ભારતનું સર્વશ્રેષ્ઠ મધ બનાવતાં રાજકોટનાં મધ ઉત્પાદક દર્શન ભાલારાએ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અનોખા ગિફટ બૉક્સ દિવાળી એટલે ફટાકડાં અને મિઠાઈ-ફરસાણ ઉપરાંત ગિફ્ટસનો પણ તહેવાર. એકબીજાને ભેટ-સોગાદો મોકલવાની આ પરંપરા દાયકાઓથી ચાલી આવે છે.
પણ સમસ્યા એ છે કે, દિવાળી ગિફટસ એકદમ મોનોટોનસ થઈ ગઈ છે. વધીને તમે શું નવું આપો! એ જ ડ્રાયફ્રુટ બૉકસ અને ચોકલેટ બૉક્સ કે મિઠાઈ. દર વર્ષે કોર્પોરેટ કંપનીઓ, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ વગેરે લોકો માટે એ જ મથામણ હોય છે કે, કશુંક સાવ યુનિક લાગે, લોકો યાદ રાખે અને ઉપયોગમાં પણ આવે- તેવી કઈ વસ્તુ આપવી? રાજકોટનાં જાણીતા મધ ઉત્પાદક દર્શન ભાલારા આવા તમામ લોકોની મુંઝવણ દૂર કરવા અલગ-અલગ પાંચ પ્રકારનાં ગિફટ પેક્સનાં વિકલ્પ લઈને આવ્યા છે.
‘મધુધારા’ની વેબસાઈટ ચેક આઉટ કરવા આ લિંક પર ક્લિક કરો
http://www.madhudhara.com
દર્શન ભાલારા: 9662166770
- Advertisement -
દર્શન ભાલારાનું મધ સર્વશ્રેષ્ઠ છે, પ્યોર ઓર્ગેનિક છે અને તેમાં કોઈ જ પ્રકારનાં પેસ્ટિસાઈડસ ઉમેરવામાં આવતાં નથી. તેમની બ્રાન્ડ ‘મધુધારા’ની ગણના દેશની સર્વોત્તમ બ્રાન્ડમાં થાય છે. તાજેતરમાં થયેલાં એક વૈજ્ઞાનિક સરવેમાં ભારતની તમામ મોટી બ્રાન્ડસનાં મધમાં મોટાપાયે ભેળસેળ જોવા મળી હતી. ડાબર, ઝંડુ અને પતંજલિ જેવી બ્રાન્ડનાં સેમ્પલ પણ ફેઈલ થયાં હતાં. અમુક કંપનીઓ તો મધમાં અમેરિકાથી આયાત કરેલું સસ્તું કોર્ન સીરપ પણ ચિક્કાર માત્રામાં ધાબડે છે.

દર્શન ભાલારા આમાં અપવાદ છે. તેમનું મધ ઊચ્ચત્તમ ગુણવત્તાનું છે અને ભારતમાં અનેક જગ્યાએથી તેઓ મધ મેળવે છે. તેમની પાસે અલગ-અલગ સ્વાદ, સુગંધ, ગુણ, રંગ અને પોષણમૂલ્યો ધરાવતા અનેક પ્રકારનાં મધ છે. હમણાં જ તેમણે લૉન્ચ કરેલાં ગિફટ બૉક્સમાં આવાં જ જાતજાતનાં મધ અને તેમાંથી બનાવેલી પ્રોડક્ટસનાં કોમ્બો છે. આ એક હેલ્ધી અને અત્યંત યુનિક ગિફટ છે. માત્ર દિવાળી પર જ નહીં, કોઈપણ શુભ પ્રસંગે, જન્મ દિવસ કે એનિવર્સરી નિમિત્તે આપી શકાય તેવી આ નવતર ગિફટ છે.
- Advertisement -

‘મધુધારા’નાં આ પાંચેય ગિફટ બૉક્સની આગવી વિશિષ્ટતાઓ છે. ‘મધુધારા રિચ’માં છ પ્રકારનાં મધની નાની-નાની બોટલ આવે છે. જેમાં દેશી બાવળનું, લીચી, નીલગિરિ, કાશ્મીરી ક્કિર, કરંજ અને જાંબુના મધ હોય છે. ‘મધુધારા રોયલ’ નામનાં બૉક્સમાં વરિયાળીનું મધ અને ખાંડ વગર- માત્ર મધથી બનાવેલું ગુલકંદ હોય છે. જેમાં ભરપૂર માત્રામાં કેસર પણ હોય છે. ‘વાઈલ્ડ કાર્ટ નામનાં હેમ્પરમાં કચ્છ, શૂલપાણેશ્ર્વર, ડાંગ અને ગીરનાં જંગલમાંથી મેળવેલું શુદ્ધ મધ હોય છે. ‘હની એન્ડ નટ્સ કાર્ટ’માં લીચીનું મધ, મધમાં ડૂબાડેલા રોસ્ટેડ ડ્રાયફ્રુટસ તથા મધ-કેસર, એલચીવાળું ગુલકંદ હોય છે. મધુધારાનું સૌથી પ્રીમિયમ ગિફટ બૉક્સ એટલે ‘કાશ્મીટી કાર્ટ!’ આ બૉક્સ અતિ મૂલ્યવાન છે. તેમાં કાશ્મીરી ક્કિરનું મધ, કાશ્મીરી વાઈલ્ડ હની, મામરો બદામ, 10 ગ્રામનો ચાંદીનો કપ, 2 ગ્રામ પ્રીમિયમ કવૉલિટીનું કેસર અને મધપુડાનાં વેક્સમાંથી બનાવેલી કેન્ડલનો સમાવેશ થાય છે.
