By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
    4 hours ago
    વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
    4 hours ago
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    5 hours ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    1 day ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી: 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં
    11 minutes ago
    મુંબઈ નજીકનું પડઘા ગામ બન્યું ઈસ્લામિક સ્ટેટ લિબરેટેડ ઝોન
    12 minutes ago
    ‘હિસાબ મેં રહો! હમ સબ્ર મેં હૈ કબ્ર મેં નહીં’: આઈ લવ મોહમ્મદ બેનર સાથે ધમકીભર્યા સંદેશ અપાયા
    12 minutes ago
    ગુજરાત આવતું કેમિકલ ભરેલું ટેન્કર LPG ટ્રક સાથે અથડાયું: 200 સિલિન્ડર બ્લાસ્ટ બાદ ખતરનાક કેમિકલ લીક
    18 minutes ago
    બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    17 minutes ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    3 hours ago
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    1 day ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 day ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    1 week ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો! : નરેશ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો! : નરેશ પટેલ
AuthorParakh Bhatt

રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો! : નરેશ પટેલ

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

– પરખ ભટ્ટ

વર્ષ 1947માં રાજકોટનાં કેનાલ રોડ પર એક નાનકડા કારખાનામાં શરૂ થયેલી ‘પટેલ બ્રાસ વર્ક્સ’ની સફરને વિશ્વકક્ષા સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે નરેશભાઈ પટેલ. હાલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી એમની ‘એફએમ પીબીડબલ્યુ’ કંપનીમાં પગ મૂકો એટલે નરેશભાઈનો સ્વચ્છતાપ્રિય અને બધું જ અપ-ટુ-ડેટ રાખવાનો સ્વભાવ ત્યાં પ્રત્યક્ષ દેખાઈ આવે. સ્કાય ઇઝ ધ લિમિટ! નરેશભાઈએ પોતાનાં જીવનમાં આ વાક્યને સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રબળ ઇચ્છાશક્તિ અને મજબૂત મનોબળ હોય તો સફળતા સાવ હાથવગી લાગવા માંડે છે! પટેલ બ્રાસ વર્ક્સ જે પ્રકારનાં પાર્ટ્સનું ઉત્પાદન કરે છે એ બનાવતી કંપનીઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇંગ્લેન્ડ અને ભારત (ને એય પાછી આપણા રાજકોટમાં!)

ત્રણ દાયકાની અંદર 900થી પણ વધુ વિદેશ-પ્રવાસ!

- Advertisement -

એવું બિલકુલ જરૂરી નથી કે જે માણસ વેપાર-ધંધામાં સફળ હોય તેનું અંગત જીવન પણ ઉત્કૃષ્ટ રીતે સફળ જ હોવાનું! પરંતુ નરેશભાઈ આ બાબતે સાવ અપવાદ છે. સફળતા પચાવવી કોને કહેવાય એ વાત એમનો પરિવાર, સગા-વ્હાલાઓ અને મિત્રો સારી રીતે જાણે છે. પટેલ બ્રાસ વર્ક્સનાં તમામ કર્મચારીઓનું પોતાનાં કુટુંબીજન જેટલું ધ્યાન રાખતાં નરેશભાઈ પ્રોફેશનલ લાઇફમાં પણ એટલા જ લોકપ્રિય છે. ક્યારેય કોઇ ફરિયાદ નહીં, ખોટા વાદ-વિવાદો નહીં, દેખાડો નહીં, આરોપો કે આક્ષેપો નહીં, સફળતાનો કોઇ છોછ અને પૈસાનો કોઇ ઢોંગ નહીં! સાવ સાદગીપૂર્ણ અને નિરાભિમાની વ્યક્તિત્વ. એમની અનુભવી આંખોનું ઉંડાણ અને સંબંધો પરત્વેની સમજણ અજાણ્યા માણસને પણ અભિભૂત કરી મૂકે!

