By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    1 day ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    1 day ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    2 days ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    2 days ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર
    10 minutes ago
    ‘ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો, નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેઇન તોડો’
    52 minutes ago
    વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ
    1 hour ago
    પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને 101મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ
    1 hour ago
    ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા: ઙખ બનવાના દાવેદાર
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિજય હઝારે ટ્રોફી: એક જ દિવસમાં 22 સદી, ઐતિહાસિક રણ ચેઝ અને સ્કોર 574
    3 hours ago
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    1 day ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    2 days ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 week ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 month ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 month ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલ પર સરકારનાં ચાર નહીં ચારસો હાથ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જયસુખ પટેલ પર સરકારનાં ચાર નહીં ચારસો હાથ!
ખાસ-ખબરગુજરાત

જયસુખ પટેલ પર સરકારનાં ચાર નહીં ચારસો હાથ!

Khaskhabar Editor
Last updated: 2022/11/08 at 5:59 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

દૂર્ઘટના બનતાવેંત જ ઓરેવાનાં માલિકને ક્લિનચીટ આપી દેવાઈ!

દિલ્હીનાં ઉપહાર સિનેમાની દુર્ઘટનામાં, અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં આગનાં બનાવમાં, સુરતનાં તક્ષશિલા ક્લાસિસનાં અકસ્માતમાં, અમદાવાદ-બોટાદનાં લઠ્ઠાકાંડમાં અને શિવાનંદ ગોકુલ હોસ્પિટલનાં બનાવમાં સંચાલકો-માલિકો સામે 304 જેવી ગંભીર કલમો લાગતી હોય તો મોરબી ઝૂલતાં પુલ હત્યાકાંડમાં શા માટે નહીં?

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં માનવ જિંદગીઓ સસ્તી છે, તેની કોઈ કિંમત નથી. જાહેર સ્થળો પર થતી દુર્ઘટના કે અકસ્માતોમાં મરનારને થોડા રૂપિયાની સહાય જાહેર કરી મામલો રફેદફે કરી દેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ભીનું સંકેલાઈ જતું હોય છે. પોલીસ કે પ્રશાસનને પણ ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાનું પરિવર્તન ન થાય તે માટે કડક કાયદા ઘડવામાં અને ગુનેગારને આકરી સજા કરવામાં રસ હોતો નથી. હાલમાં મોરબી ઝૂલતા પુલની હોનારતમાં પણ પોલીસ કે પ્રશાસનને આ ઘટનાના મુખ્ય જવાબદાર ઓરેવાના જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં અને સજા અપાવવામાં રસ નથી જેથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભડકી ઉઠ્યો છે. સૌરાષ્ટ્રના મોરબી ખાતે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમજ 150 જેટલા લોકો ઘાયલ થયા છે.

આ બનાવના પગલે પ્રશાસન અને પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લવામાં આવી છે. જોકે આ પુલના મેઇન્ટેનન્સ કામગીરીની જવાબદરી જેના માથે હતી, તે ઓરેવા કંપનીના માલિક જયસુખભાઇ પટેલ કે નગરપાલિકાના કોઇ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, એફઆઈઆરમાં તેમનું નામ પણ નથી જે અત્યંત ચોંકાવનારી બાબત છે. ઝૂલતા પુલ હોનારતમાં ઓરેવાના જયસુખ પટેલને જવાબદાર ગણાવનાર મોરબી નગર સેવા સદનના ચીફ ઓફિસરને સરકાર દ્વારા સસ્પેન્ડ કરી સમગ્ર મામલે કશી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવ્યો છે. હાલ આ ઘટના સાથે સંકળાયેલા વ્યક્તિઓને આ અંગે કંઈક પૂછવામાં આવે છે ત્યારે તપાસ ચાલું છે તેવો ઉત્તર મળી રહ્યો છે.

ઝૂલતાં પુલ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંડરગ્રાઉન્ડ

- Advertisement -

મોરબી ઝૂલતા પુલ હોનારતના દસ-દસ દિવસ પછી પણ આ માનવસર્જિત દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંડરગ્રાઉન્ડ છે. પોલીસને તેમની પૂછપરછ કરવામાં કે તેઓ ક્યાં સંતાઈને બેઠા છે તેની શોધખોળ કરી તપાસ કરવામાં રસ નથી. મોરબી ઝૂલતા પુલ જેવી હોનારત જ્યારેજ્યારે બની છે ત્યારેત્યારે હોનારતમાં મુખ્ય જવાબદાર વ્યક્તિનું નામ અચૂક હોય છે પરંતુ મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ ઓરેવાના જયસુખ પટેલનું નામ ગાયબ છે. જયસુખ પટેલને બચાવવા માટે પોલીસ અને પ્રશાસન તરફથી પ્રયાસ થઈ રહ્યા હોય તેવો ઘાટ ઉપસી રહ્યો છે. આ દરમિયાન મોરબી ઝૂલતા પુલ હોનારત મામલે એ બાબત નોંધવા જેવી છે કે, દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટના ગોકુલ હોસ્પિટલ અને અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ તેમજ બોટાદના લઠ્ઠાકાંડમાં જવાબદાર જે-તે સિનેમા, ક્લાસિસ, હોસ્પિટલ કે કંપની માલિકો-સંચાલકો સામે માનવવધના ગંભીર ગુનાની કલમ લગાવવા આવી હતી એટલું જ નહીં આ તમામ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી હતી જ્યારે મોરબી ઝૂલતા પુલ હોનારતમાં આમાનું કશું થયું નથી. ઓરેવાના જયસુખ પટેલ સામે માનવવધની કલમ તો દૂરની વાત છે, સામાન્ય ફરિયાદ પણ નોંધાઈ નથી.

