By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
    19 hours ago
    જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે તો ‘1929માં મહામંદી’નો સામનો કરવો પડશે
    22 hours ago
    “આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવા……..,” યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ઈન્ડિયાને યુક્રેન સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા વિનંતી કરી
    24 hours ago
    કેલિફોર્નિયામાં ઝડપથી વધતી આગને કારણે હજારો લોકોનું સ્થળાંતર
    1 day ago
    સ્પેનમાં મુસ્લિમ ધાર્મિક તહેવારો ઉજવવા પર રોક, લોકોમાં આક્રોશ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય સેના અને વાયુસેનાને 200 નવા હેલિકોપ્ટર મળશે
    20 hours ago
    ધરાલીમાં કાટમાળ નીચે રડારથી લોકોની શોધખોળ શરૂ: 650નું રેસ્ક્યૂ
    20 hours ago
    દિલ્હીમાં ગમે ત્યારે પૂરની આશંકા યમુનાનું જળસ્તર ડેન્જર લેવલ પર તંત્ર એલર્ટ
    20 hours ago
    ભારતીય રેલવેની ઓફર આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરવા પર 20% ડિસ્કાઉન્ટ
    20 hours ago
    અપીલ દરમિયાન જ જેલસજા પૂરી થાય તે ન્યાયની મજાક સમાન જ છે : સુપ્રીમ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    2 days ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    4 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    5 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    5 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 days ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    2 days ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    4 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    6 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 days ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    3 days ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    5 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    5 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    3 days ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    5 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    6 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 weeks ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!
AuthorParakh Bhattધર્મ

એક એવું ધર્મસ્થળ, જ્યાં રમાય છે… મૃત્યુની રાસલીલા!

Khaskhabar Editor
Last updated: 2021/12/18 at 3:58 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

હજુ પણ આપણા દેશમાં એવા અનેક ધર્મસ્થળો છે, જ્યાંની લૌકિક-અલૌકિક વાતો સમજવામાં માનવ-મગજ નિષ્ફળ ગયું છે. ઉત્તરપ્રદેશનાં મથુરા ડિસ્ટ્રિક્ટમાં આવેલું નિધિવન મંદિર આમાંનુ એક છે! શ્રીકૃષ્ણે પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હોવાની માન્યતાને કારણે નિધિવનનાં આ ધાર્મિક સ્થળને ‘બાંકે બિહારી મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. કાન્હાનાં અનેક નામો છે. મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે. દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું છે.

Contents
આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

- Advertisement -

મથુરાની તમામ ગોપીઓ અને રાધા કૃષ્ણને અત્યંત પ્રિય હતી. વૃંદાવનમાં કૃષ્ણ તેમની સાથે હંમેશા રાસલીલા રમતાં. નિધિવનનાં બાંકે બિહારી મંદિરની ગાથા પણ કૃષ્ણની રાસલીલા સાથે જ સંકળાયેલ છે. મંદિરનો મોટો ભાગ એકસરખા આકાર અને કદ ધરાવતાં ઘેઘુર વૃક્ષોનાં જંગલથી ઘેરાયેલો છે, અહીં સર્વત્ર લીલોતરી છે. ક્યાંય સૂકા કે પાન વગરનાં વૃક્ષોનું નામોનિશાન નથી. આશ્ચર્યની વાત તો છે કે વનની જમીન તદ્દન સૂકી હોવા છતાં સામાન્ય વૃક્ષોની માફક બાર માસ દરમિયાન અહીં ક્યારેય પાનખર ઋતુ દેખા નથી દેતી. એકપણ વૃક્ષનું થડ સુરેખ રેખામાં જમીન સાથે જોડાયેલું નથી. દરેક થડ-ડાળી એકબીજા સાથે વીંટળાઈને ગૂંચળુ બનાવે છે. ગામનાં લોકો દ્વારા ક્યારેય અહીંના વૃક્ષોને પાણી આપવામાં નથી આવતું. છતાં એકપણ વૃક્ષની ઘેઘુર ઘટામાં રતીભારનો ફેરફાર નથી નોંધાયો!