ઘણા લોકો જાણે છે કે નરેશભાઈ પ્રખર શિવભક્ત છે. કૈલાશ માનસરોવરમાં તેમને જીવનની પરિપૂર્ણતાનાં દર્શન થાય છે. તેઓ માને છે કે પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં કોઇ જાતનાં વિધ્નો વગર બધા જ કામ પાર પડી જવા એ એક પ્રકારે ચમત્કાર જ છે! આધ્યાત્મિકતાનાં અનુભવનો બીજો શો દાખલો હોઇ શકે! સફળ લગ્નજીવન, સુખી પરિવાર, ઇન્ટરનેશનલ કારોબાર અને નિરોગી જીવનશૈલી. ખુશ રહેવા માટે આનાથી વધારે બીજું તો શું જોઇએ!?
‘સ્પાઈન સ્કોલિયોસીસ’ નામનાં રોગમાંથી પોતાની મેળે સંઘર્ષ કરીને બેઠા થયેલા નરેશભાઈએ એ જમાનામાં લવ-મેરેજ કર્યા હતાં. હરિયાણાનાં જૈન પરિવારનાં શાલિની બેન સાથે એમને સ્કૂલ-લાઇફ દરમિયાન પ્રેમ પાંગર્યો હતો. માતા-પિતા અને પરિવારની સંમતિ મેળવ્યા બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયા. સંતાનમાં બે દીકરીઓ અને એક પુત્ર છે. બંને દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. નરેશભાઈનાં દીકરા શિવરાજભાઈએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરેલું છે. ભણતર પૂરું કર્યા બાદ તેઓ પિતાનાં વ્યવસાયમાં જોડાઈ ગયા છે.

પાછલા ત્રણ દાયકામાં તેઓ વિશ્વના મોટા મોટા દેશોની સફર ખેડી ચૂક્યા છે. પ્રવાસ જીવનના અનુભવોનું ભાથું બાંધવામાં મદદરૂપ થતાં હોય છે, એવું એમનું દ્રઢપણે માનવું છે. એમણે આ સમય દરમિયાન 900થી વધુ વિદેશ-પ્રવાસો કર્યા છે. એમની કંપની આજે જે સ્તર પર સફળતા હાંસિલ કરી ચૂકી છે, એમાં આ વિદેશ-પ્રવાસોનો ફાળો પણ ઘણો મહત્વનો છે એમ કહી શકાય.

- Advertisement -

સફળતા અને સાર્થકતા બંને અલગ-અલગ બાબતો છે. સાર્થકતા જીવનનાં અનુભવો સાથે આવતી હોય છે, જ્યારે સફળતા પરિશ્રમનાં પરસેવા સાથે! એક વ્યક્તિ પાસે આ બંને હોય એવું તો જવલ્લે જ જોવા મળતું હોય છે. નરેશભાઈનું જીવન ખરા અર્થમાં સાર્થક રહ્યું છે, કારણકે તેમણે પોતાની સફળતાનો નશો ક્યારેય જાત પર કે પરિવાર પર ચડવા નથી દીધો. નાનપણથી ખેડૂત પરિવારમાં ઉછરીને મોટા થયા હોવાથી એક-એક પૈસાનું મહત્વ તેમને બરાબર રીતે સમજાવવામાં આવ્યું હતું. ખપ પૂરતો ખર્ચ કરીને બાકીની અમુક રકમ દાન-પુણ્યનાં કામમાં વાપરવી એ સંસ્કાર એમને ગળથૂથીમાં મળ્યા છે. ખોડલધામની ગૂંજ વિશ્વનાં તમામ દેવીભક્તો સુધી પહોંચાડ્યા બાદ હવે તેઓ ખેતી અને શિક્ષણનાં મામલે પણ ઘણું સમાજોપયોગી કાર્ય કરવા માંગે છે.