પ્યોર ઓર્ગેનિક મધનાં ગિફટ બૉક્સ ઉપરાંત મધ વડે બનાવાયેલી અનેક અદ્ભુત ચીજનાં કોમ્બો ઉપલબ્ધ
‘મધુધારા’નાં આ પાંચેય ગિફટ બૉક્સની આગવી વિશિષ્ટતાઓ છે. ‘મધુધારા રિચ’માં છ પ્રકારનાં મધની નાની-નાની બોટલ આવે છે. જેમાં દેશી બાવળનું, લીચી, નીલગિરિ, કાશ્મીરી ક્કિર, કરંજ અને જાંબુના મધ હોય છે. ‘મધુધારા રોયલ’ નામનાં બૉક્સમાં વરિયાળીનું મધ અને ખાંડ વગર- માત્ર મધથી બનાવેલું ગુલકંદ હોય છે. જેમાં ભરપૂર માત્રામાં કેસર પણ હોય છે. ‘વાઈલ્ડ કાર્ટ નામનાં હેમ્પરમાં કચ્છ, શૂલપાણેશ્ર્વર, ડાંગ અને ગીરનાં જંગલમાંથી મેળવેલું શુદ્ધ મધ હોય છે. ‘હની એન્ડ નટ્સ કાર્ટ’માં લીચીનું મધ, મધમાં ડૂબાડેલા રોસ્ટેડ ડ્રાયફ્રુટસ તથા મધ-કેસર, એલચીવાળું ગુલકંદ હોય છે. મધુધારાનું સૌથી પ્રીમિયમ ગિફટ બૉક્સ એટલે ‘કાશ્મીટી કાર્ટ!’ આ બૉક્સ અતિ મૂલ્યવાન છે. તેમાં કાશ્મીરી ક્કિરનું મધ, કાશ્મીરી વાઈલ્ડ હની, મામરો બદામ, 10 ગ્રામનો ચાંદીનો કપ, 2 ગ્રામ પ્રીમિયમ કવૉલિટીનું કેસર અને મધપુડાનાં વેક્સમાંથી બનાવેલી કેન્ડલનો સમાવેશ થાય છે.
આ પાંચેય ગિફટ બોક્સ જેટલાં ગુણકારી છે- તેટલાં જ આકર્ષક છે. બૉક્સની બનાવટમાં ક્યાંય જ મશીનનો ઉપયોગ નથી થયો. જોતાવેંત જ તમને ખ્યાલ આવી જાય કે, આ કોઈ પ્રીમિયમ વસ્તુ છે. તો આ દિવાળીએ કશુંક નવતર તમારા નીયર-ડીયરને આપવા માંગતા હોવ તો મધુધારા અનેક વિકલ્પો સાથે તૈયાર છે.
દેશી પેટી અને ન્યૂઝીલેન્ડ પદ્ધતિ વચ્ચેનો ફરક
બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડમાંથી 99.9% મધ કાચું અને પ્રોસેસ્ડ હોય એ લખી રાખજો. બીજી મહત્વની વાત: દેશી પેટીમાં મધ ઉછેર થાય ત્યારે કદાચ શુદ્ધત્તમ સ્વરૂપે મધ મેળવીએ તો પણ તેમાં લાર્વા, ઈંડા અને અશુદ્ધિઓ આવી જ જાય. દર્શન ભાલારા ન્યુઝીલેન્ડ પદ્ધતિની પેટીઓ જ ઝાઝા ભાગે ઉપયોગ કરે છે, તેમાં મધમાખીની મધ એકત્રિત કરવા માટેના અને ઈંડા મુકવાના ખાનાં જ નોખાં હોય! અશુદ્ધિ કે ઈંડાની ભેળસેળ થઈ જવાનો સવાલ જ ન હોય. આ પદ્ધતિ તેમના મધને ભારતની બજારોમાં ઉપલબ્ધ મધ કરતા ક્યાંય અલગ અને ગુણકારી તથા શુદ્ધત્તમ બનાવે છે.
લીચીનું, નીલગિરિનું કે જાંબુનું અને તુલસીનું મધ એટલે શું?
અગાઉ મોટા ભાગે બજારમાં વાઈલ્ડ હની જ મળતું. ટૂંકમાં કહીએ તો જંગલમાંથી એકઠું કરેલું મધ. પણ, પેટી મૂકીને મધ મેળવવાનું શરૂ થયું પછી ધારીએ તેવું મધ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે તમે અજમાનાં ખેતરમાં મધમાખીની પેટી મૂકી હોય તો મધમાખી તેનાં ફૂલોનો રસ ચૂસીને મધ એકઠું કરે. આ મધમાં અજમાની સુગંધ અને ગુણ બંને હોય. એવી જ રીતે લીચીનાં ગાર્ડનમાં, જાંબુનાં બગીચામાં, તુલસીનાં ખેતરમાં કે નીલગિરિનાં જંગલમાં પેટીઓ મૂકીને આવા વિવિધ-વિશિષ્ટ મધ મેળવી શકાય છે.
