By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    4 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    4 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 day ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 day ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલ પર સરકારનાં ચાર નહીં ચારસો હાથ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જયસુખ પટેલ પર સરકારનાં ચાર નહીં ચારસો હાથ!
ખાસ-ખબરગુજરાત

જયસુખ પટેલ પર સરકારનાં ચાર નહીં ચારસો હાથ!

Khaskhabar Editor
Last updated: 2022/11/08 at 5:59 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

દૂર્ઘટના બનતાવેંત જ ઓરેવાનાં માલિકને ક્લિનચીટ આપી દેવાઈ!

દિલ્હીનાં ઉપહાર સિનેમાની દુર્ઘટનામાં, અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં આગનાં બનાવમાં, સુરતનાં તક્ષશિલા ક્લાસિસનાં અકસ્માતમાં, અમદાવાદ-બોટાદનાં લઠ્ઠાકાંડમાં અને શિવાનંદ ગોકુલ હોસ્પિટલનાં બનાવમાં સંચાલકો-માલિકો સામે 304 જેવી ગંભીર કલમો લાગતી હોય તો મોરબી ઝૂલતાં પુલ હત્યાકાંડમાં શા માટે નહીં?

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં માનવ જિંદગીઓ સસ્તી છે, તેની કોઈ કિંમત નથી. જાહેર સ્થળો પર થતી દુર્ઘટના કે અકસ્માતોમાં મરનારને થોડા રૂપિયાની સહાય જાહેર કરી મામલો રફેદફે કરી દેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ભીનું સંકેલાઈ જતું હોય છે. પોલીસ કે પ્રશાસનને પણ ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાનું પરિવર્તન ન થાય તે માટે કડક કાયદા ઘડવામાં અને ગુનેગારને આકરી સજા કરવામાં રસ હોતો નથી. હાલમાં મોરબી ઝૂલતા પુલની હોનારતમાં પણ પોલીસ કે પ્રશાસનને આ ઘટનાના મુખ્ય જવાબદાર ઓરેવાના જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં અને સજા અપાવવામાં રસ નથી જેથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભડકી ઉઠ્યો છે. સૌરાષ્ટ્રના મોરબી ખાતે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમજ 150 જેટલા લોકો ઘાયલ થયા છે.

આ બનાવના પગલે પ્રશાસન અને પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લવામાં આવી છે. જોકે આ પુલના મેઇન્ટેનન્સ કામગીરીની જવાબદરી જેના માથે હતી, તે ઓરેવા કંપનીના માલિક જયસુખભાઇ પટેલ કે નગરપાલિકાના કોઇ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, એફઆઈઆરમાં તેમનું નામ પણ નથી જે અત્યંત ચોંકાવનારી બાબત છે. ઝૂલતા પુલ હોનારતમાં ઓરેવાના જયસુખ પટેલને જવાબદાર ગણાવનાર મોરબી નગર સેવા સદનના ચીફ ઓફિસરને સરકાર દ્વારા સસ્પેન્ડ કરી સમગ્ર મામલે કશી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવ્યો છે. હાલ આ ઘટના સાથે સંકળાયેલા વ્યક્તિઓને આ અંગે કંઈક પૂછવામાં આવે છે ત્યારે તપાસ ચાલું છે તેવો ઉત્તર મળી રહ્યો છે.

