તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને ફરજિયાત રિપોર્ટિંગ અંગે નીતિ ઘડવા કોર્ટનો આદેશ
સીજેઆઈ સૂર્યકાંતની ખંડપીઠે તમામ રાજ્યોમાં એકરૂપતા લાવવા અંગે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
- Advertisement -
સુપ્રીમ કોર્ટે મંગળવારે એ બધા રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોને નોટીફાઈએબલ ડીસીઝ (બીમારીની જાણકારી સ્વાસ્થ્ય સંસ્થાઓએ સરકારી અધિકારીઓને ફરજીયાત આપવાની હોય છે) જાહેર કરવા પર વિચાર કરવાનો નિર્દેશ
આપ્યો છે કે જેમણે હજુ સુધી આમ નથી કર્યું. કોર્ટે કેન્સરના કેસોમાં ફરજિયાત રિપોર્ટીંગ માટે દેશભરમાં એક સમાન નીતિની જરૂર પર જોર આપ્યુ છે.
સીજેઆઈ જસ્ટીસ સુર્યકાંત, જસ્ટીસ જોયમાલ્ય બાગચી અને જસ્ટીસ વી.મોહનાની ખંડપીઠ કેન્સરને પુરા દેશમાં નોટીફાઈએબલ જાહેર કરવાની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી.
સુનાવણી દરમિયાન સીજેઆઈએ કેન્દ્રને પૂછયું કે બધા રાજયો અને યુટીએસ માટે ફ્રજીયાત દિશા-નિર્દેશ જાહેર કરી દેશભરમાં એકરૂપતા કેમ ન લાવી શકાય? કોર્ટ તરફથી એડીશનલ સોલીસીટર જનરલ અનિલ કૌશિકે જણાવ્યું
હતું કે સ્વાસ્થ્ય રાજયનો વિષય છે અને ૧૭ રાજયો યુટીએસમાં કેન્સરને અગાઉથી નોટિફાઈએબલ ડીસીઝ જાહેર કરવામાં આવી ચૂકયું છે. કોર્ટે બાકી રાજયો અને યુટીએસને સંસદીય સ્થાયી સમીતીના ૧૩૯માં રિપોર્ટની
ભલામણો પર વિચાર કરી ઉચીત નિર્ણય લેવા અને કમ્પ્લેઈન્સ એફીડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પર સંસદીય સ્થાયી સમીતીએ પોતાના ૧૩૯માં રિપોર્ટમાં નોટિફાએબલ ડીસીઝ જાહેર
કરવાની ભલામણ કરી હતી. સમીતીએ કહ્યું હતું કે અનિવાર્ય રિપોર્ટીંગ નહીં થવાથી કેન્સરથી થનારા મોતની વાસ્તવિક સંખ્યા ઓછી નોંધાય છે. કેન્સરના ફરજીયાત રિપોર્ટીંગથી દેશમાં કેન્સરના મામલા અને મોતના બહેતર
ડેટાબેઝ તૈયાર થઈ શકશે.
મોંઘા ઇલાજ સામે સંસદીય સમિતિની ભલામણો : હેલ્થ ઇન્શ્યોરન્સમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત OPD કવરેજ ફરજિયાત કરવા આદેશ
ખાનગી હોસ્પિટલોમાં ઇલાજના વધતાં ખર્ચ અને દર્દીઓનાં ખિસ્સા પર પડતાં ભારે બોજને ઓછો કરવા માટે સંસદની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંબંધી સ્થાયી સમિતિએ કેટલીક મહત્વની ભલામણો કરી છે. આ હેઠળ
સમિતિએ હેલ્થ ઇન્શ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમા)નો દાયરો હોસ્પિટલમાં દાખલ થવા સુધી સીમિત રાખવાને બદલે OPD ઇલાજ સુધી લંબાવવાની ભલામણ કરી છે. સમિતિએ વીમા નિયામક IRDAIને માનક સ્વાસ્થ્ય વીમા
યોજનાઓમાં OPD કવરેજ ફરજિયાત કરવા કહ્યું છે. તેમાં જૂની બીમારીઓના દર્દીઓ માટે નિયમિત તપાસ, દવાઓ અને એક્સપર્ટ ડોક્ટરના પરામર્શના ખર્ચને પણ સામેલ કરવાની ભલામણ છે. રિપોર્ટ અનુસાર, ઘડઉમાં એક
વાર ઇલાજ કરાવવા પર દર્દીને પોતાનાં ખિસ્સામાંથી સરેરાશ ₹૫૬૧ ખર્ચ કરવા પડે છે. સમિતિએ કહ્યું કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગના દર્દીઓને વારંવાર ડોક્ટરને બતાવવું પડે છે અને તપાસ-દવાઓ કરાવવી પડે
છે. તેથી સ્વાસ્થ્ય વીમામાં માત્ર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ જ નહીં, પણ ઘડઉનો ખર્ચ પણ સામેલ હોવો જોઈએ. આ સાથે જ સમિતિએ રૂમના ભાડા સાથે જોડાયેલી વધારાની બિલિંગ વ્યવસ્થા નાબૂદ કરવાની ભલામણ
કરી છે. રિપોર્ટ મુજબ, ઇલાજની પ્રક્રિયાઓમાં દર્દીનાં રૂમની શ્રેણીનાં આધારે ઇલાજનો ચાર્જ વધારવાની વ્યવસ્થા દર્દી પર ભારે આર્થિક બોજ નાખી શકે છે. તેથી તમામ ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારે રૂમના ભાડા સાથે
જોડાયેલા ચાર્જ વધારાને નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી છે.



