By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    1 day ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    1 day ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    1 day ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    1 day ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    1 day ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    1 day ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’
Bhavy Raval

છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
14 Min Read
SHARE

વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા : છગન ખેરાજ વર્મા
ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમ

શ્યાહીની સમાંતર લોહી રેડનારા પત્રકારનો ધૂંધળો ઈતિહાસ

- Advertisement -

છગન ખેરાજ વર્મા એટલે ફાંસીના માંચડે ચઢનાર પ્રથમ ગુજરાતી પત્રકાર. છગન ખેરાજ વર્મા એટલે વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા. છગન ખેરાજ વર્મા એટલે વિદેશની ધરતી પરથી પ્રસિદ્ધ થતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી. છગન ખેરાજ વર્મા એટલે તંત્રી અને પત્રકાર સાથે સ્વાતંત્ર્ય સેનાની. છગન ખેરાજ વર્મા એટલે ગુજરાતી પત્ર ગદરના એક એવા તંત્રી – પત્રકાર – સ્વાતંત્ર્ય સેનાની જેના વિશે કોઈ કશું વધુ જાણતું નથી. વારંવાર કહ્યું છે તેમ, આપણી એ કમનસીબી છે કે, કઈકેટલાંય ગુજરાતી પત્રકારો જેમણે ગુજરાતી પત્રકારત્વના વિકાસ અને ભારતની આઝાદી માટે શ્યાહીની સમાંતર લોહી રેડ્યું છે તેમના વિશે વ્યવસ્થિત બે-ચાર પાનાંની નોંધ પણ ક્યાંય ઉપલબ્ધ નથી! અતીતની ગુમનામીમાં ખોવાયેલા આવા જ એક પત્રકાર છે, છગન ખેરાજ વર્મા. જેમના વિશે ઈતિહાસના પાનાં પર છૂટીછવાયી કેટલીક વાતો લખાયેલી છે પરંતુ તેમાં સમય અને સ્થળનો તફાવત જોવા મળે છે. બિન ગુજરાતી તથા વિદેશી ઈતિહાસકારોએ છગન ખેરાજ વર્મા વિશે નોંધેલી જૂજ માહિતીમાંથી વાસ્તવિકતા વિચારીએ અને તથ્ય તારવીએ તો..
વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદ્દભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ એટલે ગદર ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા પહોચ્યા હતા. 1910 સુધીમાં સાનફ્રાંસિસ્કો અને વેંકોવર વચ્ચે આશરે 30000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે કેનેડિયન – અમેરિકનનો વ્યવહાર અપમાનજનક હતો તેથી તેમને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાય સાથોસાથ કાળા-ધોળાના ભેદ અને અસમાનતા દૂર થાય તે માટે દેશની સાથે વિદેશમાં પણ ભારતીયોને ભૂરીયાઓની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટેની વિવિધ ચળવળ શરૂ થઈ હતી જેમાની એક ચળવળનું નામ ગદર હતું. ગદરનો અર્થ થાય છે – બળવો.
1857 પછીથી 1914 સુધીમાં ગદર ચળવળ પંજાબથી લઈ કેનેડા, અમેરિકા, ફ્રાંસ, જર્મની, બ્રિટન અને જાપાનથી લઈ ચીન, અફઘાનિસ્તાન, મલાયા, સિંગાપોર, બર્મા સુધી ફેલાઈ ગઈ હતી. આ ચળવળના નેતાઓ લાલા હરદયાલ, પાંડુરંગ સદાશિવ ખાનખોજે, તારકનાથ દાસ, રાસબિહારી ઘોષ, ભાઈ પરમાનંદ, વિષ્ણુ ગણેશ પિંગલે વગેરે હતા. ગદર ચળવળમાં જે ગુજરાતીએ અગત્યનો ભાગ ભજવ્યો તેનું નામ હતું – છગન ખેરાજ વર્મા. છગન ખેરાજ વર્મા એટલે કે ખેમરાજ દામજી એટલે કે હુસેન રહીમ. એ સમયમાં વેશપલટાની જેમ નામપલટા પણ થતા હતા. કેટલાંક વિદેશી પુસ્તકો અને ભારતમાં રહી ગયેલા બ્રિટિશ ગુપ્તચર તંત્રના અધિકારીઓના દસ્તાવેજોમાં આ નામ મળી આવે છે. વેશાંતર, દેશાંતર, નામાંતર કરનારા છગન ખેરાજ વર્મા એ જ ખેમરાજ દામજી હતા અને એ જ હુસેન રહીમ હતા. તેઓ પોતાની ઓળખ છુપાવી વિદેશમાં રહેતા હતા અને વિદેશની ધરતી પરથી જ મા ભારતીની અનુસંધાન પાના નં. 6

આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑવ્ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં. આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.

વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.

- Advertisement -

લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું, આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે, ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો

આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑફ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં.
આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.
વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.

You Might Also Like

થેક્કડી ટ્રાવેલર્સ ડ્રીમ ડેસ્ટિનેશન

મુન્નાર અનોખું હિલસ્ટેશન

ભારતનું વેનિસ એલ્લેપ્પી-અલાપ્પુઝા

જટાયુ અર્થ સેન્ટર

AIના જમાનામાં નવીજૂની ભાષામાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો

TAGGED: પત્રકારત્વ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંતાનોને કેળવવાની કળા
Next Article ખેતીની જમીનમાં દિશાનું મહત્વ, મુહૂર્ત- પંચાંગની ભૂમિકા અને અણધાર્યા ખર્ચા અટકાવવાનાં ઉપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

થેક્કડી ટ્રાવેલર્સ ડ્રીમ ડેસ્ટિનેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Raval

મુન્નાર અનોખું હિલસ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

ભારતનું વેનિસ એલ્લેપ્પી-અલાપ્પુઝા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?