દેશના ઉત્તર-પશ્ર્ચિમ વિસ્તારમાંથી વિદાયની શરૂઆત થશે : 25 ઓક્ટોબર સુધીમાં દેશમાંથી વિદાય લેશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરના મોટાભાગના વિસ્તારમાં એવરેજ રેઇન ફોલ કરતા વધારે વરસાદ વરસાવ્યા બાદ હવે નૈઋત્યનું ચોમાસું થોડા દિવસોનું મહેમાન છે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
ભારતીય વેધશાળા દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ આગામી બે થી ત્રણ દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી તબક્કાવાર વિદાય લેશે અને 25 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસું પૂરું થઈ જશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ એન્ટિસાઇક્લોનિક ફલો શરૂ થઈ ગયો છે અને તે ચોમાસાની વિદાય માટે હકારાત્મક પરિબળ ગણવામાં આવે છે. ચોમાસાની વીડ્રોલ લાઈન ક્યાંથી શરૂ થશે અને તબક્કાવાર કયા વિસ્તારોમાંથી કઈ તારીખ આસપાસ આ લાઈન પસાર થશે તેની વિગતવાર જાહેરાત એકાદ બે દિવસમાં કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમના વિસ્તારમાંથી બે થી ત્રણ દિવસમાં ચોમાસાના અંતનો આરંભ થશે. જ્યારે રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી સહિતના વિસ્તારોમાંથી ચોમાસાને વિદાય લેતા હજુ પાંચ થી છ દિવસ થઈ જશે તેમ હવામાન ખાતું જણાવે છે. બંગાળની ખાડીમાં તારીખ 18 ના રોજ અપર એરસાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તેના કારણે ઓડિશા આંધ્રપ્રદેશ કર્ણાટક સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ રાજ્યોમાં હજુ વરસાદ ચાલુ રહેશે.