સપ્તાહના અંતે શરૂ થનારી અમરનાથ યાત્રા ટાર્ગેટ હતી: શસ્ત્રોનો મોટો જથ્થો ઝડપાયો
જમ્મુ-કાશ્મીરમાં આગામી તા.1થી પ્રારંભ થઈ રહેલી અમરનાથ યાત્રા પુર્વે ભારતીય સેનાએ આ યાત્રા ખોરવવા સહિતના ત્રાસવાદી હુમલા માટે તૈયાર રહેલા અને ભારતીય સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહેલા બે અલગ અલગ ઓપરેશનમાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટના 15 ત્રાસવાદીઓને ઠાર માર્યા છે.
- Advertisement -
આ બન્ને ઓપરેશન હાઈટેક સર્વલન્સ સીસ્ટમનો ઉપયોગ કરીને પાક કબ્જાના કાશ્મીરમાં કરવામાં આવ્યા હતા. તા.16 અને 24 જૂનના આ ઓપરેશન કરાયા હતા અને ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કાશ્મીરની મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી અને તે સમયે તેઓને ત્યાં ઓપરેશનની સફળતાની જાણ કરવામાં આવી હતી. પીએએફએફ એ જૈશ-એ-મોહમ્મદનું નવું સંગઠન છે અને તે કાશ્મીરમાં લોકોને ઉશ્કેરવાનો પ્રોપેગંડા ચલાવે છે પણ તા.1 જુલાઈથી જે અમરનાથ યાત્રા શરૂ થવાની છે.
તે પુર્વેજ તે ભારે શસ્ત્રોથી સજજ ત્રાસવાદીઓને ખીણમાં ઘુસાડીને મોટો હુમલો કરે તેવી તૈયારી અંગે બાતમી મળતા જ તે તમો ભારતમાં ઘુસે તે પુર્વે પીઓકે પણ આ ઓપરેશન ચલાવવા નિર્ણય લેવાયો હતો. રાજયના માછીલ તથા કુપવારા ક્ષેત્રમાં ત્રાસવાદીઓ ઘુસણખોરી માટે જે રૂટનો ઉપયોગ કરે છે. તેના પર નજર રાખવા માટે અતિઆધુનિક સર્વેલન્સ સીસ્ટમ તથા અન્ય સાધનો ગોઠવીને સરહદ પારની થતી હિલચાલ પર સતત નજર રાખવામાં આવતી હતી.
આ સમયે અલગ અલગ હવે સમયે તા.12 જૂન અને તા.23 જૂનના બે ત્રાસવાદી જૂથો પીઓકેમાંથી સરહદ પાર કરવાની કોશીશમાં હતા. તે સમયે જ એક અચૂક ઓપરેશનથી તેઓને પાક કબ્જાના કાશ્મીરની સીમામાં ઠાર મરાયા હતા અને તે બાદ તા.15 જૂનથી ફરી હિલચાલ શરૂ થતા તેના પર પણ ખાસ વોચ ગોઠવાઈ હતી અને તેમાં પણ ત્રાસવાદીઓ ઘુસે તે પુર્વે જ ઠાર મરાયા હતા. આ ઉપરાંત હાલમાંજ જમ્મુ-કાશ્મીરમાં એક મોટા ઓપરેશનમાં 12 રાઈફલ તથા એ-વન ગ્રેડનું ડ્રગ જેની કિંમત રૂા.5 કરોડની થાય છે
- Advertisement -
તે પણ ઝડપી લેવાયુ હતું અને નવ એકે-7 ત્રણ પિસ્તોલ- ચાર ગ્રેનેડ પણ ઝડપાયા હતા. લશ્કરી સૂત્રોના જણાવ્યા મુજબ હથિયારો તથા ડ્રગની ખેપ આ ઘુસણખોરી પુર્વે જ મોકલીને બાદ અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાએ આ ઓપરેશન ચુપકીદીથી પાર પાડયું હતું અને બંને વખતે ત્રાસવાદીઓને ઘુસણખોરીમાં પ્રયાસ કરી રહેલ પાકિસ્તાની સેનાને પણ ઉંઘતી ઝડપી હતી. અમરનાથ યાત્રા માટેની સુરક્ષા પણ હવે વધુ કડક બનાવાઈ છે અને બાલતલ તથા પહલગાવ કેમ્પમાં વધુ અર્ધલશ્કરી દળો ગોઠવાયા છે.
હુમલા માટે ભારે શસ્ત્રો ઘુસાડાયા હતા: ડ્રગનો જથ્થો પણ ઝડપાયો
ભારતીય સીમામાં પાક ઘુસણખોરોને હુમલામાં મદદરૂપ થાય તે માટે શસ્ત્રોનો મોટો જથ્થો અગાઉથી જ ઘુસાડાયો હતો જે ઝડપાતા જ આર્મી એલર્ટ થઈ ગયું હતું અને નવ એકે-7 રાઈફલ, 12 લાઈટ રાઈફલ તેમજ કારતુસોનો મોટો જથ્થો હાથ કર્યો હતો તેની સાથે ડ્રગના 55 પેકેટ પણ મળી આવ્યા હતા. આ હુમલામાં પાક સ્થિત સંગઠન જેસ-એ-મહમ્મદની ભૂમિકા હોવાનું ખુલ્યું છે.