આ મામલાની તપાસ પણ સ્થાનીય પોલીસ અને તંત્ર કરી રહ્યું છે. મોરબી ઝૂલતા પુલ હોનારતના દસ દિવસ વીત્યા પછી લાગી રહ્યું છે કે, પોલીસ અને પ્રશાસન આ દુર્ઘટના મામલે ગંભીર નથી, મૃતકો-ઘાયલોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ નથી. તેથી જ ગુજરાત હાઈકોર્ટને આ ઘટનાક્રમના આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરવાની ફરજ પડી છે. અદાલતે જણાવ્યું હતું કે, “મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી હતી. તેમાં 100થી વધુના અકાળે મોત થયા છે. આ માટે અમે તેની સુઓમોટો નોંધ લઈએ છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે અત્યારસુધીમાં તમે (સરકારે) શું પગલાં લીધા છે.” આમ, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં પોલીસ અને પ્રશાસનના કુણા વલણ અને હોનારતના મુખ્ય જવાબદાર ઓરેવના માલિક જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી ન કરવાના મામલે આ દુર્ઘટનામાં મૃતક-ઘાયલના પરિવારજનોથી લઈ સૌ કોઈ હતપ્રત છે.

ઉપહાર સિનેમા અગ્નિકાંડ: 59ના મોત થતાં મુખ્ય સંચાલકો અંસલ બંધુઓને 7 વર્ષની સજા, રૂ.2.50-2.50 કરોડનો દંડ
દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં 59 લોકોના મોત થતા જવાબદાર સિનેમા સંચાલકો અંસલ બંધુઓ સુશીલ અને ગોપાલ પર માનવવધની કલમ લગાવાઈ હતી, સાત વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટે આ મામલે બંને ભાઈઓને રૂ. 2.5-2.5 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. પાછળથી 30-30 કરોડ રૂપિયા જમા કરાવતા જામીન પણ આપ્યા હતા. કોર્ટ દ્વારા તેમને ઈજાગ્રસ્તોને કુલ 6.35 કરોડનું વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ આ રકમનું વ્યાજ પણ ચૂકવવા માટે કહ્યું હતું.

તક્ષશિલા અગ્નિકાંડ: 22નાં મોત થતાં મુખ્ય ક્લાસિક સંચાલકો અને બિલ્ડરો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો હતો
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. સમગ્ર મામલે ક્લાસિસ સંચાલકો અને બિલ્ડરોની બેદરકારી બહાર આવી હતી. પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડના જવાબદારો વિરુદ્ધ કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોરબી ઝૂલતાં પુલ હોનારતમાં 135નાં મોત થયા તો પણ ઉચ્ચસ્તરીય તપાસ કેમ નહીં?

દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં 59 લોકોના મોત થયા હતા, સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. રાજકોટની ગોકુલ હોસ્પિટલ અગ્નિકાંડમાં 6 અને અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8ના મોત થયા હતા. બોટાદ લઠ્ઠાકાંડમાં 59 જેટલા લોકોના મોત થયા હતા.

આ તમામ દુર્ઘટના કરતા મોરબી ઝૂલતા પુલ હોનારતમાં વધુ લોકોના મોત થયા છે એ જગજાહેર બાબત છે ત્યારે નોંધનીય છે કે, આ તમામ દુર્ઘટનાઓમાં 5થી લઈ 50 જેટલા લોકોના મોત થતા ઉચ્ચસ્તરીય તપાસ થઈ હતી, કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈથી લઈ સ્થાનિક તપાસ પંચને રિપોર્ટ સોંપવા માટેની કામગીરી સોંપાઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કરતા મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો ક્યાંય મોટો છે આમ છતાં મોરબી ઝૂલતા પુલ હોનારતમાં 135ના મોત થયા છે તો પણ સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવામાં કેમ આવી નથી? એ સવાલ અને શંકા ઉપજાવનાર છે.

શ્રેય હોસ્પિટલ: 8નાં મોત થતાં મુખ્ય સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો હતો
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ઈંઈઞમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેમની વિરુદ્ધ પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. નવરંપુરા પોલીસ સ્ટેશનમાં બેદરકારી મામલે 336, 337, 338, 304(અ) મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.

