By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    4 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    4 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    4 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    4 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    6 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    6 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાથમાં નોકરીનો ઓર્ડર હતો અને ગામે સરપંચ બનાવી દીધો : ભીખાભાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હાથમાં નોકરીનો ઓર્ડર હતો અને ગામે સરપંચ બનાવી દીધો : ભીખાભાઇ
ગુજરાતજુનાગઢ

હાથમાં નોકરીનો ઓર્ડર હતો અને ગામે સરપંચ બનાવી દીધો : ભીખાભાઇ

Khaskhabar Editor
Last updated: 2022/06/11 at 4:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

ચૂંટણી હાર્યા કે જિત્યા બાદ વેરભાવ નથી રાખતા એવા ભીખાભાઇ જોષી સાથે ખાસ મુલાકાત

વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ જીવનભરનાં વેરઝેર થઇ જાય છે. ચૂંટણી પછી વર્ષો સુધી લોકો સામ સામે બોલતા નથી હોતા. ચૂંટણી પછી ગામડામાં ભાગલા પડી જાય છે. આવી સ્થિતીમાં પણ યુવા નેતાઓ માટે પ્રેરણારૂપ છે જુના અને પીઢ રાજકારણી ભીખાભાઇ જોષી. સરપંચની ચૂંટણીથી રાજકારણમાં પ્રવેશ કરનાર ભીખાભાઇ જોષી દરેક ચૂંટણી ખેલદીલીથી લડ્યાં છે. ચૂંટણી હાર્યા બાદ પણ હરીફ ઉમેદવાર માટે મનમાં રાગદેષ રાખતા નથી. ચૂંટણી હાર્યા બાદ ઉમેદવારને અભિનંદન આપવા જાય છે. તેની સાથે પરિવાર જેવા સંબંધ રાખે છે. આવા જુની પેઢીનાં રાજકારણી ભીખાભાઇ જોષીની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત.

- Advertisement -

કોંગ્રેસનું ઋણ ઉતારવું છે, ભાજપમાં જવાનો નથી, આગામી ચૂંટણી હું જ લડીશ

રાજકારણમાં યુવાનો પ્રવેશી રહ્યાં છે. આજે અનેક ગામડાઓમાં યુવા સરપંચ છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં પણ યુવાનો છે. અનેક યુવા નેતાઓ રાજકારણમાં કામ કરી રહ્યાં છે. દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાતી રહે છે. વર્તમાન સમયમાં ચૂંટણીઓનાં કારણે અનેક ગામમાં વેરઝેર થઇ ગયા છે. ભાઇ ભાઇ સામે બોલતો નથી. ગામડાઓમાં જ્ઞાતિનાં વાડા પડી ગયા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ મનદુ:ખ કાયમી રહે છે. વેરઝેરની ચૂંટણીથી ઉપર છે જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષી. મેંદરડા તાલુકાનાં અમરાપુરમાં 1/9/1945માં બ્રાહ્મણ કુંટુંબમાં ભીખાભાઇ જોષીનો જન્મ થયો હતો. રાજાશાહીમાં જમીન મળી હોય પિતાજી પશુપાલન સાથે ખેતીનો વ્યવસાય કરતા. ભીખાભાઇ જોષીએ પ્રાથમિક શિક્ષણ સ્થાનીક કક્ષાએ પૂર્ણ કર્યું હતું. વિસાવદરમાં ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો અને રાજકોટમાં જુની એસસીસી સુધીનો અભ્યાસ કર્યો હતો.અહીં સુધી અભ્યાસ કરી ગામડે આવ્યા અને પિતાને વ્યવસાયમાં મદદરૂપ થવા લાગ્યાં. તે જ અરસામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી. બસ અહીંથી ભીખાભાઇએ રાજકારણમાં પ્રવેશ કર્યો.


