વાંકાનેરમાં ચાલી રહ્યું છે ફિલ્મ ગેસલાઇટનું શૂટિંગ
મોરબી જિલ્લાના વાંકાનેર પેલેસમાં ફિલ્મ ગેસલાઇટનું શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન મોરબીમાં રોકાઈ છે.
જેને લઇને તે વાંકાનેર અને મોરબી વચ્ચે આવન-જાવન કરતા રહે છે. ત્યારે આજે સારા અલી ખાન દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. ગળામાં ખેસ પહેરીને મંદિરમાં જતા નજરે પડી હતી. અહીં દર્શન માટે પહોંચીને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે દેવસ્થાન સમિતીની વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી.
દ્વારકાથી તે નાગેશ્વર મંદિરે જવા નીકળી જ્યાં પણ તે પૂજા અર્ચના કરશે.વાંકાનેર પેલેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા છે. સારા, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની આસપાસ ફરતા રહે છે.
- Advertisement -
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/03/31/ranbir-kapoor-and-foi-rima-jain-reveal-on-marriage-question-with-alia-bhatt/