વનની વચ્ચોવચ આવેલા મંદિરની ઉંચી દીવાલો રાતનાં સમયે આગંતુકને મંદિરમાં પ્રવેશતાં રોકે છે. પ્રવેશ માટે મંદિરનાં આગળનાં ભાગમાં એક દરવાજો મૂકવામાં આવ્યો છે, જે ફક્ત સાંજના આઠ વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે. રાધા-શ્રીકૃષ્ણની મૂર્તિની સંધ્યા-આરતી બાદ મંદિરને મોટા તાળા વડે લોક કરી દેવામાં આવે છે, જેથી ભૂલેચૂકેય કોઈ વ્યક્તિ અંદર જવાની હિમ્મત ન કરી શકે! સ્થાનિક લોકોની માન્યતા મુજબ, મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ અને રાધા બંને આ મંદિરમાં સૂક્ષ્મદેહે પ્રવેશ કરે છે. વૃંદાવનની તમામ ગોપીઓ પણ અહીં રાસલીલા રમવા આવે છે. ગામવાસીઓને અડધી રાત્રે મંદિરનાં ગર્ભગૃહમાંથી ‘ઘુંઘરૂ’ ખનકવાનાં અવાજો સંભળાય છે.

- Advertisement -

ગીતા ગોવિંદ તથા ભગવતપુરાણ જેવા હિંદુ ગ્રંથોમાં રાધા-કૃષ્ણની રાસલીલાનો વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે. કૃષ્ણની 16,000 પટરાણીઓ વિશે પણ ઘણી કથાઓ પ્રચલિત છે. નવાઈની બાબત એ છે કે નિધિવનમાં આવેલ કુલ વૃક્ષોની સંખ્યા પણ 16,000 છે!

લોકોનું માનવું છે કે આ વૃક્ષો ખરેખર કૃષ્ણની ગોપીઓ છે, જે રાત્રે રૂપ બદલીને મંદિરમાં રાસ રમવા જાય છે અને સવાર પડ્યે ફરી પાછો મૂળ અવતાર (વૃક્ષ) ધારણ કરી લે છે!

મંદિરની કથા જાણી ઘણા જિજ્ઞાસુ અહીં કૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન માટે ખેંચાઈ આવે છે. જ્યારે-જ્યારે કોઈ વ્યક્તિએ મંદિરમાં રાત પસાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્યારે તેઓ ભયાનક ઘટનાઓનો ભોગ બન્યા છે. મંદિરનાં ગર્ભગૃહમાં રાત્રિ ગાળી ચૂકેલો દરેક વ્યક્તિ કાં તો મૃત્યુને ઘાટ ઉતરી ગયો છે અથવા બહેરો, મૂંગો કે આંધળો થઈ ગયો છે! આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મંદિરનાં પુજારીઓ પણ હવે સાંજે આઠ વાગતાં પહેલા પોતપોતાનાં ઘરે પાછા ફરી જાય છે. ગામનાં લોકો પોતાનાં ઘરનાં બારી-બારણા વાસી દે છે. પ્રાત:આરતી પહેલા કોઈ વ્યક્તિ ઘરનાં દરવાજા નથી ખોલતું. ઘેર જતાં પહેલા પૂજારીઓ કૃષ્ણ-રાધા માટે પલંગ સજાવે છે. જેનાં પર ફૂલની ચાદર પાથરી ઘરેણા, સાડી, લીમડાંના બે દાતણ, બંગડી, ઝાડનાં પાન, પીવા માટે પવિત્ર જળ અને લાડુ તૈયાર રખાય છે. સવારે આ તમામ વસ્તુઓ વિખરાયેલી અવસ્થામાં જોવા મળે છે. પાન ચવાયેલા પડ્યા હોય છે, પાણીનો જગ ખાલી થઈ ચૂક્યો હોય છે, લાડુ ખવાઈ ગયા હોય છે અને પલંગ પરનાં ફૂલો પણ અસ્તવ્યસ્ત અવસ્થામાં મળી આવે છે!

મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે, દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું

જોવા જેવી વાત છે કે આજુબાજુનાં વાંદરાઓ પણ સંધ્યા સમય બાદ મંદિરથી દૂર ભાગી જાય છે. જંગલનાં વૃક્ષો પર એકપણ પક્ષીએ માળો નથી બનાવ્યો! જીવજંતુનું તો નામોનિશાન સુધ્ધાં નથી! એવી માન્યતા છે કે કૃષ્ણને જાનથી પણ વધુ પ્રિય ગોપીઓ વૃક્ષ સ્વરૂપે ત્યાં વસવાટ કરી કાન્હા પ્રત્યેનાં પોતાનાં પ્રેમને વર્ણવે છે. લોકવાયકા અનુસાર, સ્વામી હરિદાસ નામનાં એક સંત શ્રીકૃષ્ણનાં પ્રખર ભક્ત હતાં. તેમની સાધનાથી પ્રસન્ન થઈને કૃષ્ણે તેમને પ્રત્યક્ષ દર્શન પણ દીધા હતાં. વનની એ જગ્યા આજે ‘પ્રાકટ્ય સ્થળ’ નામે ઓળખાય છે. દિવસનાં ભાગે દેશ-વિદેશનાં યાત્રિકો મંદિરની મુલાકાત લે છે. ઘણા ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ પણ મંદિરની મુલાકાત લઈને સંશોધનો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાંનું કોઈ અહીંના રહસ્યો પરથી પડદો નથી ઉઠાવી શક્યું!

વૃંદાવનથી સૌથી નજીકનું એરપોર્ટ આગ્રા ખાતે 67 કિલોમીટરનાં અંતરે આવેલું છે. યાત્રિકો ત્યાં સુધીની ફ્લાઇટમાં બેસી બાદમાં રિક્ષા કે ટેમ્પો પર સવાર થઈ નિધિવન આવી પહોંચે છે. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, કોલકાતા અને આગ્રા જેવા શહેરોને જોડતી ઘણી એક્સપ્રેસ ટ્રેનો પણ મથુરા રેલ્વે સ્ટેશનથી પ્રાપ્ય છે, જે વૃંદાવનથી ફક્ત 15 કિલોમીટરની દૂરી પર છે. નજીકનાં યાત્રાળુઓ દિલ્હી કે આગ્રાથી બસ અથવા ટેક્સી પકડીને મંદિરનાં દર્શન કરવા આવે છે. શ્રધ્ધાળુઓ માને છે કે નિધિવનમાં વસેલા રાધા-કૃષ્ણની મૂર્તિનાં સાક્ષાત દર્શન થકી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આમ જોવા જઈએ તો, બાંકે બિહારી મંદિર કોઈ તીર્થસ્થાનથી કમ નથી. પરંતુ અહીંની બિહામણી ઘટનાઓએ જે રીતે યાત્રાળુઓનાં ભોગ લીધા છે તેને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિરનાં દર્શન બંધ કરી દેવાયા છે!

શું ખરેખર નિધિવનનાં આ કૃષ્ણ-મંદિરમાં મધરાત્રિએ રાસલીલા રચાય છે? જંગલની બરાબર વચ્ચે આવેલા આ મંદિરનું એવું કયું રહસ્ય છે જેનાં લીધે પશુ-પક્ષીઓ પણ સંધ્યા સમય બાદ ત્યાં આશરો લેવાનું પસંદ નથી કરતાં?! શા માટે વિજ્ઞાનીઓ પણ મંદિરની હકીકત જાણવામાં નિષ્ફળ રહ્યા? સવાલો પુષ્કળ છે, પરંતુ જવાબો એકેય નહી! આ એક એવું રહસ્ય છે, જેને ઉકેલી શકવું બિલકુલ સરળ નથી.

You Might Also Like

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

મારો નાથ નથી મારાથી દૂર

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂલ, વૃક્ષો અને સ્ટ્રેસલાઈન
Next Article હમારી અધૂરી કહાની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મારો નાથ નથી મારાથી દૂર
નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક
‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
શાંતિનિકેતન કોલેજના વિદ્યાર્થીઓએ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Shailesh Sagpariya

મારો નાથ નથી મારાથી દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?