ચૂંટણી ખેલદિલીથી લડતા: ચૂંટણી હાર્યા બાદ હરીફ ઉમેદવારને અભિનંદન આપવા જતાં

- Advertisement -

ભીખાભાઈએ 25 વર્ષ ભાજપમાં કામ કર્યું : હવે જૂનાગઢમાં કૉંગ્રેસનાં ધારાસભ્ય

શરૂઆતનાં 25 વર્ષ ભાજપમાં કામ કર્યું હવે કોંગ્રેસનાં ધારાસભ્ય છે. ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે,તે સમયે નોકરી મળવી સરળ હતી. મારા હાથમાં નોકરીઓ ઓર્ડર હતો. અને ગામ કે તમારે સરપંચ બનવાનું છે. સવારે નિર્ણય કરવાનો હતો કે નોકરી કરવી કે સરપંચ બનવું. ગ્રામજનો કહેવાથી સરપંચ થયો. પ્રથમ વખત ચૂંટણી જિત્યો. અહીંથી રાજકીય સફર શરૂ થઇ. ભીખાભાઇ જોષીની ઉંમર 77 વર્ષની છે. આ ઉંમરે પણ યુવા નેતાઓને કરતા વધુ દોડી રહ્યાં છે. ભીખાભાઇ જોષી 25 વર્ષ સુધી ભાજપમાંથી ચૂંટણીઓ લડતા આવ્યાં હતાં. વર્તમાન સમયમાં તેવો કોંગ્રેસમાં છે. ભીખાભાઇએ કહ્યું હતું કે, કોંગ્રેસે મને 3 વખત ટીકીટ આપી છે. મારી પાસે કશુ ન હતું ત્યારે પણ કોંગ્રેસ સાથે રહી છે. હવે કોંગ્રેસનો ઋણ ઉતારવાનો સમય છે. જૂનાગઢમાં પહેલા મને ભાજપમાં આવવાની ઓફર કરાઇ હતી. પરંતુ મારે કોંગ્રેસનું ઋણ ઉતારવું છે. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. આગામી વિધાન સભાની ચૂંટણી પણ હું જ લડવાનો છું. મારા પુત્ર મનોજની વાતો ગામમાં થઇ રહી છે.પરંતુ ચૂંટણી તો હું જ લડી. વર્તમાન સમય અને તે સમયની ચૂંટણીઓમાં તફાવત શું ? તેના જવાબમાં ભીખાભાઇએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં વેરઝેર વધી રહ્યાં છે. ચૂંટણી પછી લોકો બોલતા હોતા નથી. ભાઇ ભાઇ પણ સામે સામે આવી જાય છે. આજે નેતાને મત નથી આપ્યા તો તે વિસ્તારમાં કામ નથી કરવું તેવો ભાવ નેતાઓમાં જોવા મળી રહ્યો છે. પરંતુ મારી વાત કરુ તો હું દેવાણંદભાઇ સામે ચૂંટણી હાર્યો હતો. અમે બન્ને ચૂંટણીમાં હંમેશા સામ સામે રહ્યાં હતાં. પરંતું અમાર પરિવાર વચ્ચે સારામાં સારા સંબંધ છે. હું ચૂંટણી હાર્યા બાદ હરીફ ઉમેદવારને અભિનંદન આપવા જતો હતો. જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતા દરેક કોર્પોરેટરને ગ્રાન્ટ માટે જાણ કરી હતી. લોકભાગીદારીનાં કામ માટે દરેક કોર્પોરેટરને ફોન કર્યા હતાં. લોકો મત આપે કે ન આપે સત્તામાં હોઇએ ત્યારે તેના કામ થવા જોઇએ. ભીખાભાઇ જોષી 1995માં ધારાસભ્ય બન્યાં હતાં. બાદ 1998માં પેટા ચૂંટણીમાં હાર થઇ હતી. 2002માં ફરી જીત્યા હતાં. 2007માં જૂનાગઢથી લડવાની ઇચ્છા હતી પરંતુ મહિલા ઉમેદવારને કોંગ્રેસે ટીકીટ આપી હતી. 2017માં જૂનાગઢમાંથી ધારાસભ્ય બન્યાં.

ઇશ્ર્વરમાં શ્રદ્ધા પણ મતદારને ઇશ્ર્વર માને
ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, ઇશ્ર્વરમાં શ્રધ્ધા છે. પરંતુ મતદાર એ જ સાચો ઇશ્ર્વર છે. ઇશ્ર્વર પાસે ક્યારેય કશું માગ્યું નથી. ગત ચૂંટણીમાં લોકોને કહ્યું હતું કે, તમારા માટે રૂમાલ નહી પાથરું પણ તમારા કામ માટે લડતો રહીશ. મારા કામને લઇ કોઇ તંત્રએ રૂપિયા માંગ્યા નથી. કોઇ મારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ ન કરી શકે. ચૂંટણી પણ ઓછા ખર્ચમાં લડુ છું.

