદિરની કથા જાણી ઘણા જિજ્ઞાસુ અહીં કૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન માટે ખેંચાઈ આવે છે. જ્યારે-જ્યારે કોઈ વ્યક્તિએ મંદિરમાં રાત પસાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્યારે તેઓ ભયાનક ઘટનાઓનો ભોગ બન્યા છે. મંદિરનાં ગર્ભગૃહમાં રાત્રિ ગાળી ચૂકેલો દરેક વ્યક્તિ કાં તો મૃત્યુને ઘાટ ઉતરી ગયો છે અથવા બહેરો, મૂંગો કે આંધળો થઈ ગયો છે! આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મંદિરનાં પુજારીઓ પણ હવે સાંજે આઠ વાગતાં પહેલા પોતપોતાનાં ઘરે પાછા ફરી જાય છે. ગામનાં લોકો પોતાનાં ઘરનાં બારી-બારણા વાસી દે છે. પ્રાત:આરતી પહેલા કોઈ વ્યક્તિ ઘરનાં દરવાજા નથી ખોલતું. ઘેર જતાં પહેલા પૂજારીઓ કૃષ્ણ-રાધા માટે પલંગ સજાવે છે. જેનાં પર ફૂલની ચાદર પાથરી ઘરેણા, સાડી, લીમડાંના બે દાતણ, બંગડી, ઝાડનાં પાન, પીવા માટે પવિત્ર જળ અને લાડુ તૈયાર રખાય છે. સવારે આ તમામ વસ્તુઓ વિખરાયેલી અવસ્થામાં જોવા મળે છે. પાન ચવાયેલા પડ્યા હોય છે, પાણીનો જગ ખાલી થઈ ચૂક્યો હોય છે, લાડુ ખવાઈ ગયા હોય છે અને પલંગ પરનાં ફૂલો પણ અસ્તવ્યસ્ત અવસ્થામાં મળી આવે છે!

મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે, દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું

જોવા જેવી વાત છે કે આજુબાજુનાં વાંદરાઓ પણ સંધ્યા સમય બાદ મંદિરથી દૂર ભાગી જાય છે. જંગલનાં વૃક્ષો પર એકપણ પક્ષીએ માળો નથી બનાવ્યો! જીવજંતુનું તો નામોનિશાન સુધ્ધાં નથી! એવી માન્યતા છે કે કૃષ્ણને જાનથી પણ વધુ પ્રિય ગોપીઓ વૃક્ષ સ્વરૂપે ત્યાં વસવાટ કરી કાન્હા પ્રત્યેનાં પોતાનાં પ્રેમને વર્ણવે છે. લોકવાયકા અનુસાર, સ્વામી હરિદાસ નામનાં એક સંત શ્રીકૃષ્ણનાં પ્રખર ભક્ત હતાં. તેમની સાધનાથી પ્રસન્ન થઈને કૃષ્ણે તેમને પ્રત્યક્ષ દર્શન પણ દીધા હતાં. વનની એ જગ્યા આજે ‘પ્રાકટ્ય સ્થળ’ નામે ઓળખાય છે. દિવસનાં ભાગે દેશ-વિદેશનાં યાત્રિકો મંદિરની મુલાકાત લે છે. ઘણા ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ પણ મંદિરની મુલાકાત લઈને સંશોધનો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાંનું કોઈ અહીંના રહસ્યો પરથી પડદો નથી ઉઠાવી શક્યું!

વૃંદાવનથી સૌથી નજીકનું એરપોર્ટ આગ્રા ખાતે 67 કિલોમીટરનાં અંતરે આવેલું છે. યાત્રિકો ત્યાં સુધીની ફ્લાઇટમાં બેસી બાદમાં રિક્ષા કે ટેમ્પો પર સવાર થઈ નિધિવન આવી પહોંચે છે. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, કોલકાતા અને આગ્રા જેવા શહેરોને જોડતી ઘણી એક્સપ્રેસ ટ્રેનો પણ મથુરા રેલ્વે સ્ટેશનથી પ્રાપ્ય છે, જે વૃંદાવનથી ફક્ત 15 કિલોમીટરની દૂરી પર છે. નજીકનાં યાત્રાળુઓ દિલ્હી કે આગ્રાથી બસ અથવા ટેક્સી પકડીને મંદિરનાં દર્શન કરવા આવે છે. શ્રધ્ધાળુઓ માને છે કે નિધિવનમાં વસેલા રાધા-કૃષ્ણની મૂર્તિનાં સાક્ષાત દર્શન થકી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આમ જોવા જઈએ તો, બાંકે બિહારી મંદિર કોઈ તીર્થસ્થાનથી કમ નથી. પરંતુ અહીંની બિહામણી ઘટનાઓએ જે રીતે યાત્રાળુઓનાં ભોગ લીધા છે તેને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિરનાં દર્શન બંધ કરી દેવાયા છે!

શું ખરેખર નિધિવનનાં આ કૃષ્ણ-મંદિરમાં મધરાત્રિએ રાસલીલા રચાય છે? જંગલની બરાબર વચ્ચે આવેલા આ મંદિરનું એવું કયું રહસ્ય છે જેનાં લીધે પશુ-પક્ષીઓ પણ સંધ્યા સમય બાદ ત્યાં આશરો લેવાનું પસંદ નથી કરતાં?! શા માટે વિજ્ઞાનીઓ પણ મંદિરની હકીકત જાણવામાં નિષ્ફળ રહ્યા? સવાલો પુષ્કળ છે, પરંતુ જવાબો એકેય નહી! આ એક એવું રહસ્ય છે, જેને ઉકેલી શકવું બિલકુલ સરળ નથી.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂલ, વૃક્ષો અને સ્ટ્રેસલાઈન
Next Article હમારી અધૂરી કહાની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?