સફળ પુરૂષની સંઘર્ષગાથામાં સ્ત્રીનો ફાળો બહુ અગત્યનો હોય છે. નરેશભાઈની માતા અને તેમના ધર્મપત્નીએ એમને આ મુકામ સુધી પહોંચવામાં ઘણી મદદ કરી છે એવું તેઓ માને છે. ઘર અને ઓફિસ વચ્ચે સમતુલન જાળવવામાં એમનો ફાળો ખૂબ રહ્યો છે. આટલી વ્યસ્ત કાર્યશૈલી હોવા છતાં તેઓ આજેપણ પ્રેરણાદાયી મહાનુભાવોની બાયોગ્રાફી અને તત્વચિંતનનાં પુસ્તકોનું વાંચન કરે છે. સારા પુસ્તકો કેટલીકવાર જીવનને બળ પૂરું પાડી, નવી દિશા સૂચવી જતાં હોય છે.
નરેશભાઈએ નાનપણમાં નવલકથાઓ ખૂબ વાંચી, જેમ-જેમ મોટા થતાં ગયા એમ ફિલોસોફીમાં રસ વધતો ગયો.
સોશિયલ મીડિયાની ચાહક પેઢી માટે નરેશભાઈ હ્રદયપૂર્વક પોતાની વાત કહેતાં જણાવે છે, મોબાઇલ અને એની એપ્લિકેશનોનો ઉપયોગ ફક્ત જરૂર પૂરતો જ કરવો જોઇએ. અતિશય વપરાશથી સમય, શક્તિ અને પૈસાનો વ્યય થાય છે. નવી પેઢીએ ટાઇમ-મેનેજમેન્ટ તો શીખવું જ જોઇશે. નીતિનાં માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધતાં રહેવું એ મારો એમને ગુરૂમંત્ર છે. મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડો! ઇશ્વર હંમેશા તમારી સાથે છે.

જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે નરેશભાઈ પોલિટિક્સમાં પ્રવેશ કરવાના છે એવી અફવાઓ જોર પકડી લે છે. પરંતુ દર વર્ષે લોકોને નિરાશા જ સાંપડે છે, કારણકે નરેશભાઈ ક્યારેય આવી અફવાઓ પર ધ્યાન નથી આપતાં હોતાં. આવી ખોટી વાતો કોણ ફેલાવે છે એવા પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું તો નથી ફેલાવતો! બધા કાર્યકરો અને પોલિટિકલ પાર્ટીઓને એમ લાગતું જ હોય છે કે નરેશભાઈ જેવા માણસ એમનાં પક્ષનો હિસ્સો બને! અને તેઓ એમની જગ્યાએ સાચા પણ છે. સમાજ માટે સારું કામ કરી રહેલી વ્યક્તિ રાજકારણમાં આવે એનાથી વધુ રૂડું બીજું શું હોઇ શકે?! પરંતુ મારી ઇચ્છા ક્યારેય રાજકારણમાં જોડાવાની રહી નથી. આવી અફવાઓ ફેલાતી બંધ થાય અને અખબારો એને છાપવાનું બંધ કરે એવી જ કામના છે!’

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ મનપાનું રૂ. 395 કરોડનું બજેટ : સ્થાયી સમિતિએ મેયરને બજેટ સુપ્રત કર્યું
Next Article ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે યુવા લેખક હર્ષ ઠાકર લિખિત ‘અહર્નિશમ્’ પુસ્તકનું વિમોચન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પુષ્કરધામ ચોક નજીક જશોદા ડેરીની મીઠાઈમાંથી જીવતી ઈયળ નીકળી!

Khaskhabar Editor Khaskhabar Editor 22 seconds ago
રેસકોર્સ રિંગરોડ રોશનીથી ઝગમગી ઉઠશે: સ્વદેશી થીમ પર દિવાળી કાર્નિવલ યોજાશે
વિસનગરની 15 વર્ષની સગીરા પર ગેંગરેપ: 6 નરાધમે અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું
હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી: 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં
મુંબઈ નજીકનું પડઘા ગામ બન્યું ઈસ્લામિક સ્ટેટ લિબરેટેડ ઝોન
‘હિસાબ મેં રહો! હમ સબ્ર મેં હૈ કબ્ર મેં નહીં’: આઈ લવ મોહમ્મદ બેનર સાથે ધમકીભર્યા સંદેશ અપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?