પાંચ વર્ષમાં 100 ટકા ગ્રાન્ટ વાપરી, 98 કરોડના રસ્તા ગામડાંમાં મંજુર કરાવ્યાં
ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, શહેર કરતા ગામડામાં રસ્તા સારા છે. 98 કરોડનાં રસ્તાનાં કામ મંજુર કરાવ્યાં છે. ધારાસભ્યની 100 ટકા ગ્રાન્ટ વાપરી છે. જૂનાગઢ શહેરમાં લોકભાગીદારી માટે 2 કરોડ આપવાનું કહ્યું હતું.ભાજપનાં શાસકો માન્ય હોત તો 10 કરોડનાં કામ થવાનાં હતાં. સ્થાયી સમિતીએ લોકભાગીદારીની દરખાસ્ત ઉઠાડી દીધી હતી. તમામ કોર્પોરેટરેને ફોન કરી વિકાસ માટે જરૂરી મદદ કરવા કહ્યું છે. જૂનાગઢ શહેરને ખુબ જ ગ્રાન્ટ મળે છે. પરંતુ અનઘડ વહીવટનાં કારણે જૂનાગઢનો વિકાસ થતો નથી.

સંયુકત પરિવાર, દરેક પ્રસંગે હાજર રહેવું, ખેતી મુખ્ય વ્યવસાય
ભીખાભાઇ સયુકત પરિવારમાં રહે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. જૂનાગઢ કે મેંદરડામાં કોઇ પણ જાણીતી વ્યકિતનાં સારા અને નરસા પ્રસંગમાં હાજર રહે છે. જન્મ દિવસ હોય કે કોઇ પણ નાનો કે મોટો પ્રસંગ હોય ભીખાભાઇની હાજરી અવસ્ય હોય છે. રાજાશાહીનાં વખતની જમીન છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. પુશપાલન પણ જેતે સમય કરતા હતાં. જૂનાગઢની ચૂંટણી જત્યા બાદ ખેતીમાં ઓછી ધ્યાન આપવા લાગ્યાં છે. તેમજ કોરોના કાળ દરમિયાન અમિતભાઇ પટેલ અને ભીખાભાઇએ સાથે મળી ભોજનની વ્યવસ્થા કરતા હતાં. જૂનાગઢ,મેંદરડા,માળિયામાં ધાર્મિક,સામાજીક પ્રસંગોમાં તેમની હાજરી હોય છે. હંમેશા લોકોને વચ્ચે રહેવાનું પસંદ કરે છે.

આજે જે કંઇ છે તે જેઠાભાઇ પાનેરાનાં કારણે છે
ભીખાભાઇ જોષી જૂની પેઢીનાં રાજકારણી હોય કોઇનો ઉપકાર ભુલતા નથી. તેમણે કહ્યું હતું કે, 1985માં માળીયા-મેંદરડાથી જેઠાભાઇ પાનેરા ચૂંટણી લડતા હતાં. તેમણે મને કહ્યું કે મને મદદ કરો તો હું જીતી જાવ. પરંતુ અમે મદદ કરી નહી અને તે હારી ગયા. મારી જમીન ઉપર 7 લાખ રૂપિયાનું કરજ હતું. પરંતુ જેઠાભાઇ બેંકમાં આવ્યા અને મૂળ રકમ જ લીધી. જેઠાભાઇએ આમ ન કર્યું હોત તો શાયદ આજે મારી પાસે કશું બચ્યું ન હોત.

1998માં પેટા ચૂંટણીની રસપ્રદ વાત, ભાભી સુત્ર
વર્ષ 1998ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની રસપ્રદ વાત કરતા ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, ત્યારે ભાવનાબેન ચૂંટણી લડતા હતાં. હું વિધાનસભાની પેટા ચૂંટણી લડતો હતો. બન્ને સામ સામ પક્ષમાં હતાં. એક બીજાને મદદ કરવાની વાત હતી. ક્રોસ વોટીંગ માટે પ્રચાર થતો હતો. ભાભી સુત્રને લઇ પ્રચાર કરતા હતાં. ભાભીનો અર્થમાં ભા એટલે ભાવનાબેન અને ભી એટલે ભીખાભાઇ. જોકે આ પેટા ચૂંટણી હું હારી ગયો હતો.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: bhikhabhaijoshi, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદ
Next Article શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા વધુ છ સ્થળોએ સ્માર્ટ સિગ્નલ ઇન્સ્ટોલ કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?