ખાસ-ખબર સંવાદદાતા
19 ઓકટોબરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ પધારી રહ્યા છે. ત્યારે કૃષિ યુનિવર્સીટી ખાતે બપોરના સમયે પ્રધાનમંત્રી જાહેરસભાને સંબોધન કરશે અને તેની સાથે જૂનાગઢ,ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ત્રણ જિલ્લાના કુલ રૂપિયા 4163.10 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.જેમાં જૂનાગઢને પાણી પુરવઠા યોજના અને પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત અને બંદરોના વિકાસ સહીત અનેક વિકાસ કાર્યની ભેટ મળશે. ત્રણ જિલ્લાને હજારો કરોડોના ખર્ચે અનેકવિધ કામોનું ખાતમુહૂર્ત થવાનું છે. ત્યારે સોરઠવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં 18 ફૂટનાં કટઆઉટ લગાડવામાં આવ્યાં છે.
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીનાં 18 ફૂટનાં કટઆઉટ લાગ્યાં