ઝૂલતાં પુલ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંડરગ્રાઉન્ડ

- Advertisement -

મોરબી ઝૂલતા પુલ હોનારતના દસ-દસ દિવસ પછી પણ આ માનવસર્જિત દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંડરગ્રાઉન્ડ છે. પોલીસને તેમની પૂછપરછ કરવામાં કે તેઓ ક્યાં સંતાઈને બેઠા છે તેની શોધખોળ કરી તપાસ કરવામાં રસ નથી. મોરબી ઝૂલતા પુલ જેવી હોનારત જ્યારેજ્યારે બની છે ત્યારેત્યારે હોનારતમાં મુખ્ય જવાબદાર વ્યક્તિનું નામ અચૂક હોય છે પરંતુ મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ ઓરેવાના જયસુખ પટેલનું નામ ગાયબ છે. જયસુખ પટેલને બચાવવા માટે પોલીસ અને પ્રશાસન તરફથી પ્રયાસ થઈ રહ્યા હોય તેવો ઘાટ ઉપસી રહ્યો છે. આ દરમિયાન મોરબી ઝૂલતા પુલ હોનારત મામલે એ બાબત નોંધવા જેવી છે કે, દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટના ગોકુલ હોસ્પિટલ અને અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ તેમજ બોટાદના લઠ્ઠાકાંડમાં જવાબદાર જે-તે સિનેમા, ક્લાસિસ, હોસ્પિટલ કે કંપની માલિકો-સંચાલકો સામે માનવવધના ગંભીર ગુનાની કલમ લગાવવા આવી હતી એટલું જ નહીં આ તમામ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી હતી જ્યારે મોરબી ઝૂલતા પુલ હોનારતમાં આમાનું કશું થયું નથી. ઓરેવાના જયસુખ પટેલ સામે માનવવધની કલમ તો દૂરની વાત છે, સામાન્ય ફરિયાદ પણ નોંધાઈ નથી.

આ મામલાની તપાસ પણ સ્થાનીય પોલીસ અને તંત્ર કરી રહ્યું છે. મોરબી ઝૂલતા પુલ હોનારતના દસ દિવસ વીત્યા પછી લાગી રહ્યું છે કે, પોલીસ અને પ્રશાસન આ દુર્ઘટના મામલે ગંભીર નથી, મૃતકો-ઘાયલોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ નથી. તેથી જ ગુજરાત હાઈકોર્ટને આ ઘટનાક્રમના આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરવાની ફરજ પડી છે. અદાલતે જણાવ્યું હતું કે, “મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી હતી. તેમાં 100થી વધુના અકાળે મોત થયા છે. આ માટે અમે તેની સુઓમોટો નોંધ લઈએ છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે અત્યારસુધીમાં તમે (સરકારે) શું પગલાં લીધા છે.” આમ, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં પોલીસ અને પ્રશાસનના કુણા વલણ અને હોનારતના મુખ્ય જવાબદાર ઓરેવના માલિક જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી ન કરવાના મામલે આ દુર્ઘટનામાં મૃતક-ઘાયલના પરિવારજનોથી લઈ સૌ કોઈ હતપ્રત છે.

ઉપહાર સિનેમા અગ્નિકાંડ: 59ના મોત થતાં મુખ્ય સંચાલકો અંસલ બંધુઓને 7 વર્ષની સજા, રૂ.2.50-2.50 કરોડનો દંડ
દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં 59 લોકોના મોત થતા જવાબદાર સિનેમા સંચાલકો અંસલ બંધુઓ સુશીલ અને ગોપાલ પર માનવવધની કલમ લગાવાઈ હતી, સાત વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટે આ મામલે બંને ભાઈઓને રૂ. 2.5-2.5 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. પાછળથી 30-30 કરોડ રૂપિયા જમા કરાવતા જામીન પણ આપ્યા હતા. કોર્ટ દ્વારા તેમને ઈજાગ્રસ્તોને કુલ 6.35 કરોડનું વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ આ રકમનું વ્યાજ પણ ચૂકવવા માટે કહ્યું હતું.

તક્ષશિલા અગ્નિકાંડ: 22નાં મોત થતાં મુખ્ય ક્લાસિક સંચાલકો અને બિલ્ડરો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો હતો
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. સમગ્ર મામલે ક્લાસિસ સંચાલકો અને બિલ્ડરોની બેદરકારી બહાર આવી હતી. પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડના જવાબદારો વિરુદ્ધ કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોરબી ઝૂલતાં પુલ હોનારતમાં 135નાં મોત થયા તો પણ ઉચ્ચસ્તરીય તપાસ કેમ નહીં?

દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં 59 લોકોના મોત થયા હતા, સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. રાજકોટની ગોકુલ હોસ્પિટલ અગ્નિકાંડમાં 6 અને અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8ના મોત થયા હતા. બોટાદ લઠ્ઠાકાંડમાં 59 જેટલા લોકોના મોત થયા હતા.

