પાકિસ્તાનમાં કરાઈ હત્યા, NIA શોધી રહી હતી
20 ફેબ્રુઆરીએ બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝની હત્યા કરાઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.
એનઆઈએએ (ગઈંઅ) યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. અગાઉ પણ અનેક આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરાઈ હતી.
જમ્મુ-કાશ્ર્મીરના કૂપવાડા જિલ્લાનો રહેવાશી બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમની પાકિસ્તાનમાં જ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તે હિઝબુલ મુજાહિદ્દીનનો લોન્ચિંગ કમાંડર પણ રહી ચૂક્યો હતો. રાવલપિંડીમાં તેના પર ગોળીઓનો વરસાદ કરી દેવાયો હતો. તેને ગત વર્ષે જ ભારત સરકારે આતંકી જાહેર કર્યો હતો.
- Advertisement -