ગોકુલ હોસ્પિટલ અગ્નિકાંડ: 6નાં મોત થતાં સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો હતો
રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઈંઈઞમાં આગ લાગતા 6 દર્દીઓનાં મોત થયાં હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી બહાર આવતા મુખ્ય સંચાલક સહિત પાંચ લોકો પર ઇપીકો કલમ 304(અ), 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

લઠ્ઠાકાંડ : 50નાં મોત થતાં કેમિકલ કંપનીનાં મુખ્ય સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો
બોટાદના બરવાળા-ધંધુકા પંથકમાં થયેલા લઠ્ઠાકાંડમાં આશરે 50 જેટલા લોકોના કેમિકલવાળા દારૂ પીવાથી મોત થયા હતા. કેમિકલવાળો દારૂ જે કંપનીમાંથી આવ્યો હતો તે કંપનીના માલિકો-સંચાલકો સમીર પટેલ સહિતના વિરુદ્ધ કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોટી દુર્ઘટનાઓમાં મુખ્ય સંચાલકો પર જ માનવવધ ગુનો દાખલ કરાયો, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં કેમ નહીં?
આજથી અઢી દસક અગાઉ દિલ્હીમાં થયેલો ઉપહાર સિનેમા અગ્નિકાંડ હોય, આજથી થોડા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ કે રાજકોટની ગોકુલ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલો અગ્નિકાંડ હોય કે પછી થોડા મહિનાઓ અગાઉ બોટાદમાં થયેલો લઠ્ઠાકાંડ હોય.. આ તમામ ઘટનાઓમાં સિનેમા, હોસ્પિટલ, ક્લાસિસ કે કંપનીના મુખ્ય માલિકો સામે માનવવધની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના ઉપહાર સિનેમાથી લઈ સુરતના તક્ષશિલા અગ્નિકાંડ અને બોટાદ લઠ્ઠાકાંડમાં મુખ્ય સંચાલકો પર માનવવધનો ગંભીર ગુનો દાખલ કરાયો તો મોરબી ઝૂલતા પુલ હોનારતમાં કેમ નહીં? કેમ હજુ સુધી મોરબી ઝૂલતા પુલ હોનારત માટે મુખ્ય જવાબદાર એવા ઓરેવા કંપનીના જયસુખ પટેલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ મોટો પ્રશ્ર્ન છે.

 

You Might Also Like

મોરબી કોર્પોરેશન ડેની ઉજવણી: શહેરને હરિયાળું બનાવવા 550થી વધુ વૃક્ષોનું વાવેતર

વેગડવા રોડનું ફાટક બન્યું માથાનો દુખાવો 15 ગામના લોકોની ઓવરબ્રિજની માંગ

રાજકોટ દીકરીના ઘરે જવા રસ્તો ઓળંગતા વૃદ્ધાનું કાળા કલરની સ્કોર્પિયોની ઠોકરે મોત

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ: ધારાસભ્ય ઉદય કાનગડના ભાવાંજલિ અને શત શત નમન

રાજકોટ: મનપાની ઢોરપકડ પાર્ટી પર હુમલાના 9 વર્ષ જૂનાં કેસમાં મહિલા આરોપી નિર્દોષ જાહેર

TAGGED: accident, BRIDGE, investigation, JAYSUKHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપના પ્રથમ 50 નિશ્ચિત મૂરતિયાઓના નામ વાયરલ, અનેક મંત્રી-ધારાસભ્યો થશે રીપિટ
Next Article દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, નેપાળમાં 4 બાળકો સહિત 6નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ચોટીલામાં પ્લાસ્ટિક મુક્તિનું અલ્ટિમેટમ 31 ડિસેમ્બર સુધીમાં સ્ટોક ખાલી કરવા વેપારીઓને તાકીદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મોરબી કોર્પોરેશન ડેની ઉજવણી: શહેરને હરિયાળું બનાવવા 550થી વધુ વૃક્ષોનું વાવેતર
વેગડવા રોડનું ફાટક બન્યું માથાનો દુખાવો 15 ગામના લોકોની ઓવરબ્રિજની માંગ
ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર
રાજકોટ દીકરીના ઘરે જવા રસ્તો ઓળંગતા વૃદ્ધાનું કાળા કલરની સ્કોર્પિયોની ઠોકરે મોત
અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ: ધારાસભ્ય ઉદય કાનગડના ભાવાંજલિ અને શત શત નમન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી કોર્પોરેશન ડેની ઉજવણી: શહેરને હરિયાળું બનાવવા 550થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
મોરબી

વેગડવા રોડનું ફાટક બન્યું માથાનો દુખાવો 15 ગામના લોકોની ઓવરબ્રિજની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

રાજકોટ દીકરીના ઘરે જવા રસ્તો ઓળંગતા વૃદ્ધાનું કાળા કલરની સ્કોર્પિયોની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?