આ તમામ દુર્ઘટના કરતા મોરબી ઝૂલતા પુલ હોનારતમાં વધુ લોકોના મોત થયા છે એ જગજાહેર બાબત છે ત્યારે નોંધનીય છે કે, આ તમામ દુર્ઘટનાઓમાં 5થી લઈ 50 જેટલા લોકોના મોત થતા ઉચ્ચસ્તરીય તપાસ થઈ હતી, કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈથી લઈ સ્થાનિક તપાસ પંચને રિપોર્ટ સોંપવા માટેની કામગીરી સોંપાઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કરતા મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો ક્યાંય મોટો છે આમ છતાં મોરબી ઝૂલતા પુલ હોનારતમાં 135ના મોત થયા છે તો પણ સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવામાં કેમ આવી નથી? એ સવાલ અને શંકા ઉપજાવનાર છે.

શ્રેય હોસ્પિટલ: 8નાં મોત થતાં મુખ્ય સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો હતો
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ઈંઈઞમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેમની વિરુદ્ધ પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. નવરંપુરા પોલીસ સ્ટેશનમાં બેદરકારી મામલે 336, 337, 338, 304(અ) મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.

ગોકુલ હોસ્પિટલ અગ્નિકાંડ: 6નાં મોત થતાં સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો હતો
રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઈંઈઞમાં આગ લાગતા 6 દર્દીઓનાં મોત થયાં હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી બહાર આવતા મુખ્ય સંચાલક સહિત પાંચ લોકો પર ઇપીકો કલમ 304(અ), 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

લઠ્ઠાકાંડ : 50નાં મોત થતાં કેમિકલ કંપનીનાં મુખ્ય સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો
બોટાદના બરવાળા-ધંધુકા પંથકમાં થયેલા લઠ્ઠાકાંડમાં આશરે 50 જેટલા લોકોના કેમિકલવાળા દારૂ પીવાથી મોત થયા હતા. કેમિકલવાળો દારૂ જે કંપનીમાંથી આવ્યો હતો તે કંપનીના માલિકો-સંચાલકો સમીર પટેલ સહિતના વિરુદ્ધ કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોટી દુર્ઘટનાઓમાં મુખ્ય સંચાલકો પર જ માનવવધ ગુનો દાખલ કરાયો, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં કેમ નહીં?
આજથી અઢી દસક અગાઉ દિલ્હીમાં થયેલો ઉપહાર સિનેમા અગ્નિકાંડ હોય, આજથી થોડા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ કે રાજકોટની ગોકુલ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલો અગ્નિકાંડ હોય કે પછી થોડા મહિનાઓ અગાઉ બોટાદમાં થયેલો લઠ્ઠાકાંડ હોય.. આ તમામ ઘટનાઓમાં સિનેમા, હોસ્પિટલ, ક્લાસિસ કે કંપનીના મુખ્ય માલિકો સામે માનવવધની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના ઉપહાર સિનેમાથી લઈ સુરતના તક્ષશિલા અગ્નિકાંડ અને બોટાદ લઠ્ઠાકાંડમાં મુખ્ય સંચાલકો પર માનવવધનો ગંભીર ગુનો દાખલ કરાયો તો મોરબી ઝૂલતા પુલ હોનારતમાં કેમ નહીં? કેમ હજુ સુધી મોરબી ઝૂલતા પુલ હોનારત માટે મુખ્ય જવાબદાર એવા ઓરેવા કંપનીના જયસુખ પટેલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ મોટો પ્રશ્ર્ન છે.

 

You Might Also Like

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!

રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારી નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે

TAGGED: accident, BRIDGE, investigation, JAYSUKHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપના પ્રથમ 50 નિશ્ચિત મૂરતિયાઓના નામ વાયરલ, અનેક મંત્રી-ધારાસભ્યો થશે રીપિટ
Next Article દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, નેપાળમાં 4 બાળકો સહિત 6નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?