અન્ય મધ અને મધુધારા મધ વચ્ચે શો તફાવત?
ઘણાંને સવાલ થાય કે, બજારમાં પાંચસો પ્રકારના બ્રાન્ડેડ મધ ઉપલબ્ધ છે ત્યારે દર્શન ભાલારાનું મધ શું અલગ છે? વિશિષ્ટ છે? હા. એ એકદમ સ્પેશિયલ છે. તેમના મધમાં ભેજ-મોઇશ્ચરનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય માપદંડથી એક ટકો પણ વધુ નથી. તેનું કારણ એ છે કે, મધ પૂર્ણત: પાકે પછી જ તેઓ તેને પૂડામાંથી નિતારે છે. કાચું મધ ઉતારી લો તો ઉત્પાદન અનેકગણું વધી જાય, નફો વધે. પણ એ મધ સાવ ઓછું ગુણકારી હોય. પ્યોર મધ જોઈતું હોય તો તેની પડતર કિંમત જ ખૂબ ઊંચી જાય. આપણે ત્યાં હોલસેલમાં મધની મહત્તમ કિંમત 150 રૂપિયા કિલોની છે! મહાકાય કંપનીઓ આ જ ભાવે ઉત્પાદકો પાસેથી મધ મેળવે છે અને પોતાની બ્રાન્ડનાં લેબલ મારી બજારમાં વેંચે છે. કેટલીક અત્યંત જાણીતી કંપનીઓ તેમાં ફ્રુટ સીરપ અને કોર્ન સીરપ તથા પેસ્ટીસાઈડ્સ પણ ભેળવે છે. ભાલારાનું મધ 100% પાકેલું છે અને એ ખરા અર્થમાં છફૂ છે, તેના પર કોઈ જ કેમિકલ પ્રોસેસ થતી નથી. એટલે જ એ થોડું મોંઘુ છે.
દર્શન ભાલારા એટલે માત્ર મધ ઉત્પાદક નહીં, મધપ્રેમી
મધ ઉત્પાદક કહેવા કરતા તેમને મધપ્રેમી કે સ્વાસ્થ્યપ્રેમી કે કહેવા વધુ યોગ્ય ગણાય. ખઇઅની ડિગ્રી મેળવ્યા પછી તેમની પાસે 40 હજારના પગારની સરસ નોકરી હતી. ઘેર નેવું વીઘાની પાણીદાર અને ઉપજાઉ જમીન. 2014માં વડાપ્રધાન મોદીએ પોતાના એક વક્તવ્યમાં કૃષિ ક્ષેત્રે વેલ્યુ એડિશન પર થોડી વાતો કરી. દર્શનભાઈએ નોકરી છોડી દીધી અને નક્કી કર્યું કે, સમાજનું સ્વાસ્થ્ય સુધરે એવો વ્યવસાય કરવો છે. પોતાના વિસ્તારમાં તેમણે અજમાના ખેતરમાં મધની પેટી મૂકી. ત્યારથી એમણે પાછું વળીને જોયું નથી. અત્યારે તેઓ 900 પેટી દ્વારા દેશભરમાંથી મધ મેળવે છે. વરિયાળીનું મધ હળવદ પંથકમાંથી મેળવે, અજમાનું સૌરાષ્ટ્રમાંથી, લીચી, સિસમ અને બેરીનું ઉત્તરાંચલ તથા ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે.
ગેરમાન્યતા છોડો: જામી જાય એ મધ ખોટું નથી હોતું!
મધ જામી જવું અથવા મધનું ક્રિસ્ટલાઈઝેશન થવું એ એક કુદરતી પ્રક્રિયા છે. જે મધમાં ગ્લુકોઝનો ભાગ વધુ હોય એ જલ્દી જામી જાય છે. ઘણાં લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે, જામી જાય એ મધ ખોટું હોય છે. આ વાત સત્ય નથી. હા! કેટલીક મોટી બ્રાન્ડ પોતાનું મધ જામી ન જાય તે માટે તેમાં વિશિષ્ટ પ્રકારનાં કેમિકલ્સ નાંખે છે- જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આ પાંચેય ગિફટ બોક્સ જેટલાં ગુણકારી છે- તેટલાં જ આકર્ષક છે. બૉક્સની બનાવટમાં ક્યાંય જ મશીનનો ઉપયોગ નથી થયો. જોતાવેંત જ તમને ખ્યાલ આવી જાય કે, આ કોઈ પ્રીમિયમ વસ્તુ છે. તો આ દિવાળીએ કશુંક નવતર તમારા નીયર-ડીયરને આપવા માંગતા હોવ તો મધુધારા અનેક વિકલ્પો સાથે તૈયાર છે.



