By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    5 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    5 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    5 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    6 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’
Bhavy Raval

છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
14 Min Read
SHARE

વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા : છગન ખેરાજ વર્મા
ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમ

શ્યાહીની સમાંતર લોહી રેડનારા પત્રકારનો ધૂંધળો ઈતિહાસ

- Advertisement -

છગન ખેરાજ વર્મા એટલે ફાંસીના માંચડે ચઢનાર પ્રથમ ગુજરાતી પત્રકાર. છગન ખેરાજ વર્મા એટલે વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા. છગન ખેરાજ વર્મા એટલે વિદેશની ધરતી પરથી પ્રસિદ્ધ થતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી. છગન ખેરાજ વર્મા એટલે તંત્રી અને પત્રકાર સાથે સ્વાતંત્ર્ય સેનાની. છગન ખેરાજ વર્મા એટલે ગુજરાતી પત્ર ગદરના એક એવા તંત્રી – પત્રકાર – સ્વાતંત્ર્ય સેનાની જેના વિશે કોઈ કશું વધુ જાણતું નથી. વારંવાર કહ્યું છે તેમ, આપણી એ કમનસીબી છે કે, કઈકેટલાંય ગુજરાતી પત્રકારો જેમણે ગુજરાતી પત્રકારત્વના વિકાસ અને ભારતની આઝાદી માટે શ્યાહીની સમાંતર લોહી રેડ્યું છે તેમના વિશે વ્યવસ્થિત બે-ચાર પાનાંની નોંધ પણ ક્યાંય ઉપલબ્ધ નથી! અતીતની ગુમનામીમાં ખોવાયેલા આવા જ એક પત્રકાર છે, છગન ખેરાજ વર્મા. જેમના વિશે ઈતિહાસના પાનાં પર છૂટીછવાયી કેટલીક વાતો લખાયેલી છે પરંતુ તેમાં સમય અને સ્થળનો તફાવત જોવા મળે છે. બિન ગુજરાતી તથા વિદેશી ઈતિહાસકારોએ છગન ખેરાજ વર્મા વિશે નોંધેલી જૂજ માહિતીમાંથી વાસ્તવિકતા વિચારીએ અને તથ્ય તારવીએ તો..
વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદ્દભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ એટલે ગદર ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા પહોચ્યા હતા. 1910 સુધીમાં સાનફ્રાંસિસ્કો અને વેંકોવર વચ્ચે આશરે 30000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે કેનેડિયન – અમેરિકનનો વ્યવહાર અપમાનજનક હતો તેથી તેમને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાય સાથોસાથ કાળા-ધોળાના ભેદ અને અસમાનતા દૂર થાય તે માટે દેશની સાથે વિદેશમાં પણ ભારતીયોને ભૂરીયાઓની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટેની વિવિધ ચળવળ શરૂ થઈ હતી જેમાની એક ચળવળનું નામ ગદર હતું. ગદરનો અર્થ થાય છે – બળવો.
1857 પછીથી 1914 સુધીમાં ગદર ચળવળ પંજાબથી લઈ કેનેડા, અમેરિકા, ફ્રાંસ, જર્મની, બ્રિટન અને જાપાનથી લઈ ચીન, અફઘાનિસ્તાન, મલાયા, સિંગાપોર, બર્મા સુધી ફેલાઈ ગઈ હતી. આ ચળવળના નેતાઓ લાલા હરદયાલ, પાંડુરંગ સદાશિવ ખાનખોજે, તારકનાથ દાસ, રાસબિહારી ઘોષ, ભાઈ પરમાનંદ, વિષ્ણુ ગણેશ પિંગલે વગેરે હતા. ગદર ચળવળમાં જે ગુજરાતીએ અગત્યનો ભાગ ભજવ્યો તેનું નામ હતું – છગન ખેરાજ વર્મા. છગન ખેરાજ વર્મા એટલે કે ખેમરાજ દામજી એટલે કે હુસેન રહીમ. એ સમયમાં વેશપલટાની જેમ નામપલટા પણ થતા હતા. કેટલાંક વિદેશી પુસ્તકો અને ભારતમાં રહી ગયેલા બ્રિટિશ ગુપ્તચર તંત્રના અધિકારીઓના દસ્તાવેજોમાં આ નામ મળી આવે છે. વેશાંતર, દેશાંતર, નામાંતર કરનારા છગન ખેરાજ વર્મા એ જ ખેમરાજ દામજી હતા અને એ જ હુસેન રહીમ હતા. તેઓ પોતાની ઓળખ છુપાવી વિદેશમાં રહેતા હતા અને વિદેશની ધરતી પરથી જ મા ભારતીની અનુસંધાન પાના નં. 6

આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑવ્ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં. આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.

વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.

- Advertisement -

લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું, આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે, ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો

આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑફ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં.
આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.
વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.

You Might Also Like

રાજીનામાની રાજનીતિ

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

ખાસ-ખબરની છ વર્ષની ખબર

TAGGED: પત્રકારત્વ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંતાનોને કેળવવાની કળા
Next Article ખેતીની જમીનમાં દિશાનું મહત્વ, મુહૂર્ત- પંચાંગની ભૂમિકા અને અણધાર્યા ખર્ચા અટકાવવાનાં ઉપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?