ખાસ-ખબર સંવાદદાતા
હિન્દુ સંસ્કૃતિ મુજબ હવે આગામી ચાર માસ તહેવારો, ઉત્સવો, ધર્મ આયોજનો અને આસ્થા અને ઉમંગથી ભરપુર હશે અને આ વર્ષ અધિક માસ પણ છે જેથી વિવિધ તિર્થસ્થાનો પર પણ શ્રદ્ધાળુઓ ભાવિકોની ભીડ લાંબા સમય સુધી જોઈ શકાશે જેમાં ઉતરાખંડના હરિદ્વારમાં ગઈકાલે ગંગાપૂજનની સાથે જ કાંવડ મેળાનો પણ પ્રારંભ થઈ ગયો છે.
હવે વિવિધ રાજય સરકારો પણ આ પ્રકારના આયોજનમાં આસ્થાળુઓને માટે અનેક સુવિધાઓ પણ ઓફર કરે છે તે મુજબ હરકી પૈડી પર કાંવડિયાઓને ફળાહાર અને પાણીની બોટલો આપવામાં આવી હતી અને ગઈકાલે પ્રથમ દિને જ કાંવડિયાઓની ભારે ભીડ ઉમટી હતી. કાંવડયાત્રાએ શિવભકતોની એક વાર્ષિક તિર્થયાત્રા છે જે ઉતરાખંડના હરિદ્વાર ગૌમુખ અને ગંગોત્રી કે હિન્દુ ધર્મસ્થાનોથી ગંગાનું પવિત્ર જળ લાવવા માટે યાત્રાના સ્વરૂપમાં ના સ્વરૂપમાં યોજાય છે.
- Advertisement -
લાખો શિવભકતો લાંબી સફર પદયાત્રા કરીને પહોંચે છે અને ભગવાન શિવને અર્પણ કરવા ગંગાનુ પવિત્ર જળ મેળવે છે. આ વખતે શ્રાવણ માસમાં (બે) આઠ સોમવાર છે. વહેલી યાત્રા શ્રવણે તેના માતા-પિતાને તિર્થસ્થાનો માટે કરાવી હતી અને માતાપિતાને ગંગાસ્નાન કરાયું અને પછી જે ગંગાજળ સાથે લીધું તે ભગવાન શિવને ચડાવ્યું તે સમયથી આ યાત્રા શરૂ થઈ છે.